- Sports
- 'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી...
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!
T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે તે વિશે આખી વાર્તા કહી દીધી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 22 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપમાં સુપર 8 મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું હતું. આ ટીમ ઈન્ડિયા માટે શરમજનક હાર હતી. આ મેચ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેની બાદબાકીને વ્યૂહાત્મક નિર્ણય તરીકે વર્ણવવામાં આવી હતી. આ મેચમાં અક્ષર પટેલનું સ્થાન વોશિંગ્ટન સુંદરે લીધું હતું. સુંદરે બેટ અને બોલ બંનેથી ખૂબ નિરાશ કર્યા હતા.
હવે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાની તેમની ભૂલ હતી. સૂર્યકુમાર યાદવે આ ભૂલ માટે અક્ષર પટેલની માફી પણ માંગી હતી. તેણે આગળ કહ્યું કે, મેચ પછી અક્ષર પટેલ ખૂબ ગુસ્સામાં હતો. મીડિયા સૂત્રો સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું, 'અક્ષર પટેલ ખૂબ ગુસ્સે હતો. તેને હોવું પણ જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે. અક્ષર પટેલ IPLમાં એક ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ પણ કરે છે. તેને ગુસ્સો આવવો વ્યાજબી છે.'

આ દરમિયાન સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું, 'મેં અક્ષર પટેલની માફી માંગી. મેં તેને કહ્યું કે મને મારી ભૂલનો પસ્તાવો છે. પરંતુ તે ટીમનો નિર્ણય હતો. તે એક મુશ્કેલ નિર્ણય હતો. ટીમ મેનેજમેન્ટે તેને હળવાશથી લીધો. અમે બીજા દિવસે તેની ચર્ચા કરી.'
ભારત દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારી ગયું હતું. ટીમ ઈન્ડિયા આ હારથી ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની મેચ પછી, ટીમ મેનેજમેન્ટે તેમની ભૂલ સુધારી. ત્યારપછી અક્ષર પટેલને ઝિમ્બાબ્વે સામે સુપર 8 મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો.

T20 વર્લ્ડ કપમાં અક્ષર પટેલનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. તેણે ટુર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી, 7 મેચમાં 11 વિકેટ લીધી. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 27 રનમાં 3 વિકેટ હતું. આ શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં આવ્યું.

