પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20માં મળેલી હાર પાછળનું કારણ જણાવ્યું

હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે અને T20 સીરિઝ રમી રહી છે. આ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 3-0થી હરાવી હતી. પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20 મેચમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરીના રોજ રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ડેવોન કોનવે (52 રન), ડેરીલ મિચેલ (59) અને ફિન એલન (35 રન)ની મદદથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. 177 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી. ભારત તરફથી સૌથી વધુ રન વૉશિંગટન સુંદર (50)એ બનાવ્યા. એ સિવાય સૂર્યકુમાર યાદવે 47 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તો 5 ખેલાડી એવા રહ્યા, જે ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા.

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં હાર પાછળનું કારણ જણાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘મને અંદાજો નહોતો કે અહીં પીચ પર બૉલ એટલો ટર્ન થશે. કોઇએ વિચાર્યું નહોતું કે આ વિકેટ એવી હશે. તેનાથી બંને ટીમો હેરાન રહી ગઇ. ન્યૂઝીલેન્ડે આજે સારી ક્રિકેટ રમી. નવો બૉલ જૂના બૉલથી વધુ સ્પિન થઇ રહ્યો હતો. જે પ્રકારે બૉલ સ્પિન થઇ રહ્યો હતો અને ઊછળી રહ્યો હતો, તેણે અમને ચોંકાવ્યા, પરંતુ જ્યાં સુધી હું અને સૂર્યા બેટિંગ કરી રહ્યા હતા.

અમને લાગી રહ્યું હતું કે ચેઝ કરી લઇશું. અંતમાં અમે 25 રન આપી દીધા, આ એક યુવા ટીમ છે અને અમે આ પ્રકારે જ શીખીશું.’ ભારતીય ટીમની ઇનિંગમાં વૉશિંગટન સુંદરે અડધી સદી બનાવી અને ટીમની ઇનિંગને મુશ્કેલ સમયમાં સંભાળી. ભલે ટીમ જીતી ન શકી, પરંતુ સુંદરે બધાનું દિલ જરૂર જીતી લીધું છે. સુંદરે પહેલી મેચમાં 28 બૉલમાં 178.57ની સ્ટ્રાઇક રેટથી 50 રન બનાવ્યા, જેમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ રહ્યા.

તેની ઇનિંગથી કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રભાવિત થયો. તેણે સુંદરને લઇને કહ્યું કે, જે પ્રકારે વૉશિંગટને બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કરી એમ લાગે છે કે ન્યૂઝીલેન્ડનો સામેનો ભારત સાથે નહીં વૉશિંગટન સાથે હતો. જો તે અને અક્ષર જેમ રમી રહ્યા છે એવી જ રીતે ચાલુ રાખે છે તો તેનાથી ભારતીય ક્રિકેટને ખૂબ મદદ મળશે. અમને કોઇ એવા વ્યક્તિની જરૂરિયાત હતી, જે બેટિંગ અને બોલિંગ કરી શકે. અમને ખૂબ આત્મવિશ્વાસ આપે અને તે અમને આગળ વધવામાં મદદ કરે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.