એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, નિર્ણય પર અડગ જય શાહ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચાલી રહેલી તકરાર હવે હજુ વધી ગઇ છે. BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. હવે એશિયા કપ માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. BCCIના આ નિર્ણયે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ અગાઉ રમીઝ રાજા BCCIના નિર્ણયને લઇને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.

BCCI સચિવ જય શાહ ACC મીટિંગ માટે બહરીન ગયા હતા. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, જય શાહ એશિયા કપના નિર્ણયને લઇને અત્યારે પણ અડગ છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિય કપ 2023 માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. જો કે, તેન લઇને અત્યાર સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. BCCIએ તેને લઇને કોઇ પણ પ્રકારની જાણકારી આપી નથી. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નજમ સેઠીએ ઇમરજન્સી મીટિંગની માગ કરી હતી.

આ માગને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ માની લીધી હતી. આ કારણે જય શાહ બહરીન પહોંચ્યા છે. તેમાં એશિયા કપ 2023ને લઇને નિર્ણય થવાનો હતો. પાકિસ્તાન કિરકેટ બોર્ડે એશિયા કપ માટે લેવામાં આવેલા નિર્ણય પર આપત્તિ દર્શાવી હતી. તેના પર રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય અને આ વખત એશિયા કપ પણ પાકિસ્તાની ટીમ વિના જ રમવી પડશે.

એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી રાજનૈતિક તણાવના કારણે BCCIએ ટીમને મોકલવાની ના પાડી દીધી છે. આમ પણ પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો ખાવા માટે ફાફા મારી રહ્યા છે. રિપોર્ટ મુજબ તેની પાસે માત્ર 18 દિવસ સુધી આયાત માટે બજેટ હતું. તો IMF પાસે પણ વિનંતી કરી રહ્યું છે. હાલમાં IMFની તે પાકિસ્તાનમાં જ ઉપસ્થિત છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આખરે ACC મીટિંગમાં શું નિર્ણય થાય થે. શું એશિયા કપ 2023 પાકિસ્તાનમાં જ રમાશે કે પછી કોઇક બીજી જગ્યાએ.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.