કોહલીએ WTC ફાઈનલ જેવી મેચમાં ટીમની કપ્તાની કરવી જોઈએ, શાસ્ત્રીએ કેમ કહ્યું આવું

ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી વિશે પોતાના નિવેદનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, જો કોઈ કારણસર સુકાની રોહિત શર્મા ઉપલબ્ધ ન હોય તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી મોટી મેચોમાં વિરાટ કોહલીને કેપ્ટનશિપ સોંપવી જોઈએ. શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે કોહલીને ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસની સ્થગિત રાખવામાં આવેલી છેલ્લી ટેસ્ટમાં ટીમનું સુકાન સોંપવાનું કહેવું જોઈતું હતું, કારણ કે રોહિત તે મેચ માટે ઉપલબ્ધ નહોતો.

શાસ્ત્રીએ કહ્યું, 'આટલી મોટી મેચ માટે હું ઈચ્છું છું કે, રોહિત ફિટ રહે કારણ કે તે કેપ્ટન છે. પરંતુ જો તે કોઈ કારણસર રમી શકતો નથી તો ભારતીય ટીમે તે દિશામાં વિચારવું જોઈએ. તેને પૂછવામાં આવ્યું હતું કે, જો રોહિત નહીં રમે તો કોહલીએ ટીમની કેપ્ટનશીપ કરવી જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે પણ આવું જ થવું જોઈતું હતું.

તેણે કહ્યું, 'જ્યારે રોહિત ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે મને લાગ્યું કે વિરાટ કેપ્ટન હશે.' તેણે કહ્યું, 'જો હું કોચ હોત તો મેં પણ એવું જ સૂચન કર્યું હોત. મને ખાતરી છે કે રાહુલે (દ્રવિડ) પણ આવું જ કર્યું હશે. મેં તેની સાથે વાત કરી નથી. વિરાટની કપ્તાનીમાં ભારતે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસની ઈજાને કારણે કોહલી હાલમાં ILPમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે.

ડુ પ્લેસિસ 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમી રહ્યો છે. શાસ્ત્રીએ કહ્યું, 'તે પોતાની રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. ગયા વર્ષે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા કે, શું તેને બ્રેકની જરૂર છે કે નહીં. જાણે આખી દુનિયાનો બોજ તેના ખભા પર હતો, પણ હવે તે ઉર્જા, આનંદ અને ઉત્સાહ સાથે પાછો ફર્યો છે, જે જોઈને સારું લાગે છે.'

મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્ત થયા પછી કોહલી ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો હતો. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્ષ 2019-21 માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી ફાઇનલમાં કેન વિલિયમસનની ન્યુઝીલેન્ડ ટીમ સામે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટ બાદ 2014માં ભારતના ફુલ ટાઈમ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેણે સાત વર્ષ સુધી ભારતનું નેતૃત્વ કર્યું અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી હાર્યા બાદ પદ છોડી દીધું.

ભારતીય ટીમને 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઈનલ મેચ રમવાની છે, જેના માટે પસંદગીકારોએ 24 એપ્રિલે ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.