શું મોહમ્મદ શમીનું ઈન્ટરનેશનલ કરિયર પતી ગયું?

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાવાની છે. આગામી T20 વર્લ્ડ કપ પહેલા કિવી ટીમ ભારતનો પ્રવાસ ખેડશે, જેમાં 3 વનડે અને 5 T20 મેચો રમાશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી, પરંતુ શનિવારે (3 જાન્યુઆરી) BCCIની બેઠક બાદ વનડે સીરિઝ માટેના ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં ઈજાના કારણે બહાર રહેલા શુભમન ગિલ ફરી એકવાર કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે જવાબદારી સંભાળી હતી. આ સીરિઝમાં શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજની પણ વાપસી થઈ છે. જોકે, શાનદાર ફોર્મમાં હોવા છતાં મોહમ્મદ શમીને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. વારંવારની અવગણનાથી શમીની પણ ધીરજ ખૂટી રહી છે. એક્સપર્ટ્સ તો એવું કહે છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવી શમી માટે મુશ્કેલ થઈ જશે. કારણ કે તેની જગ્યાએ અનેક ઓપ્શન હાલમાં છે.

shami

વિકેટકીપર તરીકે ઋષભ પંત પર પસંદગીકારોએ ફરી વિશ્વાસ મૂક્યો છે. વિજય હજારે ટ્રોફીમાં ખરાબ ફોર્મ છતાં તેને બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનાર ઈશાન કિશનને T20 ટીમમાં તો સ્થાન મળ્યું છે, પણ વનડે માટે હજુ પ્રતિક્ષા કરવી પડશે.

શ્રેયસ અય્યર ઉપકેપ્ટન તરીકે પરત ફર્યો છે, પરંતુ BCCIએ શરત મૂકી છે કે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ તે મેદાનમાં ઉતરી શકશે. મોહમ્મદ શમીની વાત કરીએ તો, ઘરેલું ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં પસંદગીકારોએ તેને ટીમમાં સ્થાન આપ્યું નથી. અજીત અગરકરે અગાઉ ફિટનેસનું કારણ આપ્યું હતું, પરંતુ શમીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કરી હોવા છતાં તેની પસંદગી થઈ નથી.

નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ વનડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.

shami
english.mathrubhumi.com

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જાયસ્વાલ.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.