મોન્ટીએ ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી; જો આમ થશે તો બેન સ્ટોક્સ મહાન કેપ્ટન બની જશે

'બેઝબોલ વિ રોહિત શર્મા એન્ડ કંપની', ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી આગામી થોડા દિવસોમાં શરૂ થશે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ વર્ષની સૌથી મોટી અને રોમાંચક શ્રેણી બનવા જઈ રહી છે. રોહિત શર્માની ટીમને ભારતની ધરતી પર ઈંગ્લેન્ડના 'બેઝબોલ'ના પડકારનો સામનો કરવો પડશે. શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારત ટર્નિંગ પિચો પર ઇંગ્લિશ બેટ્સમેનોને ફસાવવા પર નજર રાખશે, ત્યારે બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમની જોડી તેમના નવા આક્રમક અભિગમ 'બેઝબોલ' સાથે ભારત પર હુમલો કરવા માંગશે. છેલ્લી વખત ઈંગ્લેન્ડે ભારતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે તેઓ 3-1થી શ્રેણી હારી ગયા હતા, પરંતુ આ પછી ઈંગ્લિશ ક્રિકેટમાં પલટો આવ્યો અને સ્ટોક્સ-મેક્કુલમની જોડીએ ટેસ્ટ ટીમની કમાન સંભાળી. આ જોડીએ 0-2થી પાછળ રહીને એશિઝ સિરીઝ ડ્રો કરી, આ સિવાય તેણે દુનિયાભરમાં 'બેઝબોલ'નો જાદુ ફેલાવ્યો છે. પરંતુ હવે તેની સામે પડકાર ભારતની ધરતી પર પ્રદર્શન કરવાનો રહેશે, જ્યાં તેના 'બેઝબોલ'નો જાદુ રેન્ક ટર્નર પિચો દ્વારા મંદ કરી શકાય છે.

છેલ્લા કેટલાક સમયથી 'બેઝબોલ વિ રેન્ક ટર્નર પિચો પર ભારતીય સ્પિનરોનો જાદુ' વિષય પર ચર્ચા થઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. પૂર્વ ઇંગ્લિશ સ્પિનર મોન્ટી પાનેસરને જ્યારે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે રોહિત શર્મા એન્ડ કંપનીને ચેતવણી આપી હતી. આ એ જ મોન્ટી પાનેસર છે, જે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતો જેણે ટીમ ઈન્ડિયાને ઘરની ધરતી પર છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. મોન્ટી પાનેસર તે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા બોલર હતા. મીડિયા સૂત્રો સાથેની વાતચીત દરમિયાન જ્યારે મોન્ટી પાનેસરને પૂછવામાં આવ્યું કે શું ઈંગ્લેન્ડ ભારતમાં પણ બેઝબોલનો પાવર બતાવી શકશે? તો તેનો સીધો જવાબ 'ના' હતો.

મોન્ટીએ કહ્યું, 'ના, તે (ઇંગ્લેન્ડના ખેલાડીઓ) અહીં રક્ષણાત્મક શોટ રમશે, તે કાં તો સ્વીપ અથવા રિવર્સ સ્વીપ શોટ રમતા જોવા મળશે. તે ભાગ્યે જ ભારતીય સ્પિનરો સામે ફ્રન્ટ ફૂટનો બચાવ કરતો જોવા મળશે. જો તેઓ આગળ વધીને રમશે તો, તે સ્પિન સામે અથવા સ્પિન સાથે પણ રમી શકે છે. જો કે, ભારત આ તમામ બાબતો માટે તૈયાર રહેશે.'

ભારતને ચેતવણી આપતાં તેણે વધુમાં કહ્યું, 'તમે એવું ન વિચારો કે અમે ટર્નિંગ પિચ પર વધુ પ્રભુત્વ ધરાવીએ છીએ અને અમે ઇંગ્લેન્ડને સરળતાથી હરાવીશું. ઇંગ્લેન્ડ શાનદાર ક્રિકેટ રમવા જઈ રહ્યું છે, કાં તો તે 150 રન પર ઓલઆઉટ થઈ જશે અથવા તો 50 ઓવરમાં 250 રન બનાવી દેશે. તેઓ 5 રન પ્રતિ ઓવરે રન બનાવશે અને ઓલઆઉટ થઇ જશે. ઇંગ્લેન્ડ એકદમ આક્રમક ક્રિકેટ રમવાનું છે. બેન સ્ટોક પોતાના સ્પિનર્સને કહેશે કે તેને 40 ઓવરમાં 100 રન આપ્યા પછી 5 વિકેટની જરૂર નથી, તેને 16 ઓવરમાં 100 રન આપીને તે 5 વિકેટ જોઈશે. ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં આ પ્રકારની માનસિકતા સાથે રમવા જઈ રહ્યું છે.'

મોતી પાનેસરે કહ્યું કે, 'જો ભારત ઈંગ્લેન્ડને હળવાશથી લે છે તો તે તેમના માટે ખતરાની નિશાની છે. ભારત ઘરની ધરતી પર છેલ્લી 16 ટેસ્ટ શ્રેણી જીતીને અહીં પહોંચ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઈંગ્લેન્ડ સામે ઉતરશે, પરંતુ મોન્ટીનું કહેવું છે કે, ઈંગ્લેન્ડની ટીમ હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને હવે માત્ર આક્રમક ક્રિકેટ રમે છે. તેણે એમ પણ કહ્યું કે, બેન સ્ટોક્સ ભારતમાં જીતવાની માનસિકતા લઈને આવ્યો છે, જો તે ભારતમાં ભારતને હરાવવામાં સફળ થશે તો તે મહાન કેપ્ટન બની જશે.'

મોન્ટી પાનેસરે કહ્યું, 'જો ભારત આત્મસંતુષ્ટ થઈ જાય છે અને વિચારે છે કે, અમે ઘરઆંગણે ખૂબ જ પ્રભુત્વ ધરાવીએ છીએ અને અમે આ શ્રેણી સરળતાથી જીતી લઈશું, તો મને લાગે છે કે, તે તેમના માટે જોખમી સંકેત હશે. ભારતે ઈંગ્લેન્ડને હળવાશથી ન લેવું જોઈએ. તેઓ એક છે, અને હવે તેઓ ખૂબ જ આક્રમક ટીમ છે.'

તેણે છેલ્લે કહ્યું, 'ઇંગ્લેન્ડે ટર્નિંગ પીચો પર પોતાને સાબિત કરવું પડશે અને જો બેન સ્ટોક્સ ભારત સામેની સિરીઝ જીતી લેશે, તો તે અત્યાર સુધીનો સૌથી મહાન કેપ્ટન બની જશે અને તે તેનો જ પીછો કરી રહ્યો છે. બેન સ્ટોક્સ તે ઇચ્છે છે કે તે એટલા માટે જાણીતો બને કે, ઇંગ્લેન્ડ ભારત આવ્યું અને અહીં પણ બેઝબોલને સફળ બનાવ્યો.'

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.