અશ્વિને કહ્યું- ક્યારેક મને લાગે છે કે શું IPL ક્રિકેટ પણ છે? ખૂબ પૈસા...

ભારતનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાબતે મોટું નિવેદન આપીને હાહાકાર મચાવી દીધો છે. અશ્વિને કહ્યું કે, ક્યારેક મને લાગે છે કે IPL ક્રિકેટ પણ છે? અશ્વિને ટૂર્નામેન્ટની શરૂઆત બાદ શાનદાર પ્રગતિ બાબતે વાત કરતા આ નિવેદન આપ્યું છે. IPLની 17મી સીઝનમાં રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ (RR)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે 2 વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (વર્ષ 2010 અને વર્ષ 2011) સાથે IPLની ટ્રોફી જીતી ચૂક્યો છે.

ક્લબ પાઇરી પોડકાસ્ટમાં અશ્વિને માઇકલ વૉન અને એડમ ગિલક્રિસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે. તેઓ જાહેરાત શૂટિંગ દરમિયાન પ્રેક્ટિસ કરી લે છે. રવિચંદ્રન અશ્વિને IPLમાં અત્યાર સુધી 199 મેચ રમી છે, જેમાં 172 વિકેટ લીધી છે અને 743 રન બનાવ્યા છે. તેની બોલિંગ એવરેજ 28.77 ની રહી જ્યારે ઈકોનોમી 7.01ની રહી. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, IPLમાં જ્યારે આવ્યો તો યુવા હોવાના સંબંધે મારું ધ્યાન માત્ર મોટા સ્ટાર્સ પાસે શીખવાનું હતું.

તેણે વધુમાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10 વર્ષ બાદ IPLની સ્થિતિ કેવી હશે. આટલી સીઝનમાં IPLનો હિસ્સો રહ્યા બાદ હું કહી શકું છું કે IPL ભવ્ય છે. ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે કેમ કે IPL દરમિયાન રમત પાછળ રહી જાય છે. એ એટલું મોટું છે કે અમે જાહેરાત શૂટિંગ અને સેટ્સ પર અભ્યાસ કરીને પોતાનું કામ પૂરું કરીએ છીએ. IPL અહી પહોંચી ગઈ છે. કોઈએ વિચાર્યું નહોતું કે IPL એટલી મોટી હશે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે તેને કહ્યું હતું કે IPL 1 કે 3 વર્ષથી વધુ નહીં ચાલે.

અશ્વિને સાથે જ કહ્યું કે, કોઈએ વિચાર્યું નહોતું કે IPL આ પ્રકારે પ્રગતિ કરશે. મને અત્યારે પણ સ્કોટ સ્ટાયરિસ સાથેની વાતચીત યાદ છે, જ્યારે અમે બંને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહ્યા હતા. જ્યારે તે ડેક્કન ચાર્જર્સ માટે શરૂઆતમાં રમી રહ્યો હતો, ત્યારે લાગ્યું નહોતું કે, એ 2-3 વર્ષથી વધારે ચાલશે. શરૂઆતમાં IPLમાં ખૂબ પૈસા હતા.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.