અશ્વિને કહ્યું- ક્યારેક મને લાગે છે કે શું IPL ક્રિકેટ પણ છે? ખૂબ પૈસા...

ભારતનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાબતે મોટું નિવેદન આપીને હાહાકાર મચાવી દીધો છે. અશ્વિને કહ્યું કે, ક્યારેક મને લાગે છે કે IPL ક્રિકેટ પણ છે? અશ્વિને ટૂર્નામેન્ટની શરૂઆત બાદ શાનદાર પ્રગતિ બાબતે વાત કરતા આ નિવેદન આપ્યું છે. IPLની 17મી સીઝનમાં રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ (RR)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે 2 વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (વર્ષ 2010 અને વર્ષ 2011) સાથે IPLની ટ્રોફી જીતી ચૂક્યો છે.

ક્લબ પાઇરી પોડકાસ્ટમાં અશ્વિને માઇકલ વૉન અને એડમ ગિલક્રિસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે. તેઓ જાહેરાત શૂટિંગ દરમિયાન પ્રેક્ટિસ કરી લે છે. રવિચંદ્રન અશ્વિને IPLમાં અત્યાર સુધી 199 મેચ રમી છે, જેમાં 172 વિકેટ લીધી છે અને 743 રન બનાવ્યા છે. તેની બોલિંગ એવરેજ 28.77 ની રહી જ્યારે ઈકોનોમી 7.01ની રહી. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, IPLમાં જ્યારે આવ્યો તો યુવા હોવાના સંબંધે મારું ધ્યાન માત્ર મોટા સ્ટાર્સ પાસે શીખવાનું હતું.

તેણે વધુમાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10 વર્ષ બાદ IPLની સ્થિતિ કેવી હશે. આટલી સીઝનમાં IPLનો હિસ્સો રહ્યા બાદ હું કહી શકું છું કે IPL ભવ્ય છે. ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે કેમ કે IPL દરમિયાન રમત પાછળ રહી જાય છે. એ એટલું મોટું છે કે અમે જાહેરાત શૂટિંગ અને સેટ્સ પર અભ્યાસ કરીને પોતાનું કામ પૂરું કરીએ છીએ. IPL અહી પહોંચી ગઈ છે. કોઈએ વિચાર્યું નહોતું કે IPL એટલી મોટી હશે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે તેને કહ્યું હતું કે IPL 1 કે 3 વર્ષથી વધુ નહીં ચાલે.

અશ્વિને સાથે જ કહ્યું કે, કોઈએ વિચાર્યું નહોતું કે IPL આ પ્રકારે પ્રગતિ કરશે. મને અત્યારે પણ સ્કોટ સ્ટાયરિસ સાથેની વાતચીત યાદ છે, જ્યારે અમે બંને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહ્યા હતા. જ્યારે તે ડેક્કન ચાર્જર્સ માટે શરૂઆતમાં રમી રહ્યો હતો, ત્યારે લાગ્યું નહોતું કે, એ 2-3 વર્ષથી વધારે ચાલશે. શરૂઆતમાં IPLમાં ખૂબ પૈસા હતા.

About The Author

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.