અશ્વિને કહ્યું- ક્યારેક મને લાગે છે કે શું IPL ક્રિકેટ પણ છે? ખૂબ પૈસા...

ભારતનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાબતે મોટું નિવેદન આપીને હાહાકાર મચાવી દીધો છે. અશ્વિને કહ્યું કે, ક્યારેક મને લાગે છે કે IPL ક્રિકેટ પણ છે? અશ્વિને ટૂર્નામેન્ટની શરૂઆત બાદ શાનદાર પ્રગતિ બાબતે વાત કરતા આ નિવેદન આપ્યું છે. IPLની 17મી સીઝનમાં રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ (RR)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે 2 વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (વર્ષ 2010 અને વર્ષ 2011) સાથે IPLની ટ્રોફી જીતી ચૂક્યો છે.

ક્લબ પાઇરી પોડકાસ્ટમાં અશ્વિને માઇકલ વૉન અને એડમ ગિલક્રિસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે. તેઓ જાહેરાત શૂટિંગ દરમિયાન પ્રેક્ટિસ કરી લે છે. રવિચંદ્રન અશ્વિને IPLમાં અત્યાર સુધી 199 મેચ રમી છે, જેમાં 172 વિકેટ લીધી છે અને 743 રન બનાવ્યા છે. તેની બોલિંગ એવરેજ 28.77 ની રહી જ્યારે ઈકોનોમી 7.01ની રહી. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, IPLમાં જ્યારે આવ્યો તો યુવા હોવાના સંબંધે મારું ધ્યાન માત્ર મોટા સ્ટાર્સ પાસે શીખવાનું હતું.

તેણે વધુમાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10 વર્ષ બાદ IPLની સ્થિતિ કેવી હશે. આટલી સીઝનમાં IPLનો હિસ્સો રહ્યા બાદ હું કહી શકું છું કે IPL ભવ્ય છે. ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે કેમ કે IPL દરમિયાન રમત પાછળ રહી જાય છે. એ એટલું મોટું છે કે અમે જાહેરાત શૂટિંગ અને સેટ્સ પર અભ્યાસ કરીને પોતાનું કામ પૂરું કરીએ છીએ. IPL અહી પહોંચી ગઈ છે. કોઈએ વિચાર્યું નહોતું કે IPL એટલી મોટી હશે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે તેને કહ્યું હતું કે IPL 1 કે 3 વર્ષથી વધુ નહીં ચાલે.

અશ્વિને સાથે જ કહ્યું કે, કોઈએ વિચાર્યું નહોતું કે IPL આ પ્રકારે પ્રગતિ કરશે. મને અત્યારે પણ સ્કોટ સ્ટાયરિસ સાથેની વાતચીત યાદ છે, જ્યારે અમે બંને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહ્યા હતા. જ્યારે તે ડેક્કન ચાર્જર્સ માટે શરૂઆતમાં રમી રહ્યો હતો, ત્યારે લાગ્યું નહોતું કે, એ 2-3 વર્ષથી વધારે ચાલશે. શરૂઆતમાં IPLમાં ખૂબ પૈસા હતા.

About The Author

Top News

2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

શિરોમણી અકાલી દળ (SAD) સાથે સમાધાન અંગેની અટકળોનો અંત લાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જાહેરાત કરી...
Politics 
2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના...
Opinion 
દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- ‘કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ...’ એટલે કે ભલે ગમે તેટલી...
Gujarat 
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ...
Tech and Auto 
સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

Opinion

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે...
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.