રવિ શાસ્ત્રીએ પસંદ કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પ્લેઇંગ XI

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની બીજી સીઝનની ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમના 15 સભ્યોની ટીમની પહેલા જ જાહેરાત થઈ ચૂકી છે. તો હવે પ્લેઇંગ ઇલેવનને લઈને સતત ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેને લઈને હવે ભારતીય દિગ્ગજ અને ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પોતાની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી લીધી છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ઑપનર શભમન ગિલ સહિત ઘણા સીનિયર ખેલાડી મોહમ્મદ શમી વગેરે અત્યારે  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્લેઓફ રમી રહ્યા છે.

આ ખેલાડી 28 મે બાદ લંડન જવા રવાના થશે. તો વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ બુધવારે રવાના થવાના સમાચાર સામે આવ્યા હતા. લંડનના કેનિંગ્ટન ઓવલમાં થનારી આ મોટી મેચ અગાઉ ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી લીધી છે. તેમનું માનવું છે કે, આ મોટી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના મજબૂત પક્ષ સાથે ઊતરવું જોઈએ અને રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બંનેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં ઇંગ્લેન્ડના પ્રવાસ પર રવિ શાસ્ત્રીના કોચ રહેતા જ ઓવલમાં ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુ તેમાં ફાસ્ટ બોલરો જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને શાર્દૂલ ઠાકુર સિવાય તાત્કાલીન ઉપકેપ્ટન રોહિત શર્માની સદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વખત જસપ્રીત બૂમરાહ ટીમનો હિસ્સો નથી. રવિ શાસ્ત્રીએ ફાઇનલ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરતા કહ્યું કે, બૂમરાહની ગેરહજરીથી ભારતને ઝટકો લાગ્યો છે અને એવામાં ટીમે એક અન્ય સ્પિનર સાથે ઊતરવું જોઈએ.

રવિ શાસ્ત્રીએ ICCના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતે ગત વખત ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું, કેમ કે ત્યારે ટીમમાં જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ હતા. આ પ્રકારે તમારી પાસે 4 ફાસ્ટ બોલર હતા. જેમાંથી શાર્દૂલના રૂપમાં ઓલરાઉન્ડર હતો. જો તમારો ફાસ્ટ બોલિંગ આક્રમણ વધારે સારું નથી. જો તમને લાગે છે કે કેટલાક ફાસ્ટ બોલર ઉંમરવાન થઈ ગયા છે અને પહેલાંની જેમ ઝડપથી બોલિંગ કરી શકતા નથી તો પછી તમારે 2 સ્પિનર સાથે ઊતરવું જોઈએ કેમ કે અશ્વિન અને જાડેજા બંને જ સારા સ્પિનર છે.

WTC માટે રવિ શાસ્ત્રીની પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.