ભારતીય ટીમના પૂર્વ કોચ બોલ્યા-આગામી T20 WCની કેપ્ટન્સી પંડ્યાને સોંપવી જોઈએ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, આગામી વર્ષે થનારા આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની T20 ક્રિકેટ ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપી દેવી જોઈએ. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે, BCCIએ એ જ માર્ગનો ઉપયોગ કરવો જોએ, જે માર્ગનો ઉપયોગ તેણે વર્ષ 2007માં થયેલા પહેલા T20 વર્લ્ડ કપ અગાઉ કર્યો હતો અને યુવા મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રવિ શાસ્ત્રીએ એક સ્પોર્ટ્સ ચેનલના કાર્યક્રમ પર વાતચીત કરતા કહ્યું હતું કે, ‘દરેક રમવા માટે ક્વાલિફાઈ કરી શકે છે, પરંતુ મને લાગે છે કે હાર્દિક ટીમનું નેતૃત્વ કરશે. આગામી 2 વર્લ્ડ કપ (વર્ષ 2023 વન-ડે વર્લ્ડ કપ બાદ) છે એટલે જો અનફિટ ન હોય, તો પોતાનું કામ કરતો રહેશે. એવામાં મને લાગે છે કે, જો તેઓ (સિલેક્ટર્સ) એક નવી દિશામાં જોશે. આ સમયે યુવાઓમાં ખૂબ પ્રતિભા છે. તમારી પાસે ઘણી હદ સુધી નવી ટીમ હોય શકે છે, નવી નહીં તો કેટલાક નવા ચહેરા જરૂર હશે.

જો કે, ઘણા બધા ખેલાડી એવા હશે જે ભારત માટે અંતિમ T20 મેચ રમશે, પરંતુ કેટલાક નવા ચહેરા પણ નજરે પડશે કેમ કે આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જે આપણે જોયું તેમાં ઘણા બધા નવા યુવા ખેલાડી ટેલેન્ટ છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ભારતે વર્ષ 2007 વર્લ્ડ કપ જેવો માર્ગ અપનાવવો જોઈએ, જેમાં ભારતે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ જેવા કેટલાક મોટા ખેલાડીઓને બહાર રાખીને યુવા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં એક યુવા ટીમને વર્લ્ડ કપમાં મોકલી હતી અને એ ટીમે પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો.

તેની બાબતે વાત કરતા ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તેઓ વર્ષ 2007ના માર્ગ પર ચાલશે, જ્યાં તેઓ પ્રતિભાની ઓળખ કરશે અને સિલેક્શન બાબતે હાર્દિક પંડ્યા પાસે ઘણા વિકલ્પ હશે. કેમ કે તેના વિચાર અલગ હશે, તેણે એક ફ્રેન્ચાઇઝી કેપ્ટનના રૂપમાં IPL રમી છે અને ઘણા અન્ય ખેલાડીઓને જોયા છે. તેમની પાસે તેમના ઈનપુટ હશે. એવામાં હવે એ જોવાનું હશે કે હાર્દિક પંડ્યાને BCCI T20 ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સોંપે છે કે નહીં અને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કેટલા નવા અને યુવા ખેલાડી સાથે ટૂર્નામેન્ટ રમવા જાય છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.