સદી પર સદી... ડોમેસ્ટિક ક્રિકેટનો બાદશાહ સરફરાઝ ખાન! સિલેક્ટરો હજુ તેની પાસે શું ઇચ્છે છે?

ઘણી વખત તો ક્રિકેટની સાચી વાર્તાઓ સ્ટેડિયમની ફ્લડલાઇટ્સ નીચે નહીં, પરંતુ ઘર આંગણેના મેદાનોની ધૂળમાં લખેલી હોય છે. સરફરાઝ ખાન આજે તે વાર્તાનું નામ છે. તેના રન બોલી રહ્યા છે, આંકડા ચીસો પાડી રહ્યા છે, છતાં પણ પસંદગીકારો તરફથી મૌન છવાયેલું છે.

ભારતીય ક્રિકેટમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ડોમેસ્ટિક ક્રિકેટ પ્રદર્શનનું પ્રથમ પગલું છે. પરંતુ સરફરાઝ ખાનની વાર્તા તે દાવાની સૌથી મુશ્કેલ કસોટી બની ગઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેનું બેટ કોઈ ચેતવણીની જેમ ચાલ્યું હતું, જાણે તેની દરેક ઇનિંગ પૂછી રહી હતી કે, શું હજુ પણ તેણે કંઈક સાબિત કરવાનું બાકી છે.

Sarfaraz-Khan5
rajexpress.com

100 (47), 52 (40), 64 (25), 73 (22)... આ ફક્ત સ્કોર નથી. તે એક બેટ્સમેનની માનસિકતાનો પુરાવો છે, જે T20 ક્રિકેટના ધબકારાને સમજે છે, ક્યારે જોખમ લેવાનું છે, ક્યારે સ્ટ્રાઇક ફેરવવાની છે અને ક્યારે એકલા હાથે મેચ પૂરી કરવી. સરફરાઝ દરેક ભૂમિકામાં પોતાને ફિટ બેસાડતો હોય તેવું લાગતું હતું. બોલરો પર દબાણ લાવવાની વાત હોય કે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચવાની વાત હોય, તે ક્યારેય ગભરાયો નહીં કે પાછળ હટ્યો નહીં.

...અને હવે જ્યારે વાત 50 ઓવરના ક્રિકેટની આવી છે, ત્યારે વિજય હજારે ટ્રોફીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થઇ ગયું. 55 (49), એક જવાબદાર, પરિસ્થિતિને અનુરૂપ થઈને રમાયેલી ઇનિંગ અને પછી 157 (75), એક ઇનિંગ જેમાં ધીરજ અને વિસ્ફોટકતા બંનેનો સમાવેશ થાય છે. આ તે સંતુલન છે, જે દરેક પસંદગીકાર અને દરેક કેપ્ટન ઇચ્છે છે. સરફરાઝે દર્શાવ્યું કે તે ફક્ત 'હાર્ડ-હિટર' નથી, પરંતુ રમતની સમજ ધરાવતો બેટ્સમેન છે, જે પરિસ્થિતિને અનુરૂપ થઈ શકે છે.

Sarfaraz-Khan
Sarfaraz Khan

આ ફોર્મ જોઈને, રવિચંદ્રન અશ્વિન પણ ચૂપ રહી શક્યો નહીં. X પર તેની પ્રતિક્રિયા ફક્ત એક અભિપ્રાય નહોતો, પરંતુ સિસ્ટમ માટે એક ઈશારો પણ હતો. અશ્વિને સ્પષ્ટપણે કહ્યું કે, સરફરાઝને ચોક્કસપણે CSKની પ્લેઇંગ ઇલેવનમાં, અથવા ઓછામાં ઓછું એક પ્રભાવશાળી ખેલાડી તરીકે ધ્યાનમાં લેવો જોઈએ. તેમના મતે, તેના વર્તમાન ફોર્મમાં, 28 વર્ષીય બેટ્સમેન CSK માટે 'કિંમતી સંપત્તિ' સાબિત થઈ શકે છે. સરફરાઝ પાસે આધુનિક T20 ક્રિકેટનો અનુભવ અને સમજણ બંનેનો દુર્લભ સમન્વય છે.

અશ્વિને આ બહાને એક મોટી ચર્ચા શરૂ કરવા માટે હવા પણ આપી દીધી છે, ODI ક્રિકેટનું ભવિષ્ય. વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની અચાનક વાપસીથી દર્શકોમાં રસ જાગ્યો. અશ્વિનનો મુદ્દો સ્પષ્ટ હતો, રમત ભલે સિસ્ટમ કરતાં મોટી હોઈ શકે છે, પરંતુ ક્યારેક મોટા નામો રમતને જીવંત રાખે છે. સવાલ એ છે કે જ્યારે આ નામો ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે, ત્યારે જવાબદારી કોણ લેશે? આ તે જગ્યા છે જ્યાં સરફરાઝ જેવા ખેલાડીઓનું મહત્વ સામે આવે છે, જે ભવિષ્ય છે, છતાં હાલમાં અવગણવામાં આવે છે.

Sarfaraz-Khan3
hindi.news18.com

દિલીપ વેંગસરકરે પણ આ ઉપેક્ષા પર ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે પસંદગીકારોની ટીકા કરતા કહ્યું કે, સરફરાઝની વારંવાર ઉપેક્ષા સમજણ બહાર છે. ઘરેલુ ક્રિકેટમાં વર્ષ-દર-વર્ષ સાતત્ય અને ભારત માટે મળેલી મર્યાદિત તકોમાં માનનીય યોગદાન હોવા છતાં, તેણે હજુ પણ દરેક સિઝનમાં પોતાના સ્થાન માટે લડવું પડ્યું. તેણે 2024માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું, પરંતુ 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એક પણ મેચ ન રમાડવામાં આવી, અને પછી ચુપચાપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો.

સરફરાઝે આ મૌનનો જવાબ ફરિયાદોથી આપ્યો નહીં. તેણે સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા નહીં, કે પ્રેસ કોન્ફરન્સમાં નારાજગી દર્શાવી નહીં. તેણે જીમ પસંદ કર્યું. તેણે પરસેવો પસંદ કર્યો. તેણે ફિટનેસ પસંદ કરી. તેણે વજન ઘટાડ્યું, પોતાને બદલી નાંખ્યો અને પોતાને ફરીથી ઘડ્યો, કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે તે તેની આ ખામી છે. પરંતુ જ્યારે ફિટનેસ પાછી આવી, ત્યારે પણ તેને તક મળી નહીં. વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં તેની અવગણના ચાલુ રહી, જેના કારણે પસંદગી પ્રક્રિયા પર વધુ સવાલો ઉભા થયા.

Sarfaraz-Khan2
ndtv.in

આજે, સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટ પર વર્ચસ્વ જમાવી દીધું છે. તેની પાસે રન છે, ફોર્મ છે અને જુસ્સો છે. સવાલ માત્ર એ છે કે, શું ભારતીય ક્રિકેટ સિસ્ટમ, દરવાજો ખટખટાવતા તેણે સાંભળશે? કે પછી આ વાર્તા પણ એ જ ધૂળમાં દબાવી દેવામાં આવશે, જેમાંથી સરફરાઝ હંમેશા રન બનાવીને તેમની સામે આવે પાછો છે?

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.