હવે દેશો વચ્ચે ટેનિસ બોલથી રમાશે ક્રિકેટ... સાઉદી અરબ કરી રહી છે નવી T20 લીગ માટે ICC સાથે વાતચીત

બીજી ગ્લોબલ T20 લીગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે, જેમાં ફ્રેન્ચાઇઝી હશે, પરંતુ આ રાષ્ટ્ર આધારિત ફ્રેન્ચાઇઝી હશે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC સાથે ચર્ચા ચાલી રહી છે. સાઉદી અરબ લીગમાં એક મોટો રોકાણકાર બની શકે છે, જ્યારે એક ઓસ્ટ્રેલિયન દિગ્ગજ કંપનીએ લીગ શરૂ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગમન અને તેની સફળતા પછી, દરેક વ્યક્તિ T20 લીગ દ્વારા પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયન દૈનિક સમાચારપત્ર અનુસાર, ટેનિસથી પ્રેરિત આઠ ટીમોની લીગ આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ યોજાવાની ચર્ચામાં છે. સાઉદી અરબના SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ, જે 1 ટ્રિલિયન US ડૉલરના વેલ્થ ફંડની સ્પોર્ટ્સ શાખા છે, તેણે પહેલાથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.

New-T20-League
prabhatkhabar.com

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ લીગની કલ્પના ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નીલ મેક્સવેલ દ્વારા કરવામાં આવી હતી, જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ સભ્ય પણ છે. તે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનું સંચાલન પણ કરે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ઘણા રોકાણકારો લીગને ટેકો આપવા તૈયાર છે, જેમાં સાઉદી અરબ સૌથી મોટું છે, જે તેના માટે  0.5 બિલિયન US ડૉલર ખર્ચ કરવા તૈયાર છે.

New-T20-League3
sportsyaari.com

આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય વધારાની આવક ઊભી કરવાનો છે, જેનો ઉપયોગ ત્રણ મોટી ટીમો: ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ઉપરાંત અન્ય દેશો માટે ટેસ્ટ ક્રિકેટને ટકાઉ ફોર્મેટ બનાવવામાં મદદ કરવા માટે કરવામાં આવશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ લીગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ અને બિગ બેશ લીગ જેવી પહેલાથી જ ચાલી રહેલી T20 સ્પર્ધાઓ વચ્ચે ખાલી પડેલી વિંડોમાં યોજાશે.

New-T20-League1
ndtv.in

આ સ્પર્ધામાં રમત અપનાવનારા દેશોમાં નવી ફ્રેન્ચાઇઝીઓ તેમજ નવા બજારો તરીકે સેવા આપી શકે તેવા દેશોનો સમાવેશ થશે અને મોટી ફાઇનલ સાઉદી અરબમાં પણ યોજાઈ શકે છે. આ લીગને ICCની મંજૂરીની જરૂર પડશે, જેના ચેરમેન જય શાહ છે અને તેઓ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની હાજરી BCCIને ભારતીય ખેલાડીઓની ભાગીદારીને મંજૂરી આપવા માટે મનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જે ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ લીધી નથી તેમના પર IPL સિવાય અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related Posts

Top News

સચિન તેંદુલકરે જીત્યું દિલ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં કાયમ રહેશે પટૌડીનો વારસો

ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની ધરતી પર 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝથી શુભમન ગિલ...
Sports 
સચિન તેંદુલકરે જીત્યું દિલ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં કાયમ રહેશે પટૌડીનો વારસો

એર ઇન્ડિયા વિમાન ક્રેશ વિશે અમેરિકાના એવિએશન નિષ્ણાતે શું કહ્યું?

એર ઇન્ડિયાના વિમાન ક્રેશને લઇને સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકન નેવીના નિવૃત અધિકારી અને...
World 
એર ઇન્ડિયા વિમાન ક્રેશ વિશે અમેરિકાના એવિએશન નિષ્ણાતે શું કહ્યું?

શું ક્રૅશ થયેલી 787 ડ્રીમ લાઇનરનું મેન્ટેનન્સ તુર્કીની કંપનીએ કર્યુ હતું? જાણો હકીકત

એર ઇન્ડિયા વિમાન ક્રેશ પછી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે એર ઇન્ડિયાના 787 ડ્રીમ લાઇનરનું સર્વિસ...
National 
શું ક્રૅશ થયેલી 787 ડ્રીમ લાઇનરનું મેન્ટેનન્સ તુર્કીની કંપનીએ કર્યુ હતું? જાણો હકીકત

માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાનની તારીખ 19 જૂન છે અને 23 જૂને મત ગણતરી થવાની છે. વિસાવદર પર ત્રિપાંખીયો જંગ...
Politics 
માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.