મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને 9 આતંકી ઠેકાણા તબાહ કરી દીધા. આ વાત પાકિસ્તાનને હજમ ન થઈ. ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું અને તેણે સામાન્ય નાગરિકો અને રેસિડેન્સિયલ વિસ્તારોમાં હુમલો કરવાનો ચાલુ કરી દીધો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં તેના નૂર ખાન એરબેઝ અન્ય એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાન અન્ય દેશો સામે આજીજી કરવા લાગ્યું કે કોઈ તો ભારતને રોકો! અને પછી પાકિસ્તાને ભારત સામે ઘૂંટણ ટેકવી દીધા અને સીઝફાયર માટે વાતચીત કરી. 10 મેના રોજ બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી યુદ્ધવિરામ થયો.

operation sindoor
barandbench.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા આ મિની યુદ્ધમાં ઇબકોટ ગામની મસ્જિદને નુકસાન થયું હતું. તેને સારી કરવામાં ભારતીય સેનાએ મદદ કરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી તાજેતરની લડાઈમાં મસ્જિદને નુકસાન થયું હતું. સીમા પારથી થયેલા ગોળીબાર દરમિયાન મસ્જિદની છતને નુકસાન થયું હતું અને સોલાર પ્લેટ સિસ્ટમ પણ બર્બાદ થઈ ગઈ હતી. આ દરમિયાન નમાઝ વાંચવાની જગ્યાએ સાદડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.  મસ્જિદને થયેલા નુકસાનથી સ્થાનિક સમુદાય નારાજ હતો. તેમને નમાઝ વાંચવા અને ધાર્મિક સભાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જોઈને ભારતીય સેના મદદ માટે સામે આવી.

masjid
aajtak.in

સેનાએ છતનું સમારકામ કરાવ્યું, સૌર ઉર્જા પ્લેટો ફરીથી લગાવી અને હુમલામાં ખરાબ થયેલી સાદડીની જગ્યાએ નવી સાદડી મૂકી. હવે મસ્જિદ ફરી એક વખત સમુદાય માટે તૈયાર છે. આ મદદ સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખે અને માનવીય મદદ આપવા માટે ભારતીય સેનાના પ્રયાસોનો એક હિસ્સો છે. ઇબકોટના ગ્રામજનોએ સેનાની તાત્કાલિક કાર્યવાહી અને સહાનુભૂતિ માટે આભાર માન્યો. સમુદાયના વૃદ્ધોએ ન માત્ર વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં, પરંતુ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભા રહેવામાં પણ સેનાની ભૂમિકાની પ્રશંસા કરી.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.