મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને 9 આતંકી ઠેકાણા તબાહ કરી દીધા. આ વાત પાકિસ્તાનને હજમ ન થઈ. ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું અને તેણે સામાન્ય નાગરિકો અને રેસિડેન્સિયલ વિસ્તારોમાં હુમલો કરવાનો ચાલુ કરી દીધો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં તેના નૂર ખાન એરબેઝ અન્ય એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાન અન્ય દેશો સામે આજીજી કરવા લાગ્યું કે કોઈ તો ભારતને રોકો! અને પછી પાકિસ્તાને ભારત સામે ઘૂંટણ ટેકવી દીધા અને સીઝફાયર માટે વાતચીત કરી. 10 મેના રોજ બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી યુદ્ધવિરામ થયો.

operation sindoor
barandbench.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા આ મિની યુદ્ધમાં ઇબકોટ ગામની મસ્જિદને નુકસાન થયું હતું. તેને સારી કરવામાં ભારતીય સેનાએ મદદ કરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી તાજેતરની લડાઈમાં મસ્જિદને નુકસાન થયું હતું. સીમા પારથી થયેલા ગોળીબાર દરમિયાન મસ્જિદની છતને નુકસાન થયું હતું અને સોલાર પ્લેટ સિસ્ટમ પણ બર્બાદ થઈ ગઈ હતી. આ દરમિયાન નમાઝ વાંચવાની જગ્યાએ સાદડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.  મસ્જિદને થયેલા નુકસાનથી સ્થાનિક સમુદાય નારાજ હતો. તેમને નમાઝ વાંચવા અને ધાર્મિક સભાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જોઈને ભારતીય સેના મદદ માટે સામે આવી.

masjid
aajtak.in

સેનાએ છતનું સમારકામ કરાવ્યું, સૌર ઉર્જા પ્લેટો ફરીથી લગાવી અને હુમલામાં ખરાબ થયેલી સાદડીની જગ્યાએ નવી સાદડી મૂકી. હવે મસ્જિદ ફરી એક વખત સમુદાય માટે તૈયાર છે. આ મદદ સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખે અને માનવીય મદદ આપવા માટે ભારતીય સેનાના પ્રયાસોનો એક હિસ્સો છે. ઇબકોટના ગ્રામજનોએ સેનાની તાત્કાલિક કાર્યવાહી અને સહાનુભૂતિ માટે આભાર માન્યો. સમુદાયના વૃદ્ધોએ ન માત્ર વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં, પરંતુ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભા રહેવામાં પણ સેનાની ભૂમિકાની પ્રશંસા કરી.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
National 
સુપ્રીમ કોર્ટે કહી દીધું, બિહારના વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવેલા 65 લાખ લોકોના નામ જાહેર કરો અને...

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.