મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને 9 આતંકી ઠેકાણા તબાહ કરી દીધા. આ વાત પાકિસ્તાનને હજમ ન થઈ. ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું અને તેણે સામાન્ય નાગરિકો અને રેસિડેન્સિયલ વિસ્તારોમાં હુમલો કરવાનો ચાલુ કરી દીધો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં તેના નૂર ખાન એરબેઝ અન્ય એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાન અન્ય દેશો સામે આજીજી કરવા લાગ્યું કે કોઈ તો ભારતને રોકો! અને પછી પાકિસ્તાને ભારત સામે ઘૂંટણ ટેકવી દીધા અને સીઝફાયર માટે વાતચીત કરી. 10 મેના રોજ બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી યુદ્ધવિરામ થયો.

operation sindoor
barandbench.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા આ મિની યુદ્ધમાં ઇબકોટ ગામની મસ્જિદને નુકસાન થયું હતું. તેને સારી કરવામાં ભારતીય સેનાએ મદદ કરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી તાજેતરની લડાઈમાં મસ્જિદને નુકસાન થયું હતું. સીમા પારથી થયેલા ગોળીબાર દરમિયાન મસ્જિદની છતને નુકસાન થયું હતું અને સોલાર પ્લેટ સિસ્ટમ પણ બર્બાદ થઈ ગઈ હતી. આ દરમિયાન નમાઝ વાંચવાની જગ્યાએ સાદડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.  મસ્જિદને થયેલા નુકસાનથી સ્થાનિક સમુદાય નારાજ હતો. તેમને નમાઝ વાંચવા અને ધાર્મિક સભાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જોઈને ભારતીય સેના મદદ માટે સામે આવી.

masjid
aajtak.in

સેનાએ છતનું સમારકામ કરાવ્યું, સૌર ઉર્જા પ્લેટો ફરીથી લગાવી અને હુમલામાં ખરાબ થયેલી સાદડીની જગ્યાએ નવી સાદડી મૂકી. હવે મસ્જિદ ફરી એક વખત સમુદાય માટે તૈયાર છે. આ મદદ સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખે અને માનવીય મદદ આપવા માટે ભારતીય સેનાના પ્રયાસોનો એક હિસ્સો છે. ઇબકોટના ગ્રામજનોએ સેનાની તાત્કાલિક કાર્યવાહી અને સહાનુભૂતિ માટે આભાર માન્યો. સમુદાયના વૃદ્ધોએ ન માત્ર વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં, પરંતુ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભા રહેવામાં પણ સેનાની ભૂમિકાની પ્રશંસા કરી.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.