આફ્રિદીનો લવારો- ભારતમાં થયો હતો પાકિસ્તાન ક્રિકેટ ટીમની બસ પર હુમલો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હાલમાં જ દાવો કર્યો છે કે, વર્ષ 2005માં બેંગ્લોરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમની બસ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. શાહિદ આફ્રિદીએ હાલમાં જ પાકિસ્તાનમાં એક અન્ય પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાક સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે એ દરમિયાન પાકિસ્તાનની ટીમ 3 ટેસ્ટ અને 6 મેચોની વન-ડે સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. ટેસ્ટ સીરિઝ તો 1-1 થી ડ્રો રહી, પરંતુ વન-ડે સીરિઝ પર મહેમાનોને 4-2 થી કબજો કર્યો હતો.

વર્ષ 2005માં થયેલી એ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ હતી, જે ડ્રો રહી હતી. ત્યારબાદ ભારતીય ટીમે ઇડન ગાર્ડન્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટને 195 રનોના અંતરથી જીતને સીરિઝમાં 1-0થી લીડ બનાવી હતી. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. જ્યાં પાકિસ્તાને ભારતને 168 રનોથી હરાવીને સીરિઝ ડ્રો કરાવી હતી. શાહિદ આફ્રિદીએ પોતાના નિવેદનમાં આ જ ટેસ્ટનો ઉલ્લેખ કર્યો છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, એ અમારા માટે દબાવની ક્ષણ હતી.

અમે ચોગ્ગા અને છગ્ગા મારતા હતા અને કોઈ અમારા માટે તાળી વગાડતું નહોતું. અબ્દુલ રજ્જાકને યાદ હોય તો ત્યારે અમે બેંગ્લોરમાં ટેસ્ટ મેચ જીતી હતી તો અમારી બસ પર પથ્થરમારો થયો હતો. દબાવ હંમેશાં રહે છે અને તમારે એ દબાવનો આનંદ લેવો જોઈએ. પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરે તેની સાથે એમ પણ કહ્યું કે, પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ 2023 માટે ભારત જાય અને જીતીને પાછું જવું જોઈએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અત્યાર સુધી એ સુનિશ્ચિત કર્યું નથી કે તેની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે કે નહીં.

એવામાં ઘણા પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાનને વર્લ્ડ કપ 2023નું બૉયકોટ કરવા માટે પણ કહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાને વર્લ્ડ કપ માટે ભારત ન જવું જોઈએ, બૉયકોટ કરવું જોઈએ. પરંતુ હું તેની એકદમ વિરુદ્ધ છું. મને લાગે છે કે, આપણે ત્યાં જવું જોઈએ અને મેચ જીતવી જોઈએ. શાહિદ આફ્રિદીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 398 વન-ડે અને 99 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 1716, 8064 અને 1416 રન બનાવ્યા છે, જ્યારે તેણે ટેસ્ટમાં 48, વન-ડેમાં 395 અને T20 ઇન્ટરનેશનલમાં 98 વિકેટ પોતાના નામે કરી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.