'મેં તેને કેપ્ટન બનાવ્યો..', ગાંગુલીએ રોહિતની કેપ્ટન્સીને લઈને આપ્યું નિવેદન

On

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. તેની સાથે જ પૂર્વ BCCI અધ્યક્ષે જણાવ્યું કે, તેમણે રોહિત શર્માને એટલે કેપ્ટન બનાવ્યો કેમ કે તેમણે તેનામાં કુશળતા જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં રોહિત શર્માને વન-ડે અને T20ની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેના લગભગ એક મહિના અગાઉ રોહિત શર્માને ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી સોંપી દેવામાં આવી હતી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્ષ 2022માં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ (WTC)માં પહોંચી હતી. ગયા વર્ષે તેની આગેવાનીમાં જ ભારતીય ટીમ ICC વન-ડે વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી. સૌરવ ગાંગુલીએ રેવસ્પોર્ટ્સ સાથે વાતચીતમાં રોહિત શર્માના વખાણ કર્યા. સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને કહ્યું કે, 'રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. જુઓ તેણે વિશ્વમાં કયા પ્રકારની કેપ્ટન્સી કરી.

તેમણે વધુમાં કહ્યું કે, રોહિત ભારતને ફાઇનલમાં લઈને ગયો અને મને લાગે છે કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ફાઇનલ હારવા અગાઉ સુધી સૌથી શાનદાર ટીમ હતી. તે એક સારો કેપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી છે અને મને કોઈ આશ્ચર્ય નથી કે તેણે જે પ્રકારે ટીમની આગેવાની કરી છે. તે જ્યારે કેપ્ટન બન્યો તો હું અધ્યક્ષ હતો અને હું તેનાથી હેરાન નથી કે તેણે કયા પ્રકારે ટીમની આગેવાની કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હા મેં તેને કેપ્ટન બનાવ્યો કેમ કે મને તેમાં એ કુશળતા દેખાઈ અને તેણે જે કર્યું છે તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આ સીરિઝમાં 3-1થી આગળ છે, અને સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાવાની છે. ઇંગ્લેન્ડના પ્રવાસથી પહેલા બેઝબૉલને લઈને ખૂબ ચર્ચા હતી, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સામે બેઝબૉલે એક પ્રકારે સરેન્ડર કરી દીધું.

Related Posts

Top News

સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો

ડોનાલ્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી રહ્યા છે. અનેક ભારતીયોને પણ પાછા મોકલવામાં આવ્યા છે અને...
World 
સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર
Copyright (c) Khabarchhe All Rights Reserved.