'મેં તેને કેપ્ટન બનાવ્યો..', ગાંગુલીએ રોહિતની કેપ્ટન્સીને લઈને આપ્યું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. તેની સાથે જ પૂર્વ BCCI અધ્યક્ષે જણાવ્યું કે, તેમણે રોહિત શર્માને એટલે કેપ્ટન બનાવ્યો કેમ કે તેમણે તેનામાં કુશળતા જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં રોહિત શર્માને વન-ડે અને T20ની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેના લગભગ એક મહિના અગાઉ રોહિત શર્માને ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી સોંપી દેવામાં આવી હતી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્ષ 2022માં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ (WTC)માં પહોંચી હતી. ગયા વર્ષે તેની આગેવાનીમાં જ ભારતીય ટીમ ICC વન-ડે વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી. સૌરવ ગાંગુલીએ રેવસ્પોર્ટ્સ સાથે વાતચીતમાં રોહિત શર્માના વખાણ કર્યા. સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને કહ્યું કે, 'રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. જુઓ તેણે વિશ્વમાં કયા પ્રકારની કેપ્ટન્સી કરી.

તેમણે વધુમાં કહ્યું કે, રોહિત ભારતને ફાઇનલમાં લઈને ગયો અને મને લાગે છે કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ફાઇનલ હારવા અગાઉ સુધી સૌથી શાનદાર ટીમ હતી. તે એક સારો કેપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી છે અને મને કોઈ આશ્ચર્ય નથી કે તેણે જે પ્રકારે ટીમની આગેવાની કરી છે. તે જ્યારે કેપ્ટન બન્યો તો હું અધ્યક્ષ હતો અને હું તેનાથી હેરાન નથી કે તેણે કયા પ્રકારે ટીમની આગેવાની કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હા મેં તેને કેપ્ટન બનાવ્યો કેમ કે મને તેમાં એ કુશળતા દેખાઈ અને તેણે જે કર્યું છે તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આ સીરિઝમાં 3-1થી આગળ છે, અને સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાવાની છે. ઇંગ્લેન્ડના પ્રવાસથી પહેલા બેઝબૉલને લઈને ખૂબ ચર્ચા હતી, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સામે બેઝબૉલે એક પ્રકારે સરેન્ડર કરી દીધું.

About The Author

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.