'મેં તેને કેપ્ટન બનાવ્યો..', ગાંગુલીએ રોહિતની કેપ્ટન્સીને લઈને આપ્યું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. તેની સાથે જ પૂર્વ BCCI અધ્યક્ષે જણાવ્યું કે, તેમણે રોહિત શર્માને એટલે કેપ્ટન બનાવ્યો કેમ કે તેમણે તેનામાં કુશળતા જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ડિસેમ્બર 2021માં રોહિત શર્માને વન-ડે અને T20ની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેના લગભગ એક મહિના અગાઉ રોહિત શર્માને ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી સોંપી દેવામાં આવી હતી.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્ષ 2022માં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ (WTC)માં પહોંચી હતી. ગયા વર્ષે તેની આગેવાનીમાં જ ભારતીય ટીમ ICC વન-ડે વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી. સૌરવ ગાંગુલીએ રેવસ્પોર્ટ્સ સાથે વાતચીતમાં રોહિત શર્માના વખાણ કર્યા. સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને કહ્યું કે, 'રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે. જુઓ તેણે વિશ્વમાં કયા પ્રકારની કેપ્ટન્સી કરી.

તેમણે વધુમાં કહ્યું કે, રોહિત ભારતને ફાઇનલમાં લઈને ગયો અને મને લાગે છે કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ફાઇનલ હારવા અગાઉ સુધી સૌથી શાનદાર ટીમ હતી. તે એક સારો કેપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી છે અને મને કોઈ આશ્ચર્ય નથી કે તેણે જે પ્રકારે ટીમની આગેવાની કરી છે. તે જ્યારે કેપ્ટન બન્યો તો હું અધ્યક્ષ હતો અને હું તેનાથી હેરાન નથી કે તેણે કયા પ્રકારે ટીમની આગેવાની કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હા મેં તેને કેપ્ટન બનાવ્યો કેમ કે મને તેમાં એ કુશળતા દેખાઈ અને તેણે જે કર્યું છે તેનાથી મને કોઈ આશ્ચર્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આ સીરિઝમાં 3-1થી આગળ છે, અને સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાવાની છે. ઇંગ્લેન્ડના પ્રવાસથી પહેલા બેઝબૉલને લઈને ખૂબ ચર્ચા હતી, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સામે બેઝબૉલે એક પ્રકારે સરેન્ડર કરી દીધું.

About The Author

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.