ટેસ્ટ પહેલા કોહલી ફેમિલી ઇમરજન્સીના કારણે ભારત ફર્યો, આ ખેલાડી થયો ટીમથી બહાર

ભારતીય ટીમ આ સમયે ત્રણેય ફોર્મેટની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે T20 અને વન-ડે સીરિઝ રમાઈ ચૂકી છે. તો ટેસ્ટ સીરિઝનું આયોજન બાકી છે. હવે ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતે ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઇજાના કારણે 2 મેચોની ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ફેમિલી ઇમરજન્સીના કારણે ભારત આવતો રહ્યો છે.

એવામાં વિરાટ કોહલી પ્રિટોરિયાસમાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઇન્ટ્રા સ્ક્વોડ ગેમમાં ભાગ લઈ શક્યો નથી. BCCI અધિકારીઓનું કહેવું છે કે, વિરાટ કોહલી 26 ડિસેમ્બરથી સેન્ચુરિનમાં શરૂ થનારી ટેસ્ટ મેચ માટે સમય પર જોહાનિસબર્ગ પાછો પહોંચી જશે. વિરાટ કોહલી લગભગ 3 દિવસ અગાઉ મુંબઈ માટે રવાના થયો હતો. તેણે તેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ટીમ મેનેજમેન્ટની મંજૂરી લઈ લીધી હતી. વિરાટ કોહલી શુક્રવાર (22 ડિસેમ્બરે) દક્ષિણ આફ્રિકા ફરે તેવી સંભાવના છે.

બીજી તરફ 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝબેથમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી વન-ડે દરમિયાન આંગળીમાં ઇજા થઈ ગઈ હતી. તે આ ઇજાથી પૂરી રીતે સારો થઈ શક્યો નથી. તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ચૂક્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લેનારો મોહમ્મદ શમી જેની ટેસ્ટ સીરિઝમાં ભાગીદારી ફિટનેસ પર હતી. તેને BCCIની મેડિકલ ટીમે રમવાની મંજૂરી આપી નથી. એવામાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર 2 ટેસ્ટ મેચોની સીરિઝથી બહાર થઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકા માટે 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી, જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

26-30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ, સેન્ચુરિયન

3-7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ

ભારત અને દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટમાં ઓવરઓલ રેકોર્ડ:

કુલ ટેસ્ટ મેચ: 42

ભારતીય ટીમે જીતી: 15

દક્ષિણ આફ્રિકન ટીમે જીતી: 17

ડ્રો: 10

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં રેકોર્ડ (દક્ષિણ આફ્રિકામાં જ્યારે મેચ થઈ)

કુલ ટેસ્ટ: 23

દક્ષિણ આફ્રિન ટીમે જીતી: 12

ભારતીય ટીમ જીતી: 4

ડ્રો: 7.

About The Author

Related Posts

Top News

શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર, કૃષ્ણમાચારી શ્રીકાંતે, ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય...
Sports 
શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-07-2026 દિવસ: રવિવાર મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય. વૃષભ: વ્યવાસાયિક કાર્યક્ષેત્રમાં નવીન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.