હાર્દિક પંડ્યાના મુદ્દે વસીમ અકરમે ભારત-પાકિસ્તાનના ફેન્સની ઝાટકણી કાઢી

IPLની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માના ફેન્સને આ વાત પસંદ નહોતી આવી અને સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી રોહિતના ફેન્સે હાર્દિક પંડ્યાની ઝાટકણી કાઢી હતી અને તેનો હુરિયો પણ બોલાવ્યો હતો. હજુ પણ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે.  એવું નથી કે હાર્દિકને માત્ર સોશિયલ મીડિયા પર જ ટ્રોલ કરવામાં આવ્યો હોય. સ્ટેડિયમમાં મેચ દરમિયાન પણ ચાહકો હાર્દિક પંડ્યા પર ગરમ જોવા મળ્યા હતા. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમે કહ્યું છે કે તેણે વધુ એક વર્ષ રાહ જોવી જોઈએ અને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવો જોઈએ.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ સૌથી મોટી સમસ્યા છે. અમે આ બાબતોને ભૂલતા નથી. અંતે તે તમારો કેપ્ટન જ રહેશે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તે તમને જીતાડશે. તમારી પોતાની ટીમના ખેલાડીને ટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી. તમે થોડી ટીકા કરી શકો છો પણ હવે તમારે તેનાથી ઉપર ઊઠવું જોઈએ.

આપણા દેશોના ફેન્સ આગળ નથી વધતા, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મને લાગે છે ચાહકોએ થોડા શાંત રહેવું જોઈએ. છેવટે એ છે તો તમારો જ ખેલાડી. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તમને જીત અપાવવામાંથી એક ખેલાડી પણ એ જ હશે. પોતાના જ પ્લેયરનો હુરિયો બોલાવવાનો કોઈ પોઈન્ટ નથી. થોડી ટીકા થાય તો ચાલે પણ પછી આગળ વધી જવું જોઈએ.

વસીમ અકરમે વધુમાં કહ્યું કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે કન્ટીન્યુ રાખવું જોઈએ. આવુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં થાય છે. જુઓ CSKએ લાંબા ગાળાના નિર્ણય માટે પોતાનો કેપ્ટન બદલ્યો. શક્ય છે કે આ કારણે જ મુંબઈ ઈન્ડિયન્સે પણ પંડ્યાને કેપ્ટન બનાવ્યો હોય. આ મારું અંગત કારણ નથી પરંતુ મારા મતે રોહિત શર્માને વધુ એક વર્ષ માટે કેપ્ટનશિપ સોંપવી જોઈતી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઈતો હતો.

About The Author

Top News

સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુનિયા પરેશાન છે. ભારતમાં પણ ગેસ...
Gujarat 
સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલ માટે એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત...
Gujarat 
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

(ઉત્કર્ષ પટેલ) એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય...
Opinion 
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ

(ઉત્કર્ષ પટેલ) અમદાવાદના ગોતા વિસ્તારની ભૂમિનું વ્યક્તિત્વ એવા બીપીનભાઈ નારણભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સામાજિક કાર્ય...
Opinion 
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ

Opinion

ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
(ઉત્કર્ષ પટેલ) એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય આજે...
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.