હાર્દિક પંડ્યાના મુદ્દે વસીમ અકરમે ભારત-પાકિસ્તાનના ફેન્સની ઝાટકણી કાઢી

IPLની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માના ફેન્સને આ વાત પસંદ નહોતી આવી અને સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી રોહિતના ફેન્સે હાર્દિક પંડ્યાની ઝાટકણી કાઢી હતી અને તેનો હુરિયો પણ બોલાવ્યો હતો. હજુ પણ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે.  એવું નથી કે હાર્દિકને માત્ર સોશિયલ મીડિયા પર જ ટ્રોલ કરવામાં આવ્યો હોય. સ્ટેડિયમમાં મેચ દરમિયાન પણ ચાહકો હાર્દિક પંડ્યા પર ગરમ જોવા મળ્યા હતા. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમે કહ્યું છે કે તેણે વધુ એક વર્ષ રાહ જોવી જોઈએ અને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવો જોઈએ.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ સૌથી મોટી સમસ્યા છે. અમે આ બાબતોને ભૂલતા નથી. અંતે તે તમારો કેપ્ટન જ રહેશે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તે તમને જીતાડશે. તમારી પોતાની ટીમના ખેલાડીને ટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી. તમે થોડી ટીકા કરી શકો છો પણ હવે તમારે તેનાથી ઉપર ઊઠવું જોઈએ.

આપણા દેશોના ફેન્સ આગળ નથી વધતા, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મને લાગે છે ચાહકોએ થોડા શાંત રહેવું જોઈએ. છેવટે એ છે તો તમારો જ ખેલાડી. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તમને જીત અપાવવામાંથી એક ખેલાડી પણ એ જ હશે. પોતાના જ પ્લેયરનો હુરિયો બોલાવવાનો કોઈ પોઈન્ટ નથી. થોડી ટીકા થાય તો ચાલે પણ પછી આગળ વધી જવું જોઈએ.

વસીમ અકરમે વધુમાં કહ્યું કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે કન્ટીન્યુ રાખવું જોઈએ. આવુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં થાય છે. જુઓ CSKએ લાંબા ગાળાના નિર્ણય માટે પોતાનો કેપ્ટન બદલ્યો. શક્ય છે કે આ કારણે જ મુંબઈ ઈન્ડિયન્સે પણ પંડ્યાને કેપ્ટન બનાવ્યો હોય. આ મારું અંગત કારણ નથી પરંતુ મારા મતે રોહિત શર્માને વધુ એક વર્ષ માટે કેપ્ટનશિપ સોંપવી જોઈતી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઈતો હતો.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.