હાર્દિક પંડ્યાના મુદ્દે વસીમ અકરમે ભારત-પાકિસ્તાનના ફેન્સની ઝાટકણી કાઢી

IPLની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માના ફેન્સને આ વાત પસંદ નહોતી આવી અને સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી રોહિતના ફેન્સે હાર્દિક પંડ્યાની ઝાટકણી કાઢી હતી અને તેનો હુરિયો પણ બોલાવ્યો હતો. હજુ પણ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે.  એવું નથી કે હાર્દિકને માત્ર સોશિયલ મીડિયા પર જ ટ્રોલ કરવામાં આવ્યો હોય. સ્ટેડિયમમાં મેચ દરમિયાન પણ ચાહકો હાર્દિક પંડ્યા પર ગરમ જોવા મળ્યા હતા. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમે કહ્યું છે કે તેણે વધુ એક વર્ષ રાહ જોવી જોઈએ અને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવો જોઈએ.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ સૌથી મોટી સમસ્યા છે. અમે આ બાબતોને ભૂલતા નથી. અંતે તે તમારો કેપ્ટન જ રહેશે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તે તમને જીતાડશે. તમારી પોતાની ટીમના ખેલાડીને ટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી. તમે થોડી ટીકા કરી શકો છો પણ હવે તમારે તેનાથી ઉપર ઊઠવું જોઈએ.

આપણા દેશોના ફેન્સ આગળ નથી વધતા, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મને લાગે છે ચાહકોએ થોડા શાંત રહેવું જોઈએ. છેવટે એ છે તો તમારો જ ખેલાડી. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તમને જીત અપાવવામાંથી એક ખેલાડી પણ એ જ હશે. પોતાના જ પ્લેયરનો હુરિયો બોલાવવાનો કોઈ પોઈન્ટ નથી. થોડી ટીકા થાય તો ચાલે પણ પછી આગળ વધી જવું જોઈએ.

વસીમ અકરમે વધુમાં કહ્યું કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે કન્ટીન્યુ રાખવું જોઈએ. આવુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં થાય છે. જુઓ CSKએ લાંબા ગાળાના નિર્ણય માટે પોતાનો કેપ્ટન બદલ્યો. શક્ય છે કે આ કારણે જ મુંબઈ ઈન્ડિયન્સે પણ પંડ્યાને કેપ્ટન બનાવ્યો હોય. આ મારું અંગત કારણ નથી પરંતુ મારા મતે રોહિત શર્માને વધુ એક વર્ષ માટે કેપ્ટનશિપ સોંપવી જોઈતી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઈતો હતો.

Top News

30 દેશોના સ્વઘોષિત નેતા બન્યું ચીન, ઊભું કર્યું નવું સંગઠન

ચીને એક નવું સંગઠન બનાવીનેને પોતાને દુનિયાનો સ્વ-ઘોષિત નેતા માની લીધો છે. ચીન લાંબા સમયથી દુનિયા પરથી અમેરિકાની બાદશાહતને ખતમ...
World 
30 દેશોના સ્વઘોષિત નેતા બન્યું ચીન, ઊભું કર્યું નવું સંગઠન

ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

કોલંબિયાએ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઈને આપેલા પોતાના નિવેદનને પાછું લઈ લીધું છે. કોલંબિયા હવે આતંકવાદ પર ભારતના વલણનું પુરજોરથી...
World 
ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

બલૂચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો...
World 
‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર

દર મહિનાની જેમ, જૂન મહિનામાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરી...
Business 
1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.