કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇક કર્યો અવનીત કૌરનો ફોટો પછી એવી સ્પષ્ટતા આપી કે ગળે ન ઉતરે

IPL 2025 માં વિરાટ કોહલીનું બેટ જોરથી બોલી રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલો વિરાટ ઓરેન્જ કેપ જીતવાની રેસમાં એક મજબૂત દાવેદાર બનેલો છે. આ દરમિયાન, તેની સાથે કંઈક એવું બન્યું, જેને લઈને આ ભારતીય સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપવી પડી. ખરેખર,અભિનેત્રી અવનીત કૌર સાથે આ મામલાનું કનેક્શન છે. ચાલો જાણીએ શું છે આખો મામલો..

Virat-Kohli1
aajtak.in

2 મેના રોજ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી હતી. તેમાં લખ્યું હતું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારા ફીડને સાફ કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી કોઈ ઈન્ટરેક્શન રજિસ્ટર કરી દીધું છે.' આ પાછળ કોઈ ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધવામાં આવે. તમારી સમજદારી બદલ આભાર. હવે ચાલો જાણીએ કે વિરાટે આ સ્પષ્ટતા કોના વિશે આપી છે.

https://www.instagram.com/p/DJCCU9CSvcn/?utm_source=ig_web_copy_link

અવનીત કૌર સાથે કનેક્શન

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી પ્રિય સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તાજેતરમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. 30 એપ્રિલના રોજ અભિનેત્રી અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં, તે પ્રિન્ટેડ રેપ સ્કર્ટ સાથે લીલા રંગનો ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ઈન્ટરનેટ યુઝર્સે જોયું કે વિરાટ કોહલીએ અવનીત કૌર નામના ફેન પેજ પર પોસ્ટ કરેલા ફોટાને લાઈક કર્યો અને પછી તેને ડિસલાઈક કરી દીધો. સોશિયલ મીડિયા પર કોહલીની આ હરકતથી ધૂમ મચી ગઈ. યુઝર્સે તેમને ટ્રોલ પણ કર્યા કારણ કે આ 1 મેના રોજ બન્યું હતું, એ દિવસે તેની પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ પણ હતો. વિરાટે હવે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.

પરંતુ તેના આ જવાબની હાલમાં તો સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, કારણ કે આ કારણ કોઈના ગળે ઉતરે એવું નથી, આમાં તો તેણે ઈન્સ્ટાગ્રામનો જ વાંક કાઢી નાખ્યો હોય એવું લાગે છે. ઘણાએ તો અવનીત કૌર સાથે તેના નજીકના સંબંધ છે એવી વાતો પણ ચલાવી દીધી હતી, ઘણાએ આની મજા લીધી હતી કે, IPL પતાવી ઘરે જા એટલે અનુષ્કા ભાભી તારો વારો લેશે.

Virat-Kohli
ndtv.com
https://www.instagram.com/p/DJG30gLyiNA/?utm_source=ig_web_copy_link

અનુષ્કા શર્માને કર્યો બર્થડે વિશ

વિરાટે 1 મેના રોજ અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક સુંદર પોસ્ટ શેર કરી હતી. તેણે તે બંનેનો એક સુંદર ફોટો શેર કરીને કેપ્શન આપ્યું, 'મારી સૌથી સારી મિત્ર, મારી જીવનસાથી, મારું સલામત સ્થળ, મારી બેટર હાફ, મારી બધી વસ્તુ.' તું અમારા બધાના જીવનની માર્ગદર્શક છો. અમે તને દરરોજ વધુ ને વધુ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસની શુભકામનાઓ મારી પ્રિય અનુષ્કા શર્મા.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.