રિંકુની સરખામણી યુવરાજ સાથે કરવામાં આવી ત્યારે ગાવસ્કરે કહ્યું- તેનો એક ભાગ પણ..

રિંકુ સિંહને ભારતીય ક્રિકેટનો નવો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. રિંકુએ હાલના સમયમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે જોઈને આ બેટ્સમેનની પણ યુવરાજ સિંહ સાથે સરખામણી થવા લાગી છે. વાસ્તવમાં, રિંકુ જે આક્રમક સ્ટાઈલથી બોલરો સામે બેટિંગ કરે છે તે જોઈને પ્રશંસકો રિંકુને ભારતીય ક્રિકેટનો આગામી યુવરાજ સિંહ કહેવા લાગ્યા છે. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ વાતથી પોતાની અલગ વાત કહી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા ગાવસ્કરે રિંકુ વિશે વાત કરતા કહ્યું, 'રિંકુની તુલના યુવરાજ સાથે કરવામાં આવી રહી છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે, તેનાથી નાના ભાગનું કામ કરવામાં રીન્કુ સફળ રહ્યો, તો તેની કારકિર્દી સફળ થઇ જશે, તેને શાનદાર પ્રદર્શન કહેવામાં આવશે, પરંતુ હમણાંથી તેની તુલના યુવી સાથે કરવી એ આ બેટ્સમેન પર વધુ દબાણ લાવવા જેવું છે, પરંતુ રિંકુએ તેની ક્ષમતાથી તે કર્યું છે, કે લોકો તેને બીજો યુવી કહેવા પણ લાગ્યા છે.'

પોતાની વાતને આગળ વધારતા ગાવસ્કરે કહ્યું, 'રિંકુ હવે ભારતીય ટીમનો એક ભાગ છે, અને હવે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચાહકો હવે તે બીજો યુવરાજ સિંહ બને તેવી અપેક્ષા રાખી રહ્યા છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે, જો રિંકુ તેનો એક અંશ પણ કરી શકવામાં સફળ રહ્યો તો પછી તેણે તેની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે એમ કહેવાશે.'

આ ઉપરાંત, તેણે પ્રતિભા વિશે પણ વાત કરી અને કહ્યું, 'દરેક વ્યક્તિને તે મળતું નથી… તમે રમતને પ્રેમ કરી શકો છો. તમે આખો દિવસ રમી શકો છો, પરંતુ કેટલીકવાર તમે જાણો છો કે, તમારી પાસે પૂરતી પ્રતિભા નથી. પરંતુ તેને વિશ્વાસ છે કે તે તે કરી શકશે, અને તે છેલ્લા 2-3 વર્ષથી તે કરી રહ્યો છે. IPLમાં, તે ઘણી ટીમોની અંદર અને બહાર રહી ચુક્યો છે, જ્યારે આખરે તેને એક તક મળી અને તેણે તેને પકડી લીધી, તે જોવું અદ્દભુત હતું.'

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં રિંકુ સિંહ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. T-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે શ્રેણીની બીજી મેચ મંગળવારે 12મી ડિસેમ્બરે રમાશે.

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.