રિંકુની સરખામણી યુવરાજ સાથે કરવામાં આવી ત્યારે ગાવસ્કરે કહ્યું- તેનો એક ભાગ પણ..

રિંકુ સિંહને ભારતીય ક્રિકેટનો નવો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. રિંકુએ હાલના સમયમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે જોઈને આ બેટ્સમેનની પણ યુવરાજ સિંહ સાથે સરખામણી થવા લાગી છે. વાસ્તવમાં, રિંકુ જે આક્રમક સ્ટાઈલથી બોલરો સામે બેટિંગ કરે છે તે જોઈને પ્રશંસકો રિંકુને ભારતીય ક્રિકેટનો આગામી યુવરાજ સિંહ કહેવા લાગ્યા છે. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ વાતથી પોતાની અલગ વાત કહી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા ગાવસ્કરે રિંકુ વિશે વાત કરતા કહ્યું, 'રિંકુની તુલના યુવરાજ સાથે કરવામાં આવી રહી છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે, તેનાથી નાના ભાગનું કામ કરવામાં રીન્કુ સફળ રહ્યો, તો તેની કારકિર્દી સફળ થઇ જશે, તેને શાનદાર પ્રદર્શન કહેવામાં આવશે, પરંતુ હમણાંથી તેની તુલના યુવી સાથે કરવી એ આ બેટ્સમેન પર વધુ દબાણ લાવવા જેવું છે, પરંતુ રિંકુએ તેની ક્ષમતાથી તે કર્યું છે, કે લોકો તેને બીજો યુવી કહેવા પણ લાગ્યા છે.'

પોતાની વાતને આગળ વધારતા ગાવસ્કરે કહ્યું, 'રિંકુ હવે ભારતીય ટીમનો એક ભાગ છે, અને હવે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચાહકો હવે તે બીજો યુવરાજ સિંહ બને તેવી અપેક્ષા રાખી રહ્યા છે. યુવરાજે ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે, જો રિંકુ તેનો એક અંશ પણ કરી શકવામાં સફળ રહ્યો તો પછી તેણે તેની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે એમ કહેવાશે.'

આ ઉપરાંત, તેણે પ્રતિભા વિશે પણ વાત કરી અને કહ્યું, 'દરેક વ્યક્તિને તે મળતું નથી… તમે રમતને પ્રેમ કરી શકો છો. તમે આખો દિવસ રમી શકો છો, પરંતુ કેટલીકવાર તમે જાણો છો કે, તમારી પાસે પૂરતી પ્રતિભા નથી. પરંતુ તેને વિશ્વાસ છે કે તે તે કરી શકશે, અને તે છેલ્લા 2-3 વર્ષથી તે કરી રહ્યો છે. IPLમાં, તે ઘણી ટીમોની અંદર અને બહાર રહી ચુક્યો છે, જ્યારે આખરે તેને એક તક મળી અને તેણે તેને પકડી લીધી, તે જોવું અદ્દભુત હતું.'

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં રિંકુ સિંહ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ છે. T-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે શ્રેણીની બીજી મેચ મંગળવારે 12મી ડિસેમ્બરે રમાશે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.