ભારત-પાકિસ્તાન ફાઈનલનો ઈતિહાસ સારો નથી, ટીમ ઈન્ડિયાએ રાખવું પડશે ધ્યાન, આંકડા છે ચિંતાજનક

એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય ટીમ રવિવાર (28 સપ્ટેમ્બર)ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભૂતકાળમાં, ભારત-પાકિસ્તાન મેચમાં ઘણીવાર ખૂબ જ આકરી સ્પર્ધા થતી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં, ભારતીય ટીમનું પ્રભુત્વ છવાઈ રહ્યું છે. ભારતે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી સાત મેચ જીતી છે.

આમ છતાં, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ફાઇનલમાં પાકિસ્તાનને ઓછું આંકવા માંગશે નહીં. પાકિસ્તાનની સૌથી મોટી તાકાત તેની અણધારી રીતે પાછા ફરવાનું છે. કોઈપણ દિવસે, કોઈપણ મેચમાં, તે રમતનું પાસું ફેરવી શકે છે. ઇતિહાસ તેના માટે સાક્ષી છે કે પાકિસ્તાની ટીમ ઘણીવાર આવી મોટી મેચ હોય છે ત્યારે ચમકે છે અને ઘણીવાર ટીમ ઇન્ડિયા માટે સમસ્યાઓ ઉભી કરી ચુકી છે.

India-Pakistan-Final4
thejbt.com

2017 ICC ચેમ્પિયન્સ ટ્રોફી આનું મુખ્ય ઉદાહરણ છે. ત્યારે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યું હતું. પરંતુ જ્યારે તે ટીમ ફાઇનલમાં પહોંચી ત્યારે પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 18 જૂન, 2017ના રોજ લંડનના ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.

તે મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ફખર ઝમાન (114 રન)ની સદીની મદદથી 4 વિકેટે 338 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અઝહર અલી (59 રન) અને મોહમ્મદ હાફીઝ (અણનમ 57)એ પણ પાકિસ્તાની ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આના જવાબમાં, ભારતની શરૂઆત ખરાબ રહી હતી. મોહમ્મદ આમિરે વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવનની વિકેટ લઈને ભારતને શરૂઆતમાં ખરાબ ઝાટકો આપ્યો હતો.

India-Pakistan-Final
ndtv.in

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે ઝડપી 76 રન બનાવીને આશાઓ જગાવી હતી, પરંતુ તેના રનઆઉટ થવાથી ભારતીય ટીમની જીતવાની આશાને સંપૂર્ણપણે બરબાદ કરી હતી. ભારતીય ટીમ 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ આમિર ઉપરાંત, હસન અલીએ પણ 3 વિકેટ લીધી હતી. ફખર ઝમાનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં (પાંચ કે તેથી વધુ ટીમો) પાંચ ફાઇનલ રમ્યા છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ત્રણ મેચ જીતી હતી, જ્યારે ભારતે બે મેચ જીતી હતી. ભારત હવે સ્કોર 3-3થી બરાબર કરવાનો લક્ષ્ય રાખશે. જો ભારત એશિયા કપ જીતે છે, તો અગાઉના ફાઇનલ (ચેમ્પિયન્સ ટ્રોફી 2017)માં પાકિસ્તાન સામે મળેલી હારનું દુઃખ ઓછું થશે.

India-Pakistan-Final1
gnttv.com

આમ પણ, ભારતીય ટીમે પાકિસ્તાન સામે સચેત રહેવું પડશે. ટીમ ઇન્ડિયાએ દબાણમાં ઘણીવાર ભૂલો કરી છે. ફાઇનલ જેવી મેચમાં શરૂઆતની વિકેટ બચાવવી મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સામે જીતવા માટે, ભારતે દરેક વિભાગમાં સંતુલિત અને આક્રમક રમત દર્શાવવી પડશે. ખાસ કરીને, ઉપલા ક્રમના બેટ્સમેનોએ ફરી એકવાર જવાબદારી નિભાવવી પડશે.

ઇતિહાસ બતાવે છે કે, પાકિસ્તાની ટીમ ફાઇનલમાં 'ખુંખાર' બની જાય છે. સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન અને સૈમ અયુબ જેવા બેટ્સમેન ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. જ્યારે, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ જેવા ઝડપી બોલરો ભારત જેવી ટીમને પણ શરૂઆતના ફટકાથી દબાણમાં મૂકી શકે છે.

About The Author

Related Posts

Top News

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

ટ્રેનના ફસ્ટક્લાસ AC કોચમાં આરામ કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીને ઉંદર કરડ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોહીથી...
National 
ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરતા એક નિવૃત્ત અધિકારીના નાક પર ઉંદર કરડ્યું!

સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો

સુરત, 26 ઓગસ્ટ 2026: વેલ્યુ ફેશન પર કેન્દ્રિત માર્કેટપ્લેસ સ્નેપડીલે આજે ‘પ્રોજેક્ટ ગતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ 45...
Gujarat 
સ્નેપડીલના સુરતના સેલર બેઝમાં 1 વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.