50 વર્ષની ઉંમરમાં પણ કેમ કુંવારો છે ટેરેન્સ લુઈસ, અત્યાર સુધી કેમ નથી કર્યા લગ્ન? કોરિયોગ્રાફરે જણાવ્યું અસલી કારણ

ટેરેન્સ લુઈસ બોલિવુડનો એક પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તે નાના પડદા પર અનેક ડાન્સ રિયાલિટી શૉમાં જજ તરીકે નજરે પડી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કોરિયોગ્રાફરે લગ્ન ન કરવા અને સિંગલ રહેવાનું કારણ જણાવ્યું છે.

ટેરેન્સ લુઈસે લગ્ન કેમ નથી કર્યા?

તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા લુઈસે લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું હતું. IANS સાથેની એક ખાસ વાતચીતમાં ટેરેન્સે ખુલાસો કર્યો કે જિંદગીમાં લગ્નની એક્સપાયરી ડેટ વીતી ચૂંકી છે અને હવે તે લગ્ન બાબતે વિચારી પણ શકતો નથી. તેણે કહ્યું કે, સિંગલ રહીને ખુશ છે અને લગ્ન કરીને વસ્તુઓને વધુ જટિલ બનાવવાની જરૂરિયાત સમજતો નથી.

https://www.instagram.com/p/DPalHhviAk0/?utm_source=ig_web_copy_link

જ્યારે તેના લગ્નની પ્લાનિંગ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે, ટેરેન્સ લુઈસે મજાકમાં કહ્યું કે હવે તે પોતાના અનુભવોમાંથી શીખી ચૂક્યો છે, તો બીજા કોઈના જીવનને મુશ્કેલ બનાવવાનો કોઈ અર્થ નથી. તેની એક્સપાયરી ડેટ વીતી ચૂંકી છે,અને હું હવે લગ્નના શેલ્ફમાંથી બહાર છું. હું સિંગલ રહીને ખૂબ ખુશ છું અને મને લાગે છે કે કોઈનું જીવન શા બરબાદ કરું? મેં પહેલાથી જ મારું પોતાનું જીવન બરબાદ કરી દીધું છે. એટલે મને લાગે છે કે એક દુઃખી વ્યક્તિ બે કરતા વધુ સારી છે.

ટેરેન્સ તાજેતરમાં ડિઝાઇનર્સ વિશાલ અને સોના થવાની માટે શૉસ્ટોપર બન્યો હતો અને તેણે વરરાજા તરીકે રેમ્પ પર ચાલવાનો અનુભવ ખૂબ જ અંજોય કર્યો હતો. કોરિયોગ્રાફરે જણાવ્યું હતું કે તેને વરરાજાનો પોશાક પહેરીને અને આ ભવ્ય શૉકેસનો હિસ્સો બનીને કેટલો ખાસ અનુભવ થયો. તેમણે જણાવ્યું કે આ વોક માત્ર ફેશન બાબતે નહીં, પરંતુ વરરાજાની લાગણીઓ અને સુંદરતા દર્શાવવા બાબતે પણ હતું.

Terence Lewis
indianexpess.com

વર્ક ફ્રંટની વાત કરીએ તો ટેરેન્સ લુઈસે લગાન’, ‘ઝંકાર બીટ્સ’, અને ગોલિયોં કી રાસલીલા રામ-લીલા જેવી બોલિવુડ ફિલ્મો માટે શાનદાર કોરિયોગ્રાફી કરી છે. તેણે અનેક સ્ટેજ શૉ માટે કોરિયોગ્રાફી કરી છે. ટેરેન્સે ઇન્ડિયન કન્ટેમ્પરરી ડાન્સ પ્રદર્શન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, બ્રોડવે અને વેસ્ટ-એન્ડ મ્યૂઝિકલ ડ્રામા, તેમજ મ્યૂઝિક વીડિયો અને ફીચર ફિલ્મો માટે કોરિયોગ્રાફી ડિઝાઇન કરી છે.

તેઓ ઓસ્ટ્રિયાના વિયેનામાં ભારતને રિપ્રેઝન્ટ કરતા પ્રતિષ્ઠિત ડાન્સ વેબ યુરોપ સ્કોલરશીપ મેળવનારો પ્રથમ ભારતીય બન્યો હતો. કોરિયોગ્રાફી ઉપરાંત ટેરેન્સે ટેલિવિઝન પર પણ પોતાની વર્સેટેલિટી દેખાડી છે. તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 3’માં કન્ટેસ્ટેન્ટ હતો. તે 2023માં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3’માં જજ તરીકે દેખાયો હતો. ટેરેન્સ લુઇસે ડાન્સ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’માં પણ જજની ભૂમિકા નિભાવી હતી.

About The Author

Related Posts

Top News

ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, ...
National 
ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા...
Gujarat 
સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.