નેપાળ પ્લેન ક્રેશની મહિલા પાયલટના પતિનું 16 વર્ષ પહેલા આવી રીતે જ મોત થયેલું

ફલાઇટના કેપ્ટન બનવા માટે ઓછામાં ઓછા 100 કલાકનો ફ્લાઈંગ અનુભવ જરૂરી હોય છે.. આજે પોખરા જતી વખતે કેપ્ટન કેસીએ કો-પાઈલટ અંજુને મુખ્ય પાઈલટની સીટ પર બેસાડી હતી. જો અંજૂ આ લેન્ડિંગ સફળ રીતે પાર પાડતે તો તેને મુખ્ય પાયલોટ તરીકેનું લાયસન્સ મળવાનું હતું. પરંતુ  નસીબની બલિહારી જુઓ કે વિમાન એરપોર્ટ પર લેન્ડ થવા માટે માત્ર 10 સેકન્ડની વાર હતી, પરંતુ કમનસીબે, અંજૂના તમામ સપના અને આકાંક્ષાઓ માત્ર 10 સેકન્ડના અંતરે જ ધૂમાડામાં પડી ગયા.

નેપાળમાં રવિવારે એક દર્દનાક વિમાન દુર્ઘટના બની હતી. લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. જેમાં 5 ભારતીયો પણ સામેલ હતા. ક્રેશ થયેલા પ્લેનની કો-પાઈલટ અંજૂ ખાટીવડા કો-પાઈલટ તરીકેની આ છેલ્લી ફ્લાઇટ હતી. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ અંજૂ કેપ્ટન બનવાની હતી. આ માટે તે સિનિયર પાયલટ અને ટ્રેનર કમલ કેસી સાથે ફ્લાઈટમાં ગઈ હતી.

જાણવા મળેલી માહિતી મુજબ કેપ્ટન કમલ કે સીનો પાયલોટ તરીકેના અનુભવનું 35મું વર્ષ હતું. કમલ કેસીએ અનેક પાયલોટને ટ્રેનિંગ આપેલી છે અને તેમના દ્રારા તાલીમ પામેલા પાયલોટ આજે સફળ કેપ્ટન તરીકે જાણીતા છે. નેપાળમાં બનેલી દુખદ ઘટનાનો સંયોગ એ છે કે કો-પાયલોટ અંજૂનો પતિ પણ 16 વર્ષ પહેલાં આ જ રીતે પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા હતા. અંજૂના પતિ દીપક પોખરેલ પણ Yeti Airlinesમાં કો-પાયલોટ હતા. 16 જૂન 2006માં  અંજૂના પતિ દીપક પોખરેલ નેપાળ ગંજથી સુર્ખેત થઇને જુમ્લા જઇ રહ્યા હતા ત્યારે આ વિમાન ક્રેશ થઇ ગયું હતું જેમાં દીપક પોખરેલનું મોત થયું હતું.

નેપાળમાં 72 યાત્રીઓને લઇને જતું એક વિમાન હવામાં હતું ત્યારે જ આગ લગાવાની ઘટનાને કારણે ક્રેશ થઇ ગયું હતું. જાણવા મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં લગભગ બધા યાત્રીઓના મોત થયા છે.

નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે રવિવારે એક 72 સીટર ફલાઇટ ક્રેશ થઇ ગયું છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે એરપોર્ટને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ કાઠમંડુથી પોખરા પહોંચેલું Yeti Airlinesનું વિમાન ક્રેશ થઇ ગયું છે. Yeti Airlinesના ATR-72 વિમાનમાં કુલ 68 યાત્રીઓ સવાર હતા. નેપાળની મીડિયાના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બધા લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પછી નેપાળ સરકારે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે.

આ પ્લેન વિશે જાણકારી મળી છે કે લેન્ડિંગ પહેલા જ પ્લેનમાં હવામાં આગ લાગી ગઈ હતી. Yeti Airlinesનુંના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ નેપાળી મીડિયા ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું કે આ વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના પછી પોખરા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લેન પોખરા એરપોર્ટની નજીક ક્રેશ થયું છે.

નેપાળની જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થવાની ઘટના બની છે તે ચીનની મદદથી બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલાં જ આ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આજે Yeti Airlinesનું  વિમાન  દુર્ઘટનાનો શિકાર બની ગયું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. Yeti Airlinesનું  આ વિમાન કાઠમંડુથી પોખરા જઇ રહ્યુ હતું.

પ્લેન ક્રેશને લઈને નેપાળના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કાઠમંડુથી પોખરા જતા મુસાફરોને લઈ જતી Yeti AirlinesANC ATR 72ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. હું સુરક્ષા કર્મચારીઓ, નેપાળ સરકારની તમામ એજન્સીઓ અને સામાન્ય જનતાને અસરકારક બચાવ શરૂ કરવા અપીલ કરું છું.

નેપાળની વિમાન દુર્ઘટના પર ભારતના સિવિલ એવિએશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ દુખ વ્યકત કર્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે નેપાળમાં એક દુખદ વિમાન દુર્ઘટનામાં જાનહાની અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના અને પ્રાથર્ના છે.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.