9 કિલો સોનું, દાગીના, ગિફ્ટ... બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના લૉકરમાંથી શું-શું મળ્યું?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને તાજેતરમાં માનવતા વિરુદ્ધ ગુનાઓમાં દોષિત કરાર આપતા મૃ*ત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ચૂકાદાના આધારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સરકાર પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માંગણી કરી હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. તેમની મુશ્કેલીઓ વધુ ખરાબ થતી નજરે પડી રહી છે.

બાંગ્લાદેશ એન્ટિકરપ્શન કમિશન (ACC) હવે શેખ હસીના સામે ભ્રષ્ટાચાર અને આવકથી વધુ સંપત્તિના નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ACCએ શેખ હસીનાની સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ વધુ તેજ કરી દીધી છે. બાંગ્લાદેશના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સેલ અને નેશનલ બોર્ડ ઓફ રેવન્યૂએ તાજેતરમાં શેખ હસીનાના બેંક લોકર્સની તપાસ કરી હતી.

sheikh-hasina1
ndtv.com

બાંગ્લાદેશી એજન્સીઓનો દાવો છે કે, હસીનાના બે લોકર્સમાંથી નવ કિલોગ્રામથી વધુ સોનાના દાગીના અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલા મોંઘા ભેટો મળી મળી છે. શેખ હસીનાના લોકર્સમાંથી સોનાના દાગીના, મોંઘા ભેટો અને ઘણી અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી આવી હતી. બાંગ્લાદેશી અધિકારીઓનું એમ પણ કહેવું છે કે આમાંની ઘણી વસ્તુઓ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અથવા પછી, જાહેર કરવામાં આવી નહોતી.

ACC હવે કેસ દાખલ કરીને વિગતવાર તપાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ACCની તપાસ આવકના સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરશે. એજન્સી એ પણ તપાસ કરશે કે શું પૂર્વ વડાપ્રધાને કાયદાકીય પ્રક્રિયા અનુસાર આ સંપત્તિઓને પોતાની તરીકે જાહેર કરી હતી કે નહીં. ACC, એ પણ તપાસ કરશે કે શેખ હસીનાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કોઈ નાણાકીય ગેરરીતિઓ થઈ હતી કે નહીં.

sheikh-hasina2
bbc.com

સૂત્રોના જણાવ્યા અનુસાર, ACC પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે 2-3 નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓના અનામત વિરોધી વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના બાદ શેખ હસીનાની પાર્ટી, અવામી લીગના નેતાઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે.

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એવી છે કે અવામી લીગના લગભગ દરેક અગ્રણી નેતા એક યા બીજી રીતે નાણાકીય તપાસના દાયરામાં છે. વચગાળાની સરકારે શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના ઘણા કેસ ખોલી દીધા છે. પહેલાથી જ મુશ્કેલીમાં ઘેરાયેલા શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓની મુશ્કેલી નવા કેસને કારણે વધુ વધી શકે છે.

About The Author

Top News

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.