નબળા પાસવર્ડને કારણે ફક્ત 8 મિનિટમાં 900 કરોડની ચોરી; આખી વાત જાણીને તમે નવાઈ પામશો

લૂવર મ્યુઝિયમ વિશ્વના સૌથી લોકપ્રિય મ્યુઝિયમોમાંનું એક છે. તાજેતરમાં, ચોરી થયા પછી તે સમાચારમાં આવ્યું હતું. 19 ઓક્ટોબરના રોજ, લૂવર મ્યુઝિયમમાં ધોળા દિવસે લૂંટ થઈ હતી. ખુબ જ કિંમતી ઝવેરાતની ચોરીએ હવે એક નવો વળાંક લીધો છે, જેનાથી મ્યુઝિયમની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

હકીકતમાં, એક તપાસમાં જાણવા મળ્યું છે કે, લૂવર મ્યુઝિયમમાં અસંખ્ય સાયબર સુરક્ષા અને જાળવણી સમસ્યાઓ હતી. ફ્રેન્ચ પ્રકાશન લિબરેશનના અહેવાલ મુજબ, દાયકાઓથી ચાલી રહેલી આ સમસ્યાઓની વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ ક્યારેય તેને પુરી રીતે સરખી કરવામાં આવી ન હતી.

મળતા અહેવાલ મુજબ, પહેલી ચેતવણી ડિસેમ્બર 2014માં ઉઠાવવામાં આવી હતી, જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રીય એજન્સી, Anssiએ મ્યુઝિયમની IT સિસ્ટમ્સનું ઓડિટ કર્યું હતું. આ ઓડિટમાં મ્યુઝિયમનું સુરક્ષા નેટવર્ક શામેલ હતું, જે એલાર્મ, વિડિઓ સર્વેલન્સ અને એક્સેસ કંટ્રોલ સાથે જોડાયેલ છે.

Louvre-Museum-Theft.jpg-4

એક ફ્રેન્ચ સરકારી એજન્સીએ 26 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, મ્યુઝિયમના નબળા પાસવર્ડ અને જૂની સિસ્ટમોને કારણે નિષ્ણાતો નેટવર્કમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે ફક્ત 'LOUVRE' લખવાથી વિડિઓ સર્વેલન્સ સર્વરની ઍક્સેસ મળતી હતી.

Louvre-Museum-Theft.jpg-5

જ્યારે 'THALES' લખવા પર થેલ્સ ગ્રુપ દ્વારા વિકસિત અન્ય એક સોફ્ટવેર અનલોક થયું હતું, એજન્સીએ ચેતવણી બહાર પાડી હતી કે, સુરક્ષા નેટવર્કમાં અસંખ્ય ખામીઓ છે જે હેકર્સ સરળતાથી આંતરિક સિસ્ટમોને ઍક્સેસ કરી શકે છે અને બેજ ઍક્સેસ અથવા વિડિઓ ફીડ્સ બદલી શકે છે.

એજન્સીએ મ્યુઝિયમને પાસવર્ડ મજબૂત કરવા અને તેની સિસ્ટમોને અપગ્રેડ કરવાની સલાહ આપી હતી. જો કે, લુવર મ્યુઝિયમે ક્યારેય જાહેરમાં એવું કહ્યું નથી કે તેણે કેટલા ફેરફારો લાગુ કર્યા છે. 2017માં હાથ ધરવામાં આવેલા અન્ય ઓડિટમાં પણ આ જ પ્રકારની સમસ્યાઓ બહાર આવી હતી.

Louvre-Museum-Theft

19 ઓક્ટોબરના રોજ થયેલી ચોરીમાં માત્ર 8 મિનિટ જ લાગી હતી. ચાર ચોરોએ 8.8 કરોડ યુરો (આશરે રૂ. 900 કરોડ)ના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ છે. ચોરોએ ફિલ્મી શૈલીમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો. બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કરીને, તેઓ મ્યુઝિયમની દિવાલ પર ચઢી ગયા, બારી તોડી નાખી અને દાગીના લઈને ભાગી જતા પહેલા ડિસ્પ્લે કેસ તોડી નાખ્યો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે, અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.