પતિની હત્યા બાદ મહિલાએ ઘરમાં યોજી ભવ્ય પાર્ટી

આ મહિલા પર તેના પતિને ઝેર આપીને મારી નાંખવાનો આરોપ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે નવી જાણકારી સામે આવી છે. આરોપી મહિલા કોરી રિચિન્સે તેના પતિના મૃત્યુના બીજા જ દિવસે તેના ઘરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વાત મીડિયા રિપોર્ટ્સમાં એફિડેવિટને ઉલ્લેખીને કહેવામાં આવી છે. તેણે અમેરિકાના ઉટાહ સ્થિત પોતાના ઘરે મિત્રોને પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું.

 

ત્યાંના એક સ્થાનિક અખબારના હાથમાં આ એફિડેવિટની કોપી આવી છે. તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે, 'પતિ એરિકના મૃત્યુના બીજા દિવસે, કોરી રિચિન્સએ તેના ઘરને બંધ કરી દીધું હતું, તે અહીં એકલી હતી. ત્યાર પછી તેણે મિત્રોને ઘરે આયોજિત મોટી પાર્ટી માટે આમંત્રણ આપીને બોલાવ્યા હતા. તેણે પાર્ટીમાં દારૂ પીધો અને ખૂબ જ ઉજવણી કરી.' કોરી રિચિન્સની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે. તેના પતિનું 4 માર્ચ, 2022ના રોજ ઝેર આપવાના કારણે મૃત્યુ થયું હતું. 

તેના પતિના મૃત્યુના એક વર્ષ પછી તેણે લખ્યું 'આર યુ વિથ મી?' નામથી એક પુસ્તક પણ લખ્યું. તેમાં, તેણીએ જણાવ્યું હતું કે, તે અને તેના ત્રણ બાળકો એરિકના મૃત્યુના કારણે મળેલા દુઃખનો કેવી રીતે સામનો કરી રહ્યા છે. આ પુસ્તક બાળકો માટે લખવામાં આવ્યું હતું. જેમાં કોરી રિચિન્સે કહ્યું કે, કોઈ તમારા પોતાના સ્વજનના મૃત્યુ બાદ બાળકો પર તેના મૃત્યુની અસરને કેવી રીતે ઓછી કરવી જોઈએ. તેણે કહ્યું કે, તે પોતે પણ આ પીડા અનુભવી રહી છે. જો કે, જ્યારે પોલીસે પાર્ટીની ઉજવણી અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે કહ્યું કે, તેના પતિના મૃત્યુની આગલી રાત્રે તેણે તેના વ્યવસાયને લગતી પાર્ટી કરી હતી. 

તેણે અધિકારીઓને જણાવ્યું કે, તેણે તેના પતિને મિશ્ર વોડકા પીવા માટે આપ્યું હતું. ત્યાર પછી તે તેને બેભાન અવસ્થામાં મળ્યો હતો. તેણે કહ્યું કે તેણે તેને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. જો કે, પાછળથી ડોક્ટરે કહ્યું કે, ફેન્ટાનીલ નામની દવાઓના ઓવરડોઝને કારણે એરિકનું મોત થયું હતું. તે તેના શરીરમાં મર્યાદા કરતા અનેક ગણું વધારે જોવા મળ્યું છે. કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, કોરી એક પરિચિત માણસ પાસે બહાનું બનાવીને દવાઓ મંગાવ્યા કરતી હતી, અને તેને તેના પતિ એરિકને ખાવાના ખોરાકમાં ભેળવીને આપતી હતી. કોરીએ જ પોલીસને ફોન કર્યો અને જણાવ્યું હતું કે તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો. હવે તે તેના પતિની હત્યાના આરોપનો સામનો કરી રહી છે. 

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.