સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ હોબાળો મચી ગયો, બારી તોડીને ભાગવા લાગ્યા લોકો, Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો ટ્રેનની બારી તોડીને ભાગતા જોઈ શકાય છે. મામલો લંડનનો જણાવવામાં આવી રહ્યો છે. ટ્રેનના દરવાજા ન ખૂલતા હોવાથી લોકોએ બારીઓ તોડી નાખવી પડી હતી. જ્યારે ફાયર એલાર્મ વાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં લોકો પાસે પોતાનો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ઘણો ધુમાડો હતો.

આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા જાહેર માફી માંગવામાં આવી છે. આ સાથે ફાયર બ્રિગેડને તૈનાત કરવાની ખાતરી આપી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ઈમરજન્સી દરમિયાન પણ દરવાજા કેમ ન ખુલ્યા.

જેક શાર્પ નામના વ્યક્તિએ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તે ક્લેફામ કોમનમાં ટ્રેનમાં ફસાઈ ગયો છે, જે ધુમાડાથી ભરેલી છે, દરવાજા ખુલી રહ્યા નથી. જેકે કહ્યું કે, સ્ટેશન સ્ટાફે આ ઘટના પર યોગ્ય પ્રતિક્રિયા આપી નથી. તેણે ટ્રાન્સપોર્ટ ફોર લંડનને કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ.

તેના જવાબમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડને કહ્યું કે, ફાયર બ્રિગેડને જાણ થઈ ગઈ હતી કે આગ લાગી નથી. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેક દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

એક યુઝરે કહ્યું, 'આગ નથી લાગી, એનો મતલબ એ નથી કે દરવાજા ખુલે જ નહિ, જ્યારે તે વખતે ઈમરજન્સી હતી. દરેક વ્યક્તિ પોતાની જાતને તૂટેલી બારીમાંથી બહાર કાઢી શકતી નથી.' અન્ય એક યુઝરે કહ્યું, 'ઘણા લોકો ફસાયેલા લોકોને મદદ કરવા અને બહાર કાઢવાને બદલે તેમના ફોનમાં વ્યસ્ત છે.'

ટ્રાન્સપોર્ટ ફોર લંડને ખાતરી આપી કે તેઓએ લંડન ફાયર બ્રિગેડને સ્થાન પર તૈનાત કર્યા છે. અધિકારીઓ આગનો કોઈ સ્ત્રોત શોધી શક્યા નથી. તેઓએ લખ્યું હતું કે, 'અમે ક્લેફામ કોમન ખાતે સર્જાયેલી મુશ્કેલી માટે દિલગીર છીએ. લંડન ફાયર બ્રિગેડે સ્ટેશનની મુલાકાત લીધી છે અને ખાતરી કરી છે કે ત્યાં કોઈ આગ નથી. અમે ઘટનાની વિગતોની તપાસ કરી રહ્યા છીએ.'

અન્ય એકે કહ્યું, 'આ ટ્રેનમાં એકબીજાને મદદ કરી રહેલા કામદારો અને મુસાફરોએ સારુ કામ કર્યું, અને ભગવાનનો આભાર માનો કે આગ લાગી ન હતી.'

Nigel Ingofink નામના એક મુસાફરે, મીડિયા સાથે ઘટનાઓની વિગતો શેર કરતાં જણાવ્યું કે, અંધાધૂંધી લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે, લાઇટ બંધ થાય તે પહેલા ટ્રેન અચાનક બંધ થઈ ગઈ હતી. કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી અને મુસાફરો અન્ય કોચમાંથી લોકોની બૂમો સાંભળી શકતા હતા. દરવાજા ખુલતા ન હોવાથી, તે પોતે અન્ય મુસાફરો સાથે ટ્રેનના પાછળના ભાગમાં ગયો, જ્યાં તેને બહાર નીકળવા માટે બારીઓ તૂટેલી જોવા મળી. તેણે કહ્યું કે, કમ્પાર્ટમેન્ટમાં સળગવાની અને ધુમાડાની તીવ્ર ગંધ આવી રહી હતી.

લંડન ફાયર બ્રિગેડને આગના કોઈ પુરાવા મળ્યા નથી, ટીમના આગમન પહેલા મોટાભાગના મુસાફરો ટ્રેનમાંથી નીકળી ગયા હતા. ઈજાના કોઈ અહેવાલો નોંધાયા નથી.

About The Author

Related Posts

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.