‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના અલગાવવાદી નેતા મીર યાર બલોચે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. ગુરુવારે વાજપેયીની 101મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા મીર યારે કહ્યું કે, તેઓ એક શાનદાર નેતા હતા, જેમણે પોતાનો એક અદ્ભુત વારસો છોડ્યો છે. બલૂચિસ્તાનના લોકો ખાસ કરીને અટલ બિહારી વાજપેયીને યાદ કરે છે અને તેમના વારસાનું સન્માન કરે છે. મીર યારે તેમના સોશિયલ મીડિયા પર ભારતીય નેતાઓને સતત યાદ કરતા રહ્યા છે, જ્યારે પાકિસ્તાની સેના અને સરકારની આકરી ટીકા કરે છે.

મીર યારે તેમના X એકાઉન્ટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસ્થાપકોમાંથી એક વાજપેયીની તસવીર શેર કરલા લખ્યું કે, ‘આજે, 25 ડિસેમ્બર, 2025ના રોજ, બલૂચિસ્તાન પ્રજાસત્તાકના લોકો વિશ્વભરના લાખો લોકો સાથે મળીને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ મનાવી રહ્યા છે. તેઓ એક એવા રાજનેતા હતા જેમનું જીવન પ્રામાણિકતા, શિષ્ટાચાર અને પોતાના દેશ પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતા દ્વારા પરિભાષિત હતું.

mir-yar-baloch
x.com/miryar_baloch

મીર યારે આગળ લખ્યું કે, ‘અટલ બિહારી વાજપેયી સત્ય બોલતા હતા, પ્રામાણિકતાથી કાર્ય કરતા હતા અને રાજકારણને એક કવિની આત્માની ગરિમા સાથે નિભાવતા હતા. મિત્રો અને વિરોધીઓ સાથે સમાન રૂપે કામ કરવાની તેમની ક્ષમતાએ તેમને સાર્વજનિક જીવનમાં એક દુર્લભ વ્યક્તિ બનાવ્યા. તેમનું સન્માન ફક્ત શક્તિ માટે નહીં, પરંતુ તેમના ચારિત્ર્ય, વિનમ્રતા અને નૈતિક શક્તિ માટે કરવામાં આવે છે.

મીર યાર બલોચે પોતાની પોસ્ટના અંતમાં કહ્યું કે, ‘વાજપેયીના જન્મદિવસ પર, બલૂચિસ્તાન પ્રજાસત્તાકના લોકો તેમના સ્થાયી વારસાનું સન્માન કરે છે. તે એ વાતને યાદ અપાવે છે કે મહાન નેતાઓ ક્યારેય હકીકતમાં મૃત્યુ પામતા નથી. તેમના મૂલ્ય પેઢીઓને માર્ગ બતાવતા રહે છે. તેઓ ઇતિહાસમાં વિવેક, જ્ઞાન, પ્રામાણિકતા અને સાહસથી ભરેલા ભવિષ્યની આશામાં જીવંત રહે છે.

atal-bihari-vajpayee1
bjp.org

3 વખત વડાપ્રધાન રહ્યા અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી ભારતના સૌથી પ્રખ્યાત રાજકારણીઓમાંથી એક છે. વાજપેયી લગભગ પાંચ દાયકા સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. તેઓ 9 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. અટલ બિહારી વાજપેયી 1980માં રચાયેલી ભાજપના સંસ્થાપક અધ્યક્ષ હતા.

અટલ બિહારી વાજપેયી 1996 થી 2004 સુધી, 3 વખત ભારતના વડાપ્રધાન રહ્યા. વડાપ્રધાન ઉપરાંત, વાજપેયીએ વિદેશ મંત્રી, સંસદની ઘણી મહત્ત્વપૂર્ણ સ્થાયી સમિતિઓના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. વાજપેયીને વર્ષ 2015 સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.