જાકો રાખે સાંઇયા...,વિમાન ક્રેશ થયેલું, 40 દિવસ પછી 4 બાળકો જીવતા મળ્યા

આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે, ‘જાકો રાખે સાઇયાં માર સકે ન કોઇ’, એવી જ ગુજરાતમાં પણ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાતને ચરિતાર્થ કરતી એક ઘટના સામે આવી છે. એક વિમાન દુર્ઘટનામાં 40 દિવસ પછી 4 બાળકો હેમખેમ પાછા મળી આવ્યા છે, આને લોકો કુદરતી ચમત્કાર માની રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ કોલંબિયામાં 40 દિવસ પહેલા એક વિમાન દુર્ઘટનામાં ગુમ થયેલા 4 બાળકો અમેઝોનના જંગલોમાં સુરક્ષિત અને જીવતા મળી આવ્યા છે.કોલંબિયાના રાષ્ટ્રપતિ ગસ્તાવો પેટ્રોએ શનિવારે આ માહિતી આપી છે.

ક્યૂબાથી બગોટા પાછા ફર્યા પછી કોલંબિયાના રાષ્ટ્રપતિ ગસ્તાવો પેટ્રોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, વિમાન દુર્ઘટનામાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે મોટા પાયે જંગલોમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 40 દિવસની મહેનત પછી 4 બાળકો મળી આવ્યા છે અને ખુશીની વાત એ છે કે આ ચારેય બાળકો સહીસલામત છે. અત્યારે આ બાળકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કોઇ ચમત્કારથી ઓછી ઘટના નથી.

વિદ્રાહી જૂથ નેશનલ લિબરેશન આર્મીના પ્રતિનિધિઓ સાથે સંઘર્ષ વિરામ કરાર પર હસ્તાક્ષર કરવા માટે કોલંબિયાના રાષ્ટ્રપતિ ક્યૂબા ગયા હતા.રાષ્ટ્રપતિએ કહ્યું કે, જંગલમાં આટલી વિષમ પરિસ્થિત વચ્ચે 40 દિવસો સુધી બાળકો જીવતા રહ્યા એ કોઇ ચમત્કારથી કમ નથી અને તેમની આ વાત ઇતિહાસના પાનાઓ પર અંક્તિ થશે.

આ  ચારેય બાળકો સેસનાના એ સિંગલ એન્જિનવાળા વિમાનમાં સામેલ હતા,જે 1મેના દિવસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 6 લોકો સવાર હતા. એન્જિનમાં ખામી ઉભી થવાને કારણે વિમાન ક્રેશ થઇ ગયું હતું અને 2 લોકોના મોત થયા હતા, પરંતુ 4 બાળકોનો કોઇ પત્તો લાગ્યો નહોતો. આ ઘટના પથી વિમાનનો રડાર સાથે સંપર્ક તુટી ગયો હતો. સરકારે આ 4 બાળકોને શોધવા માટે મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સેનાના જવાનો જંગલો ખુંદી વળ્યા હતા, ત્યારે 4 બાળકો 40 દિવસ પછી મળી આવતા જવાનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

તમે વિચારો કે જંગલમાં 40  દિવસો આ માસૂમ બાળકોએ કેવી રીતે વિતાવ્યા હશે? ન પાણી મળે કે ન ઘરનું ખાવાનું, પરંતુ ખરેખર આ ચમત્કારની વાત છે કે બાળકો જીવતા રહ્યા.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.