આ દેશના PMની રેસમાં આગળ ગીર્ટ વિલ્ડર્સે કહ્યું- મુસ્લિમો દેશ છોડી જતા રહે

નેધરલેન્ડમાં પ્રધાનમંત્રીની હોડમાં સૌથી આગળ ચાલી રહેલા ગીર્ટ વિલ્ડર્સે કુરાનમાં વધારે વિશ્વાસ રાખનારા મુસલમાનોને દેશ છોડીને જતા રહેવા કહ્યું છે. ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ટે કહ્યું કે, એ મુસલમાનો કોઇપણ ઈસ્લામિક દેશમાં જઈને રહી શકે છે, જેનો ભરોસો કુરાન પર છે. ગીર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવા મુસલમાન નેધરલેન્ડ છોડી જતા રહે, જે ધર્મનિરપેક્ષ કાયદાઓથી વધારે કુરાનને મહત્વ આપે છે અને કુરાનના કાયદાને દેશથી વધારે અગત્યના માને છે. તેમના માટે કોઈ ઈસ્લામિક દેશમાં જઈ રહેવું યોગ્ય રહેશે. નેધરલેન્ડમાં તેમના માટે કોઈ સ્થાન નથી.

ગીર્ટે કહ્યું કે, મારો નેધરલેન્ડમાં રહેનારા બધા મુસલમાનો માટે ચોખ્ખો સંદેશો છે કે જો તમે અમારા દેશના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોને માનશો નહીં તો તમારા માટે અહીં જગ્યા નથી. એવા ઘણાં છે જેઓ દેશ કરતા વધારે કુરાનને માને છે. પ્રોફેસર કૂમ્પંસની રિપોર્ટ કહે છે કે, 7 લાખ મુસલમાનો આવા છે. હું આ દરેકને ગેટ આઉટ(જતા રહો) કહેવા માગુ છું. જાઓ અને જઈને ઈસ્લામિક દેશમાં રહો. કારણ એ તમારા કાયદા છે. આ તમારો દેશ નથી.

હું જ PM બનીશ- ગીર્ટ

ગીર્ટ વિલ્ડર્સે એવું પણ કહ્યું કે, તેઓ આવનારા પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે આજે, કાલે કે પરમ દિવસે પીવીવી સરકારનો ભાગ રહેશે અને હું આ સુંદર દેશનો પ્રધાનમંત્રી બનીશ. એક પોસ્ટમાં તેમણે પોતાની ફ્રીડમ પાર્ટી(પીવીવી)ની સાથે સહયોગ કરવાની અનિચ્છા માટે અન્ય પાર્ટીઓના વલણ પર નિરાશા વ્યક્ત કરી. જણાવીએ કે, ગીર્ટની પાર્ટીને હાલની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મળ્યા પછી તેમની ખાસ્સી ચર્ચા છે.

ગીર્ટ નેધરલેન્ડમાં વિપક્ષી નેતા તરીકે પાછલા અમુક વર્ષોમાં સતત ઈસ્લામ વિરોધી નિવેદનબાજી કરતા રહ્યા છે. ઈસ્વામ અને મુસ્લિમોનો વિરોધ ગીર્ટ અને તેમની પાર્ટી પીવીવીના રાજકીય અભિયાનનો હિસ્સો રહી છે. પાર્ટી નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણાં વિવાદાસ્પદ વાયદાઓ કર્યા છે. જેમાં સાર્વજનિક સ્થાનો પર ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવો ગેરકાદયદેસર જાહેર કરવા, મસ્જિદો બંધ કરવી અને કુરાન પર પ્રતિબંધ લગાવવાના સૂચનો સામેલ છે. હાલમાં જ ગીર્ટ વિલ્ડર્સે ઈઝરાયલ-ફિલીસ્તાન વિવાદ પર એવું કહ્યું હતું કે, દરેક ફિલિસ્તાનીઓને જોર્ડનમાં સ્થાનાંતરિત કરી દેવા જોઇએ. જેથી ઈઝરાયલ-ફિલિસ્તાન સંઘર્ષનો સ્થાયી નિરાકરણ આવી શકે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.