આ દેશના PMની રેસમાં આગળ ગીર્ટ વિલ્ડર્સે કહ્યું- મુસ્લિમો દેશ છોડી જતા રહે

નેધરલેન્ડમાં પ્રધાનમંત્રીની હોડમાં સૌથી આગળ ચાલી રહેલા ગીર્ટ વિલ્ડર્સે કુરાનમાં વધારે વિશ્વાસ રાખનારા મુસલમાનોને દેશ છોડીને જતા રહેવા કહ્યું છે. ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ટે કહ્યું કે, એ મુસલમાનો કોઇપણ ઈસ્લામિક દેશમાં જઈને રહી શકે છે, જેનો ભરોસો કુરાન પર છે. ગીર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવા મુસલમાન નેધરલેન્ડ છોડી જતા રહે, જે ધર્મનિરપેક્ષ કાયદાઓથી વધારે કુરાનને મહત્વ આપે છે અને કુરાનના કાયદાને દેશથી વધારે અગત્યના માને છે. તેમના માટે કોઈ ઈસ્લામિક દેશમાં જઈ રહેવું યોગ્ય રહેશે. નેધરલેન્ડમાં તેમના માટે કોઈ સ્થાન નથી.

ગીર્ટે કહ્યું કે, મારો નેધરલેન્ડમાં રહેનારા બધા મુસલમાનો માટે ચોખ્ખો સંદેશો છે કે જો તમે અમારા દેશના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોને માનશો નહીં તો તમારા માટે અહીં જગ્યા નથી. એવા ઘણાં છે જેઓ દેશ કરતા વધારે કુરાનને માને છે. પ્રોફેસર કૂમ્પંસની રિપોર્ટ કહે છે કે, 7 લાખ મુસલમાનો આવા છે. હું આ દરેકને ગેટ આઉટ(જતા રહો) કહેવા માગુ છું. જાઓ અને જઈને ઈસ્લામિક દેશમાં રહો. કારણ એ તમારા કાયદા છે. આ તમારો દેશ નથી.

હું જ PM બનીશ- ગીર્ટ

ગીર્ટ વિલ્ડર્સે એવું પણ કહ્યું કે, તેઓ આવનારા પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે આજે, કાલે કે પરમ દિવસે પીવીવી સરકારનો ભાગ રહેશે અને હું આ સુંદર દેશનો પ્રધાનમંત્રી બનીશ. એક પોસ્ટમાં તેમણે પોતાની ફ્રીડમ પાર્ટી(પીવીવી)ની સાથે સહયોગ કરવાની અનિચ્છા માટે અન્ય પાર્ટીઓના વલણ પર નિરાશા વ્યક્ત કરી. જણાવીએ કે, ગીર્ટની પાર્ટીને હાલની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મળ્યા પછી તેમની ખાસ્સી ચર્ચા છે.

ગીર્ટ નેધરલેન્ડમાં વિપક્ષી નેતા તરીકે પાછલા અમુક વર્ષોમાં સતત ઈસ્લામ વિરોધી નિવેદનબાજી કરતા રહ્યા છે. ઈસ્વામ અને મુસ્લિમોનો વિરોધ ગીર્ટ અને તેમની પાર્ટી પીવીવીના રાજકીય અભિયાનનો હિસ્સો રહી છે. પાર્ટી નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણાં વિવાદાસ્પદ વાયદાઓ કર્યા છે. જેમાં સાર્વજનિક સ્થાનો પર ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવો ગેરકાદયદેસર જાહેર કરવા, મસ્જિદો બંધ કરવી અને કુરાન પર પ્રતિબંધ લગાવવાના સૂચનો સામેલ છે. હાલમાં જ ગીર્ટ વિલ્ડર્સે ઈઝરાયલ-ફિલીસ્તાન વિવાદ પર એવું કહ્યું હતું કે, દરેક ફિલિસ્તાનીઓને જોર્ડનમાં સ્થાનાંતરિત કરી દેવા જોઇએ. જેથી ઈઝરાયલ-ફિલિસ્તાન સંઘર્ષનો સ્થાયી નિરાકરણ આવી શકે.

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.