આ દેશના PMની રેસમાં આગળ ગીર્ટ વિલ્ડર્સે કહ્યું- મુસ્લિમો દેશ છોડી જતા રહે

નેધરલેન્ડમાં પ્રધાનમંત્રીની હોડમાં સૌથી આગળ ચાલી રહેલા ગીર્ટ વિલ્ડર્સે કુરાનમાં વધારે વિશ્વાસ રાખનારા મુસલમાનોને દેશ છોડીને જતા રહેવા કહ્યું છે. ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ટે કહ્યું કે, એ મુસલમાનો કોઇપણ ઈસ્લામિક દેશમાં જઈને રહી શકે છે, જેનો ભરોસો કુરાન પર છે. ગીર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, એવા મુસલમાન નેધરલેન્ડ છોડી જતા રહે, જે ધર્મનિરપેક્ષ કાયદાઓથી વધારે કુરાનને મહત્વ આપે છે અને કુરાનના કાયદાને દેશથી વધારે અગત્યના માને છે. તેમના માટે કોઈ ઈસ્લામિક દેશમાં જઈ રહેવું યોગ્ય રહેશે. નેધરલેન્ડમાં તેમના માટે કોઈ સ્થાન નથી.

ગીર્ટે કહ્યું કે, મારો નેધરલેન્ડમાં રહેનારા બધા મુસલમાનો માટે ચોખ્ખો સંદેશો છે કે જો તમે અમારા દેશના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોને માનશો નહીં તો તમારા માટે અહીં જગ્યા નથી. એવા ઘણાં છે જેઓ દેશ કરતા વધારે કુરાનને માને છે. પ્રોફેસર કૂમ્પંસની રિપોર્ટ કહે છે કે, 7 લાખ મુસલમાનો આવા છે. હું આ દરેકને ગેટ આઉટ(જતા રહો) કહેવા માગુ છું. જાઓ અને જઈને ઈસ્લામિક દેશમાં રહો. કારણ એ તમારા કાયદા છે. આ તમારો દેશ નથી.

હું જ PM બનીશ- ગીર્ટ

ગીર્ટ વિલ્ડર્સે એવું પણ કહ્યું કે, તેઓ આવનારા પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે આજે, કાલે કે પરમ દિવસે પીવીવી સરકારનો ભાગ રહેશે અને હું આ સુંદર દેશનો પ્રધાનમંત્રી બનીશ. એક પોસ્ટમાં તેમણે પોતાની ફ્રીડમ પાર્ટી(પીવીવી)ની સાથે સહયોગ કરવાની અનિચ્છા માટે અન્ય પાર્ટીઓના વલણ પર નિરાશા વ્યક્ત કરી. જણાવીએ કે, ગીર્ટની પાર્ટીને હાલની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મળ્યા પછી તેમની ખાસ્સી ચર્ચા છે.

ગીર્ટ નેધરલેન્ડમાં વિપક્ષી નેતા તરીકે પાછલા અમુક વર્ષોમાં સતત ઈસ્લામ વિરોધી નિવેદનબાજી કરતા રહ્યા છે. ઈસ્વામ અને મુસ્લિમોનો વિરોધ ગીર્ટ અને તેમની પાર્ટી પીવીવીના રાજકીય અભિયાનનો હિસ્સો રહી છે. પાર્ટી નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણાં વિવાદાસ્પદ વાયદાઓ કર્યા છે. જેમાં સાર્વજનિક સ્થાનો પર ઈસ્લામિક હેડસ્કાર્ફ પહેરવો ગેરકાદયદેસર જાહેર કરવા, મસ્જિદો બંધ કરવી અને કુરાન પર પ્રતિબંધ લગાવવાના સૂચનો સામેલ છે. હાલમાં જ ગીર્ટ વિલ્ડર્સે ઈઝરાયલ-ફિલીસ્તાન વિવાદ પર એવું કહ્યું હતું કે, દરેક ફિલિસ્તાનીઓને જોર્ડનમાં સ્થાનાંતરિત કરી દેવા જોઇએ. જેથી ઈઝરાયલ-ફિલિસ્તાન સંઘર્ષનો સ્થાયી નિરાકરણ આવી શકે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.