ભૂકંપની તબાહી જોઈ તાનાશાહનું હૃદય પણ પીગળી ગયું, આ જાહેરાત કરી દીધી

ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં સુધી લગભગ 8 હજાર લોકોના મોત થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સીરિયામાં તબાહીને લઈને શોક સંદેશ આપ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ભૂકંપ પર તેમના સીરિયાના સમકક્ષ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને એક વૉઇસ સંદેશમાં કિમ જોંગ ઉને કહ્યું, મને ખાતરી છે કે તમારા નેતૃત્વ હેઠળ, સીરિયાની સરકાર અને લોકો ભૂકંપને કારણે થયેલા નુકસાનને જલદીથી દૂર કરશે અને અસરગ્રસ્ત લોકોનું જીવન સ્થિર થઈ જશે.

દરમિયાન, દક્ષિણ કોરિયાએ કહ્યું કે તે તુર્કીને સંકટની માનવતાવાદી સહાયમાં 5 મિલિયન ડોલરની ઓફર કરશે, અને સર્ચ અને રેસ્ક્યુ કામગીરીને ટેકો આપવા માટે 110 લોકોની ટીમને મોકલશે. ચિકિત્સા આપૂર્તિ પણ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ મંગળવારે આ માહિતી આપી.

જાન્યુઆરી 2023માં જ સમાચાર સામે આવ્યા હતા કે કિમ જોંગ ઉન તેમના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે તે આખો દિવસ દારૂ પીતો રહે છે અને રડતો રહે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. તે ખૂબ જ એકલતા અનુભવે છે અને દબાણમાં છે. તેમનું વજન વધી ગયું છે અને તે સતત દારૂ પી રહ્યા છે અને ધૂમ્રપાન કરી રહ્યા છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.