ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક

ભારતીય મૂળના અબજપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ આ દિવસોમાં લાઇમલાઇટમાં છે. સોશિયલ મીડિયા પર વસુંધરાએ યુગાન્ડા જેલમાં વિતાવેલા દિવસો બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એટલું જ નહીં, વસુંધરા ઓસ્વાલે દાવો કર્યો છે કે યુગાન્ડામાં તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે.

ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિની હત્યામાં વસુંધરાને જેલમાં બંધ રાખવામાં આવી તે જીવતો નીકળ્યો. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વસુંધરાએ યુગાન્ડા સરકારને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. યુગાન્ડાની મીડિયા અનુસાર, વસુંધરા પર તેના પિતા પંકજ ઓસવાલના પૂર્વ કર્મચારી મુકેશ મેનારિયાનું અપહરણ અને હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ તપાસ બાદ મુકેશ તંઝાનિયામાં મળ્યો અને તે બીમાર હતો.

vasundhara2

મીડિયાને આપેલા નિવેદનમાં, વસુંધરાએ દાવો કર્યો કે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં બંધ કરવામાં આવી હતી. વસુંધરાનો આરોપ છે કે જેલમાં તેમને ખાવાનું આપવામાં આવતું નહોતું અને તેને નાહવાની પણ મંજૂરી નહોતી.  તેના પિતા પંકજ ઓસવાલને તેમની પાસે જીવિત રહેવા સુધીનું ખાવાનું પહોંચાડવા માટે મોટી રકમ ખર્ચવી પડી.

vasundhara

તેણે આરોપ લગાવ્યો કે જેલમાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. તેના વિરોધ કરવા છતા, પોલીસકર્મીઓ તેની સાથે ગેરવર્તન કરતા રહ્યા. વસુંધરાનો આરોપ છે કે તેને 1 ઓક્ટોબર, 2024ના રોજ કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબરે તેને જામીન મળ્યા. આ દરમિયાન, જેલમાં તેને નર્ક જેવું જીવન જીવવું પડ્યું. તેને એક કોઠરીમાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.