ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક

ભારતીય મૂળના અબજપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ આ દિવસોમાં લાઇમલાઇટમાં છે. સોશિયલ મીડિયા પર વસુંધરાએ યુગાન્ડા જેલમાં વિતાવેલા દિવસો બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એટલું જ નહીં, વસુંધરા ઓસ્વાલે દાવો કર્યો છે કે યુગાન્ડામાં તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે.

ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિની હત્યામાં વસુંધરાને જેલમાં બંધ રાખવામાં આવી તે જીવતો નીકળ્યો. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વસુંધરાએ યુગાન્ડા સરકારને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. યુગાન્ડાની મીડિયા અનુસાર, વસુંધરા પર તેના પિતા પંકજ ઓસવાલના પૂર્વ કર્મચારી મુકેશ મેનારિયાનું અપહરણ અને હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ તપાસ બાદ મુકેશ તંઝાનિયામાં મળ્યો અને તે બીમાર હતો.

vasundhara2

મીડિયાને આપેલા નિવેદનમાં, વસુંધરાએ દાવો કર્યો કે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં બંધ કરવામાં આવી હતી. વસુંધરાનો આરોપ છે કે જેલમાં તેમને ખાવાનું આપવામાં આવતું નહોતું અને તેને નાહવાની પણ મંજૂરી નહોતી.  તેના પિતા પંકજ ઓસવાલને તેમની પાસે જીવિત રહેવા સુધીનું ખાવાનું પહોંચાડવા માટે મોટી રકમ ખર્ચવી પડી.

vasundhara

તેણે આરોપ લગાવ્યો કે જેલમાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. તેના વિરોધ કરવા છતા, પોલીસકર્મીઓ તેની સાથે ગેરવર્તન કરતા રહ્યા. વસુંધરાનો આરોપ છે કે તેને 1 ઓક્ટોબર, 2024ના રોજ કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબરે તેને જામીન મળ્યા. આ દરમિયાન, જેલમાં તેને નર્ક જેવું જીવન જીવવું પડ્યું. તેને એક કોઠરીમાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.