ધ્રાંગધ્રામાં વીજળી પડવાને કારણે એક ભરવાડ અને 80 બકરાના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે આફત ઉભી કરી દીધી છે. એક તરફ ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે, નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે તો બીજી તરફ આઘાતજનક સમાચાર એ જાણવા મળ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધામાં વીજળી પડવાને કારણે એક માલધારી અને 80 બકરાના મોત થયા છે.માવઠાના મારમાં બિચારી અબોલ પશુઓએ જીવ ગુમાવવાની નોબત ઉભી થઇ છે.  હજુ બે મહિના પહેલા ઉત્તરકાશીના એક જંગલમાં વીજળી પડવાને કારણે 350 બકરાંના મોત થયા હતા.

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી કમોસમી વરસાદ રાજ્યના ઘણા બધા વિસ્તારોને ઘમરોળી રહ્યો છે. બુધવારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકાને કારણે એક માલધારી અને 80 બકરાં મોતને ભેટ્યા છે. ધાંગ્રધા તાલુકાના નરાળી, કોપરાણી, સતાપર, બાવરી, જસાપર, હરિપર, દુદાપુર અને નવલગઢ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ હજુ તો ગઇકાલેજ સુરેન્દ્રનગરના નાવીયાણી ગામમાં એક યુવાનનું વીજળી પડવાને કારણે મોત થયું હતું તો બુધવારે જસાપર ગામની સીમમાં ચેતન ભરવાડ નામનો યુવાન પોતાની બકરી ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડવાને કારણે ચેતનનું મોત થયું હતું અને તેની સાથેના 80 બકરાંના પણ મોત થયા હતા.

હવામાન વિભાગ સતત છુટાછવાયા કમોસમી વરસાદની સતત આગાહી કરતું આવ્યું છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો સતત આઠમા દિવસે અહીં કમોસમી વરસાદની હેલી ચાલું જ રહી છે. અમરેલીના રાજુલા અને કેટલાંક ગામડાંઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.બનાસકાંઠાના ધાનેરામાં વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો.

આ વખતના માવઠાંએ ખેડુતોના પાકને તો મોટું નુકશાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે જનજીવન પણ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 7 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બુધવારે સાંજે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ આવી શકે છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.