ધ્રાંગધ્રામાં વીજળી પડવાને કારણે એક ભરવાડ અને 80 બકરાના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે આફત ઉભી કરી દીધી છે. એક તરફ ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે, નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે તો બીજી તરફ આઘાતજનક સમાચાર એ જાણવા મળ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધામાં વીજળી પડવાને કારણે એક માલધારી અને 80 બકરાના મોત થયા છે.માવઠાના મારમાં બિચારી અબોલ પશુઓએ જીવ ગુમાવવાની નોબત ઉભી થઇ છે.  હજુ બે મહિના પહેલા ઉત્તરકાશીના એક જંગલમાં વીજળી પડવાને કારણે 350 બકરાંના મોત થયા હતા.

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી કમોસમી વરસાદ રાજ્યના ઘણા બધા વિસ્તારોને ઘમરોળી રહ્યો છે. બુધવારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકાને કારણે એક માલધારી અને 80 બકરાં મોતને ભેટ્યા છે. ધાંગ્રધા તાલુકાના નરાળી, કોપરાણી, સતાપર, બાવરી, જસાપર, હરિપર, દુદાપુર અને નવલગઢ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

જાણવા મળેલી વિગત મુજબ હજુ તો ગઇકાલેજ સુરેન્દ્રનગરના નાવીયાણી ગામમાં એક યુવાનનું વીજળી પડવાને કારણે મોત થયું હતું તો બુધવારે જસાપર ગામની સીમમાં ચેતન ભરવાડ નામનો યુવાન પોતાની બકરી ચરાવી રહ્યો હતો ત્યારે વીજળી પડવાને કારણે ચેતનનું મોત થયું હતું અને તેની સાથેના 80 બકરાંના પણ મોત થયા હતા.

હવામાન વિભાગ સતત છુટાછવાયા કમોસમી વરસાદની સતત આગાહી કરતું આવ્યું છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો સતત આઠમા દિવસે અહીં કમોસમી વરસાદની હેલી ચાલું જ રહી છે. અમરેલીના રાજુલા અને કેટલાંક ગામડાંઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.બનાસકાંઠાના ધાનેરામાં વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો.

આ વખતના માવઠાંએ ખેડુતોના પાકને તો મોટું નુકશાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે જનજીવન પણ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 7 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બુધવારે સાંજે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ આવી શકે છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.