- Kutchh
- પ્રેમમાં દગો મળ્યા બાદ વાંકાનેરની યુવતીએ જીવન ટૂંકાવ્યું
પ્રેમમાં દગો મળ્યા બાદ વાંકાનેરની યુવતીએ જીવન ટૂંકાવ્યું
મોરબીના વાંકાનેરમાં એક યુવતીને પ્રેમમાં દગો મળતા યુવતીએ આત્મહત્યા કરી છે. આરોપી યુવકે યુવતીને પોતાની જાતિનો હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જ્યારે યુવક બીજી જાતિનો હોવાના કારણે યુવતીએ આપઘાત કરી લીધો. આ સમગ્ર મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો મોરબીના વાંકાનેરમાં સિંધાવદર રોડ પર આવેલી દૂધની ડેરીની સામે આવેલા એક રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં 21 વર્ષની યુવતીની લાશ મળી આવી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જો કે આ મામલે મૃતક યુવતીના માતા-પિતાએ અમરસર ગામના વાતની સમીર બાલોચ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પરિવારજનોએ આ મામલે સમીર બાલોચ પર આક્ષેપો કર્યા હતા કે, આરોપીએ તેમની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જો કે યુવતીને થોડા સમય પહેલા આરોપી મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે યુવતીએ આરોપી સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. સંબંધ તોડ્યા પછી પણ આરોપી યુવતીને વારંવાર સંબંધ રાખવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ સાથે જ પરિવારજનોએ યુવતીનું અપહરણ કરીને યુવતીની હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
પરિવારના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ છોકરાએ બેથી ત્રણ મહિના પહેલા પોતે હિન્દુ હોવાનું કહીને અમારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી પછી જ્યારે એ મુસ્લિમ હોવાની અમને ખબર પડી ત્યારે અમે યુવકને કહી દીધું કે તું આ રસ્તે હવે આવતો નહીં. પછી બે મહિના પછી મારા દીકરાને એ યુવકે મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે મૃતક યુવતીના પિતાની ફરીયાદના આધારે આરોપી સમીર બાલોચની ધરપકડ છે.
પોલીસે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આરોપી દલિત હોવાનું ખોટું કહીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીને જ્યારે યુવક મુસ્લિમ હોવાનું જાણવા મળતા યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાંખ્યો હતો પરંતુ આરોપી યુવતીને માનસિક ત્રાસ હોવાથી યુવતીએ કંટાળીને અંતે આ પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે. આ અનુસંધાને અમે 306 અને એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી આરોપી સમીર બાલોચની ધરપકડ કરવામાં આવી છે.

