83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

ભારતીય સિનેમાના મહાનાયક અને સદીના મહાનાયક ગણાતા 83 વર્ષીય અમિતાભ બચ્ચન તેમની અદ્ભુત અદાકારી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે. અનેક ભાષાઓની ફિલ્મોમાં યાદગાર અભિનય આપીને અસંખ્ય એવોર્ડ્સ જીતનારા આ પીઢ અભિનેતા સોશિયલ મીડિયા પર તેમના તુમ્બલર બ્લોગ દ્વારા ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. તાજેતરની એક પોસ્ટમાં બિગ બીએ તેમના અતિશય વ્યસ્ત શિડ્યુલ વિશે ખુલાસો કરતા જણાવ્યું છે કે તેઓ ચોવીસે કલાકની નોન-સ્ટોપ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, જેના કારણે તેમની ઊંઘ, સમય અને ખાવા-પીવાની ટેવો પર ભારે અસર પડી રહી છે.

બ્લોગમાં ચાહકોની માફી માંગતા અમિતાભે લખ્યું કે, બ્લોગના ક્રમમાં થયેલી ભૂલો અને કેટલાક દિવસો સુધી ન લખી શકવા બદલ ક્ષમા ચાહું છું. કામના કલાકો અને કામનું ભારે દબાણ એટલું હતું કે મને તમારી સાથે જોડાવાનો સમય જ ન મળ્યો, તે માટે હું દિલગીર છું. સવારે 7 વાગ્યાથી શરૂ થતું કામ બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી ચાલતું હતું... સતત 24 કલાક કામના દિવસો! પરંતુ આપેલી કમિટમેન્ટ્સ એ કમિટમેન્ટ્સ હોય છે અને સમય, ઊંઘ, ખોરાક તેમજ અન્ય તમામ બાબતો કરતાં કામને જ પ્રાધાન્ય આપવું પડે છે.

01

તેમણે વધુમાં ઉમેર્યું, પરંતુ સોની ચેનલ પર KBCની 18મી સીઝન શરૂ થઈ રહી હોવાથી આજે થોડો વિરામ મળ્યો છે. બસ આશા અને પ્રાર્થના જ કરી શકાય. હવેથી હું પહેલાંની જેમ જ તમારી સાથે નિયમિત બ્લોગ દ્વારા જોડાયેલો રહીશ, પરંતુ મને મારી દિનચર્યા થોડી ફરીથી ગોઠવી લેવા દો. મારો પ્રેમ અને સ્નેહ તમારા બધા સાથે છે.

દાયકાઓથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હોવા છતાં બિગ બી માટે કામનું મહત્વ કેટલું છે, તે અંગે તેમણે અગાઉ પણ વાત કરી હતી. આ જ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ એક દિવસ પણ કામ નથી કરતા, ત્યારે તેમની દિનચર્યા ખોરવાઈ જાય છે અને તેઓ અસ્વસ્થ થઈ જાય છે. તેમણે લખ્યું હતું કે, આળસથી ભરેલો એક દિવસ... જેનું કોઈ ખાસ કારણ નહોતું. દરરોજ કામ ન કરવું મને વ્યગ્ર કરી મૂકે છે. જ્યારે તમે દરરોજ શિડ્યુલ મુજબ કામ નથી કરતા, ત્યારે વર્ષોથી કેળવાયેલી તમારી આદતો ખોરવાઈ જાય છે અને આખો દિવસ એક અજાણ્યો કે નકામો દિવસ બની જાય છે.

બિગ બી ફરી એકવાર તેમના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 18મી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ સીઝન 10 ઓગસ્ટ, સોમવારથી રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થઈ રહી છે, જે સોમવારથી શુક્રવાર જોવા મળશે. આ વખતે શોની થીમ 'સોચના પડેગા' રાખવામાં આવી છે.

03

ફિલ્મોની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન તાજેતરમાં નાગ અશ્વિન નિર્દેશિત બ્લોકબસ્ટર ફિલ્મ 'કલ્કિ 2898 AD'માં જોવા મળ્યા હતા, જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ સાયન્સ-ફિક્શન ડ્રામામાં બિગ બીએ ભજવેલા 'અશ્વત્થામા'ના પાત્રે કરોડો દર્શકોના દિલ જીતી લીધા હતા અને ફિલ્મે વિશ્વભરમાં 1,000 કરોડથી વધુની કમાણી કરી હતી. હાલમાં તેઓ આ ફિલ્મના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે.

About The Author

Related Posts

Top News

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Opinion 
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

ભારતીય સિનેમાના મહાનાયક અને સદીના મહાનાયક ગણાતા 83 વર્ષીય અમિતાભ બચ્ચન તેમની અદ્ભુત અદાકારી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે....
Entertainment 
83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.