‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ તેના કર્મચારીઓ માટે એવ જ અનહેપી લીવ પોલિસી રજૂ કરી છે. આ હેઠળ, કર્મચારીઓ કોઈ વાજબી કારણ આપ્યા વિના વાર્ષિક 10 દિવસ સુધીની વધારાની પેઇડ લીવ લઈ શકે છે. બિઝનેસ લીડર હર્ષ ગોયેન્કાએ હવે ભારતીય સંદર્ભમાં આ નીતિને ચર્ચા માટે સામે રાખી છે. તેમનું કહેવું છે કે આપણે આ વાત તરફ વધું ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે કે શું ભારતીય માહોલમાં અનહેપ્પી લીવની જરૂર છે?

5

ચીનીની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ 2024માં, કર્મચારીઓ માટે અનહેપ્પી લીવ નીતિ શરૂ કરી હતી. કંપનીના સ્થાપક યુ ડોંગલાઈના મતે, દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તેઓ ખુશ નથી હોતા; એટલે, જરૂર પડે ત્યારે કામમાંથી દૂર રહેવું સારું છે. આ નીતિ હેઠળ, કર્મચારીઓ દર વર્ષે 10 વધારાના દિવસની પેઇડ રજા લઈ શકે છે. ખાસ વાત એ છે કે, તેમને આ રજા લેવાનું વિગતવાર કારણ આપવાની જરૂર નથી, અને મેનેજર પણ આવી રજાના અનુરોધને નકારી શકતા નથી.

ઉદ્યોગપતિ હર્ષ ગોયેનકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ચીની નીતિ વિશે વિગતો શેર કરી. તેમણે આ ભારતના સંદર્ભમાં ચર્ચાનો વિષય બનાવતા પૂછ્યું કે શું અહીં પણ અનહેપી લીવ નીતિની જરૂર છે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કર્મચારીઓના બર્નઆઉટને રોકવા અને એક કાર્યસ્થળ બનાવવાની શ્રેષ્ઠ રીતો શું હોઇ શકે છે, જ્યાં લોકો વાસ્તવમાં કામ પર આવવાનું પસંદ કરે. તેમની પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર લોકોએ આ નીતિના ફાયદા અને મર્યાદાઓ અંગે વિવિધ મંતવ્યો વ્યક્ત કર્યા.

4

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કહ્યું કે જ્યારે કર્મચારી વ્યક્તિગત અથવા કાર્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝુમી રહ્યા હોય ત્યારે કેટલાક દિવસની રજા મદદ કરી શકે છે. તેનાથી વિપરીત, કેટલાક લોકોનું માનવું છે કે ફક્ત 10 દિવસની વધારાની રજાથી આખા વર્ષની કાર્ય સંસ્કૃતિની સમસ્યાઓનો ઉકેલ આવશે નહીં. એક વપરાશકર્તાએ કહ્યું કે કર્મચારીની તકલીફ હંમેશાં ઓફિસને કારણે થતી નથી,  ક્યારેક ક્યારેક થોડા દિવસની રજા કંપની બંને માટે ફાયદાકારક હોઈ શકે છે. બીજી તરફ કેટલાક લોકોએ લાંબા કામના કલાકો અને વ્યવહાર જેવા મુદ્દાઓને વધુ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા.

શું અનહેપ્પી લીવ પોલિસી?

અનહેપ્પી લીવ પોલિસીનો અર્થ છે કે જો કોઇ કર્મચારી માનસિક રીતે પરેશાન અથવા નાખુશ હોય અને કામમાંથી રજા જોઇએ તો કારણ આપ્યા વિના રજા લઇ શકે છે. ચીની કંપની પાંગ ડોંગ લાઈમાં કર્મચારીઓ દર વર્ષે 10 દિવસ સુધી વધારાની પેઇડ અનહેપ્પી પેઇડ લીવ મળી છે. ખાસ વાત એ છે કે મેનેજરો આ રજાનો ઇનકાર કરી શકતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આ રજાનો અર્થ છે કે જો તમે ખુશ ન હોવ, તો કામ પર આવવાની કોઈ જરૂર નથી; હેલા પોતાને સમય આપો.

પાંગ ડોંગ લાઈની કર્મચારી કલ્યાણ નીતિ ફક્ત 'અનહેપ્પી લીવ' સુધી મર્યાદિત નથી. અહેવાલો અનુસાર, કંપનીના કર્મચારીઓ દિવસમાં સાત કલાક કામ કરે છે અને સપ્તાહના અંતે રજા મળે છે. તેમને વાર્ષિક 30 થી 40 દિવસની રજા પણ મળે છે. આ ઉપરાંત, લ્યૂનર ન્યૂ યર દરમિયાન વધારાના પાંચ દિવસની રજા આપવામાં આવે છે. આ રીતે કંપનીનું ફોકસ નીતિ કર્મચારીઓને જરૂર પડે ત્યારે કામમાંથી બ્રેક આપવા સાથે સાથે તેમને વધું સમય ઉપલબ્ધ કરાવવા પર પણ છે.

About The Author

Related Posts

Top News

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Opinion 
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે

83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

ભારતીય સિનેમાના મહાનાયક અને સદીના મહાનાયક ગણાતા 83 વર્ષીય અમિતાભ બચ્ચન તેમની અદ્ભુત અદાકારી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા છે....
Entertainment 
83 વર્ષની ઉંમરે પહોંચેલા બીગ બી 24 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે, કહ્યું- ખાવા-પીવાના અને ઊંઘના લોચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.