દેશને પહેલી હાઇડ્રોજન ટ્રેન; કોઈ ઇલેક્ટ્રિક વાયરિંગ નહીં, કોઈ ડીઝલ ખર્ચ નહીં, એક સાથે 2600 લોકો મુસાફરી કરી શકશે

17 જુલાઈ, 2026, ભારતીય રેલ્વે માટે એક ઐતિહાસિક તારીખ બની ગઈ છે. PM નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન-ઇંધણવાળી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે તેની પ્રથમ મુસાફરી માટે તૈયાર છે. આ ફક્ત એક નવી ટ્રેનનું લોન્ચિંગ નથી, પરંતુ ભારત માટે પર્યાવરણને અનુકૂળ અને ગ્રીન રેલ પરિવહન તરફ એક મોટું પગલું છે.

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં દેશના રેલ નેટવર્કમાં એક નવી ટેકનોલોજી ઉમેરવા જઈ રહી છે. આ વખતે, ચર્ચા હાઇ-સ્પીડ ટ્રેન વિશે નથી, પરંતુ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા સંચાલિત ટ્રેન વિશે છે. ખાસ વાત એ છે કે, આ ટ્રેનને ચલાવવા માટે ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરિંગ અથવા ડીઝલ એન્જિનની જરૂર પડશે નહીં. એવું માનવામાં આવે છે કે, આ પહેલ ભવિષ્યમાં સ્વચ્છ અને આધુનિક રેલ પરિવહન તરફ એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

India-Hydrogen-Train3
instagram.com

પ્રસ્તાવિત હાઇડ્રોજન ટ્રેનમાં એકસાથે આશરે 2,600 મુસાફરો મુસાફરી કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે. તેની મોટી ક્ષમતાને કારણે, તે વ્યસ્ત રૂટ પર પણ મુસાફરો માટે એક સારો વિકલ્પ બની શકે છે. રેલવે માને છે કે આનાથી પર્યાવરણનું રક્ષણ થશે જ, સાથે સાથે સંચાલન ખર્ચમાં પણ ઘટાડો થશે. આ ટ્રેન સીધી ઓવરહેડ લાઇનોમાંથી વીજળી મેળવશે નહીં. તેના બદલે, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે મોટરને પાવર આપશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઓછા કાર્બન ઉત્સર્જન અને મુખ્યત્વે પાણીની વરાળ ઉત્પન્ન કરે છે. આ જ કારણ છે કે વિશ્વભરના ઘણા દેશો હાઇડ્રોજન આધારિત પરિવહનને ભવિષ્યની ટેકનોલોજી તરીકે ધ્યાનમાં લઈ રહ્યા છે.

ભારતીય નિર્મિત આ હાઇડ્રોજન ટ્રેન ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે બનાવવામાં આવી હતી. તેને બ્રોડગેજ પર ચાલતી વિશ્વની સૌથી લાંબી અને સૌથી વધુ ક્ષમતા ધરાવતી હાઇડ્રોજન ટ્રેન માનવામાં આવે છે.

India-Hydrogen-Train1
amarujala.com

10 કોચવાળી આ ટ્રેન એક સમયે આશરે 2,600 મુસાફરોને લઈ જઈ શકશે, જેમાં 682 બેઠકો ઉપલબ્ધ હશે. ટ્રેનને પાવર આપવા માટે, તેમાં 1200 kW ધરાવતી બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC) છે, જેના લીધે તેની કુલ શક્તિ 2400 kW સુધી થઇ જાય છે. પરીક્ષણ દરમિયાન, ટ્રેને મહત્તમ 120 kmphની ગતિ પ્રાપ્ત કરી હતી, જોકે નિયમિત ચલાવવામાં તે 75 kmphની ઝડપે દોડશે.

રૂટ, સમય અને સસ્તી મુસાફરી: ટ્રેન નં. 74010 (જીંદ-સોનીપત)/ 74009 (સોનીપત-જીંદ), પ્રસ્થાન: જિંદ સ્ટેશનથી સવારે 7:40 વાગ્યે, આગમન: 9:40 વાગ્યે સોનીપત સ્ટેશન પર, સ્ટોપેજ: પાંડુ પિંડારા અને ગોહાના સહિત રૂટમાં 12થી 13 નાના સ્ટેશનો, ભાડું: ફક્ત રૂ. 5થી રૂ. 25, રૂટિન પેસેન્જર ટ્રેનની જેટલું.

India-Hydrogen-Train4
instagram.com

ભારતીય રેલ્વેએ 2030 સુધીમાં 'નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જક' બનવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. આ માટે, જિંદ-સોનીપત સેક્શનને પ્રારંભિક પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જો આ પ્રયોગ સફળ સાબિત થાય છે, તો ભવિષ્યમાં દાર્જિલિંગ અને કાલકા-શિમલા જેવા બિન-ઇલેક્ટ્રિફાઇડ પર્વતીય અને દૂરસ્થ રેલ માર્ગો પર હાઇડ્રોજન ટ્રેનો ડીઝલ એન્જિનની જગ્યા લઇ શકે છે. આનાથી મોંઘા ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઓછી થશે અને ટ્રેક ઉપર ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ (OHE) નાખવાનો ભારે ખર્ચ પણ ઘણો ઘટી જશે.

રેલવે આ ટેકનોલોજીને એવા રૂટ પર પ્રાથમિકતા આપી રહી છે કે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી અથવા જ્યાં ઓવરહેડ પાવર લાઇન નાંખવી મુશ્કેલ અને ખર્ચાળ છે. આવા વિસ્તારોમાં, હાઇડ્રોજન ટ્રેનો વધુ સારો અને ઘણો સસ્તો વિકલ્પ બની શકે છે.

India-Hydrogen-Train5
instagram.com

ડિઝલ એન્જિનની તુલનામાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનો પ્રદૂષણ ઘણું ઓછું કરે છે. આના કારણે ઇંધણ પર નિર્ભરતા ઘટશે, કાર્બન ઉત્સર્જન ઓછું થશે અને રેલવેના ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ઝુંબેશને નવી ગતિ આપશે. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો, તો ભવિષ્યમાં દેશભરના અન્ય ઘણા રૂટ પર આવી ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

ભારતીય રેલવે સતત આધુનિક અને ટકાઉ ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકી રહી છે. વંદે ભારત ટ્રેનો પછી, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનોને હવે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સફળ પરીક્ષણ અને સંચાલન પછી, આ ટેકનોલોજી દેશના રેલ નેટવર્કમાં મોટો ફેરફાર લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ભારત ગેસનો નવો હળવો LPG સિલિન્ડર લોન્ચ, 100 શહેરોમાં મળશે

જો તમે ઘરે LPG ગેસ સિલિન્ડર ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી તેલ કંપની ભારત...
Business 
ભારત ગેસનો નવો હળવો LPG સિલિન્ડર લોન્ચ, 100 શહેરોમાં મળશે

પોલીસ સ્ટેશનમાં મહિલા SI રોશની સિંહની ઉદ્ધતાઈ, મહિલાને 8 સેકન્ડમાં 5 થપ્પડ મારી દીધી

વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશન પરિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આશરે 8 સેકન્ડના આ વીડિયોમાં...
National 
પોલીસ સ્ટેશનમાં મહિલા SI રોશની સિંહની ઉદ્ધતાઈ, મહિલાને 8 સેકન્ડમાં 5 થપ્પડ મારી દીધી

વાંગચુકની પત્નીએ કહ્યું- અમારે હોસ્પિટલ બદલવી છે, હાઇ કોર્ટે ન આપી કોઈ રાહત, 3 દિવસ પછી સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે...
National 
વાંગચુકની પત્નીએ કહ્યું- અમારે હોસ્પિટલ બદલવી છે, હાઇ કોર્ટે ન આપી કોઈ રાહત, 3 દિવસ પછી સુનાવણી

દાન ચોરી મામલો: રાહુલ ગાંધી અને ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, સામે રાખી દીધી 3 માંગણીઓ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલી ચોરીના કેસ...
Politics 
દાન ચોરી મામલો: રાહુલ ગાંધી અને ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, સામે રાખી દીધી 3 માંગણીઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.