જીતુ વાઘાણી 11 વર્ષથી આ સરાહનીય કામ કરે છે, 28 શાળામાં 69 હજાર પતંગ વેચ્યા

ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મકરસંક્રાંતિના પર્વમાં 28 શાળાઓના બાળકોને 2 દિવસમાં 69 હજાર જેટલા પતંગ અને ફીરકી મફતમાં વિતરણ કર્યા છે. ભાજપના નેતા વાઘાણી આ સરાહનીય કામ 11 વર્ષથી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને પતંગનો ઉત્સવ આખા ગુજરાતમાં લોકો ધામધામથી મનાવે છે. આ એવો ઉત્સવ છે જેમાં આબાલ વૃદ્ધ અને મહિલાઓ પણ ઉત્સાહભેર માણે છે.

 મકરસંક્રાતિના પર્વમાં બાળકોને પતંગ અને ફીરકી જોઇને મજા આવી જાય છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી છેલ્લાં 11 વર્ષથી ભાવનગરની શાળાઓમાં બાળકોને મફત અને ફીરકી વિતરણ કરે છે. આ વખતે પણ વાઘાણીએ વાઘાણીએ 28 શાળાઓમાં બાળકોને પતંગ આપ્યા.

જીતુ વાઘાણી બાળકોને જે પતંગ વિતરણ કરે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો ફોટો હોય છે. તેમના પતંગ વિતરણ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા,ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી તે આજે વટવૃક્ષ બની ગઇ છે. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પુરુ પાડી રહી છે.

તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,ભાવનગર શહેરની શાળા નં. 4, 51 અને 44 ની રૂબરૂ મુલાકાત લઇ વર્ષોની પરંપરા મુજબ મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગો અને બિસ્કિટોનું વિતરણ કરી શાળાની પૂરક જરૂરિયાતના સાધનોની પૃચ્છા કરી તેની વ્યવસ્થા પૂર્ણ કરવા ખાતરી આપી તેમજ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

નાના બાળકો પણ મકરસંક્રાંતિનો પર્વ હર્ષોલ્લાસ સાથે મન મૂકીને માણી શકે તે માટે સતત 11 વર્ષથી પરંપરા મુજબ ભાવનગર શહેરની શાળા નં. 63, 65, 60 અને 58 ખાતે બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કર્યું. બાળકોના મુખ પરનું સ્મિત જોઈને આનંદની લાગણી અનુભવી

સુરતની આશાદીપ શાળાના સંચાલક મહેશ રામાણી ખાસ ભાવનગર જીતુ વાઘાણીના પતંગ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સરકારી શાળાઓમાં બાળકોના પતંગ વિતરણ કાર્યક્રમને નિહાળીને રામાણીએ ખુશી વ્યકત કરી હતી.

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.