જીતુ વાઘાણી 11 વર્ષથી આ સરાહનીય કામ કરે છે, 28 શાળામાં 69 હજાર પતંગ વેચ્યા

ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મકરસંક્રાંતિના પર્વમાં 28 શાળાઓના બાળકોને 2 દિવસમાં 69 હજાર જેટલા પતંગ અને ફીરકી મફતમાં વિતરણ કર્યા છે. ભાજપના નેતા વાઘાણી આ સરાહનીય કામ 11 વર્ષથી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને પતંગનો ઉત્સવ આખા ગુજરાતમાં લોકો ધામધામથી મનાવે છે. આ એવો ઉત્સવ છે જેમાં આબાલ વૃદ્ધ અને મહિલાઓ પણ ઉત્સાહભેર માણે છે.

 મકરસંક્રાતિના પર્વમાં બાળકોને પતંગ અને ફીરકી જોઇને મજા આવી જાય છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી છેલ્લાં 11 વર્ષથી ભાવનગરની શાળાઓમાં બાળકોને મફત અને ફીરકી વિતરણ કરે છે. આ વખતે પણ વાઘાણીએ વાઘાણીએ 28 શાળાઓમાં બાળકોને પતંગ આપ્યા.

જીતુ વાઘાણી બાળકોને જે પતંગ વિતરણ કરે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો ફોટો હોય છે. તેમના પતંગ વિતરણ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા,ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી તે આજે વટવૃક્ષ બની ગઇ છે. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પુરુ પાડી રહી છે.

તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,ભાવનગર શહેરની શાળા નં. 4, 51 અને 44 ની રૂબરૂ મુલાકાત લઇ વર્ષોની પરંપરા મુજબ મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગો અને બિસ્કિટોનું વિતરણ કરી શાળાની પૂરક જરૂરિયાતના સાધનોની પૃચ્છા કરી તેની વ્યવસ્થા પૂર્ણ કરવા ખાતરી આપી તેમજ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

નાના બાળકો પણ મકરસંક્રાંતિનો પર્વ હર્ષોલ્લાસ સાથે મન મૂકીને માણી શકે તે માટે સતત 11 વર્ષથી પરંપરા મુજબ ભાવનગર શહેરની શાળા નં. 63, 65, 60 અને 58 ખાતે બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કર્યું. બાળકોના મુખ પરનું સ્મિત જોઈને આનંદની લાગણી અનુભવી

સુરતની આશાદીપ શાળાના સંચાલક મહેશ રામાણી ખાસ ભાવનગર જીતુ વાઘાણીના પતંગ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સરકારી શાળાઓમાં બાળકોના પતંગ વિતરણ કાર્યક્રમને નિહાળીને રામાણીએ ખુશી વ્યકત કરી હતી.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.