જીતુ વાઘાણી 11 વર્ષથી આ સરાહનીય કામ કરે છે, 28 શાળામાં 69 હજાર પતંગ વેચ્યા

ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ મકરસંક્રાંતિના પર્વમાં 28 શાળાઓના બાળકોને 2 દિવસમાં 69 હજાર જેટલા પતંગ અને ફીરકી મફતમાં વિતરણ કર્યા છે. ભાજપના નેતા વાઘાણી આ સરાહનીય કામ 11 વર્ષથી કરી રહ્યા છે.

14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને પતંગનો ઉત્સવ આખા ગુજરાતમાં લોકો ધામધામથી મનાવે છે. આ એવો ઉત્સવ છે જેમાં આબાલ વૃદ્ધ અને મહિલાઓ પણ ઉત્સાહભેર માણે છે.

 મકરસંક્રાતિના પર્વમાં બાળકોને પતંગ અને ફીરકી જોઇને મજા આવી જાય છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી છેલ્લાં 11 વર્ષથી ભાવનગરની શાળાઓમાં બાળકોને મફત અને ફીરકી વિતરણ કરે છે. આ વખતે પણ વાઘાણીએ વાઘાણીએ 28 શાળાઓમાં બાળકોને પતંગ આપ્યા.

જીતુ વાઘાણી બાળકોને જે પતંગ વિતરણ કરે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો ફોટો હોય છે. તેમના પતંગ વિતરણ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા,ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે શિક્ષણ યાત્રા શરૂ કરી હતી તે આજે વટવૃક્ષ બની ગઇ છે. અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પુરુ પાડી રહી છે.

તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,ભાવનગર શહેરની શાળા નં. 4, 51 અને 44 ની રૂબરૂ મુલાકાત લઇ વર્ષોની પરંપરા મુજબ મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગો અને બિસ્કિટોનું વિતરણ કરી શાળાની પૂરક જરૂરિયાતના સાધનોની પૃચ્છા કરી તેની વ્યવસ્થા પૂર્ણ કરવા ખાતરી આપી તેમજ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

નાના બાળકો પણ મકરસંક્રાંતિનો પર્વ હર્ષોલ્લાસ સાથે મન મૂકીને માણી શકે તે માટે સતત 11 વર્ષથી પરંપરા મુજબ ભાવનગર શહેરની શાળા નં. 63, 65, 60 અને 58 ખાતે બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કર્યું. બાળકોના મુખ પરનું સ્મિત જોઈને આનંદની લાગણી અનુભવી

સુરતની આશાદીપ શાળાના સંચાલક મહેશ રામાણી ખાસ ભાવનગર જીતુ વાઘાણીના પતંગ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સરકારી શાળાઓમાં બાળકોના પતંગ વિતરણ કાર્યક્રમને નિહાળીને રામાણીએ ખુશી વ્યકત કરી હતી.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.