ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલ પ્રવાસ દરમિયાન આટલા પોલીસકર્મીઓ સાથે આવશે

વડોદરામાં શાળા તરફથી લઇ જવાયેલા સ્કૂલ પ્રવાસમાં હરણી તળાવમાં બોટ પલટી જતા ઘણા બાળકો મોતને ભેટ્યા હતા. ત્યાબાદ ગુજરાત સરકારે બધી સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઇડ લાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને મોટો નિર્ણય લીધો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મ પહેરેલા 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે. એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશે, તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.

gujarat police
gujaratsamachar.com

વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી DGP-IGP કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અર્ધસરકારી, ખાનગી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 વર્દીધારી પોલીસકર્મીઓ ફરજિયાત હાજર રહેશે. તેના માટે શાળાના આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવવા આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ/ટૂર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા કહેવામાં આવ્યું છે. આ સિવાય સ્કૂલના આચાર્યોએ પણ ઉપરોક્ત કામગીરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

school Tour
divyabhaskar.co.in

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્ત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.