બિપરજોય વાવાઝોડાથી મોરબી જિલ્લામાં કોઈ જાનહાની થઈ નથીઃ મંત્રી કનુ દેસાઈ

On

સરકારે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર કચ્છ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો. હાલ વાવાઝોડું કોઈ નુકસાન વિના પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ રહી છે.આ બાબતે વાત કરતા નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, જે રીતે મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો, જ્યારે વાવાઝોડું લેન્ડ ફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને મોરબી સહિતના જે મુખ્ય સાત જિલ્લા વધુ સંભવિત અસરગ્રસ્ત હતા ત્યાં કોઈ જાનહાની થઈ નથી. પરિણામે માનવ મૃત્યુ ન થાય તે માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે. જ્યાં વધુ અસર થઈ હતી તેવા વિસ્તારોમાં ચોક્કસ સમય માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો જેથી કોઈ શોર્ટ સર્કિટ કે જાનમાલને નુકસાનની ઘટનાઓ પણ બની નથી.

મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ત્રિસ્તરીય વ્યવસ્થા કરી હતી તે સફળ થઈ છે. અમુક જગ્યાએ જ્યાં વધારે પવનના કારણે વીજપોલ ધરાશયી થયા છે ત્યાં ત્વરિત ધોરણે સમારકામની કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે આપણી પાસે વીજપોલ, ટ્રાન્સફોર્મર કે લાઇન વગેરે જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તમામ જગ્યાઓએ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, અનેક ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળી કામગીરી કરી છે અને હજી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે.

મોરબી જિલ્લાની મારી પાસેની જવાબદારીના ભાગરૂપે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે આજ સુધી કોઈપણ કામગીરી પેન્ડિંગ નથી અને પાણી વીજ પુરવઠો વગેરેના પુરતા સપ્લાયની સાથે વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પણ ખુલ્લા છે જે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. ઉપરાંત આ તમામ કામગીરીમાં પૂરતો સહકાર આપવા માટે જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગની કામગીરીને બિરદાવી હતી.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.