બિપરજોય વાવાઝોડાથી મોરબી જિલ્લામાં કોઈ જાનહાની થઈ નથીઃ મંત્રી કનુ દેસાઈ

સરકારે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર કચ્છ પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો. હાલ વાવાઝોડું કોઈ નુકસાન વિના પસાર થઈ ગયું છે, પરંતુ તેની અસર મોરબી જિલ્લામાં વર્તાઈ રહી છે.આ બાબતે વાત કરતા નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, જે રીતે મોરબી જિલ્લામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો હતો, જ્યારે વાવાઝોડું લેન્ડ ફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગુજરાતમાં અને મોરબી સહિતના જે મુખ્ય સાત જિલ્લા વધુ સંભવિત અસરગ્રસ્ત હતા ત્યાં કોઈ જાનહાની થઈ નથી. પરિણામે માનવ મૃત્યુ ન થાય તે માટેના સરકારના પ્રયાસોને સફળતા મળી છે. જ્યાં વધુ અસર થઈ હતી તેવા વિસ્તારોમાં ચોક્કસ સમય માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો જેથી કોઈ શોર્ટ સર્કિટ કે જાનમાલને નુકસાનની ઘટનાઓ પણ બની નથી.

મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જે ત્રિસ્તરીય વ્યવસ્થા કરી હતી તે સફળ થઈ છે. અમુક જગ્યાએ જ્યાં વધારે પવનના કારણે વીજપોલ ધરાશયી થયા છે ત્યાં ત્વરિત ધોરણે સમારકામની કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે આપણી પાસે વીજપોલ, ટ્રાન્સફોર્મર કે લાઇન વગેરે જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તમામ જગ્યાઓએ જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, અનેક ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળી કામગીરી કરી છે અને હજી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે.

મોરબી જિલ્લાની મારી પાસેની જવાબદારીના ભાગરૂપે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના કારણે આજ સુધી કોઈપણ કામગીરી પેન્ડિંગ નથી અને પાણી વીજ પુરવઠો વગેરેના પુરતા સપ્લાયની સાથે વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પણ ખુલ્લા છે જે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. ઉપરાંત આ તમામ કામગીરીમાં પૂરતો સહકાર આપવા માટે જિલ્લાના પત્રકાર મિત્રોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગની કામગીરીને બિરદાવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.