બીજાને દંડવા નીકળેલી રાજકોટ મહાનગર પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી

રાજકોટ ગેમિંગ ઝોનમાં શનિવારે બનેલી ભીષણ આગની દુર્ઘટના પછી બધા રાજ્યોની મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે રાજકોટ મહાનગર પાલિકા લોકો સામે ફાયર સેફ્ટી માટે કડક પાલનની વાત કરી રહી છે ત્યાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. આ કચેરીમાં 500થી વધારે કર્મચારીઓએ કામ કરે છે અને દરરોજ 5,000 લોકોની અવરજવર રહેતી હોય છે. જે મહાનગર પાલિકા પોતે જ ફાયર સેફ્ટીના સાધનો નથી રાખતી તે બીજા પાસે કેવી રીતે કડક હાથે પગલાં લેશે?

ત્રણ માળની રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ હજારો માણસોની અવર જવર હોવા છતા ત્રણેય માળ પર માત્ર 2-2 ફાયર Extinguishers લગાડવામાં આવેલા છે હવે સવાલ એ છે જ્યાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે એવી જગ્યાએ આવા 2-2 ફાયર Extinguishers શું કામ કરી શકશે? ટ ન કરે નારાયણને કોઇ મોટી ઘટના થાય તો રાજકોટ મહાનગર પાલિકા શું કરશે?

રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ઓફિસર આઇ.વી. ખેરે પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે, કોઇ પણ બિલ્ડીંગ જ્યારે બન્યું હોય ત્યારે તે સમયના GDRC મુજબ ફાયર સેફ્ટીના નિયમો લાગૂ પડતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાની કચેરી વર્ષ 2007-2008માં બની હતી એટલે તે સમયના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટી લાઇન નાંખવામાં આવી નથી. ફાયર સેફ્ટીના કડક નિયમો 2018થી અમલમાં આવ્યા છે. તેનો અમલ નવી ઇમારતો માટે ફરજિયાત છે. અમે 6 ફાયર Extinguishers રાખ્યા છે. કચેરીમાં 2 દાદર અને 2 લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે, તેથી દુર્ઘટના સમયે લોકોને વિકલ્પ મળી રહે.

રાજકોટની ઘટના પછી ગુજરાત સરકારે મંગળવારે તમામ કલેકટરને આદેશ કર્યો છે કે મોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો સહિતની એવી દરેક જગ્યા જયા લોકોની અવર જવર રહેતી હોય તેવી બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવે અને ફાયર સેફ્ટી NOC ન હોય તેમની સામે ગુનો નોંધવા કહેવામાં આવ્યું છે. પોલીસ અને નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે જશે.

About The Author

Top News

ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે. 24 કલાકની અંદર, CM મમતા બેનર્જીના નજીકના ગણાતા ઘણા અધિકારીઓની બદલીઓ શરૂ...
National 
ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -17-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી...
Science 
ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ...
Entertainment 
સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.