બીજાને દંડવા નીકળેલી રાજકોટ મહાનગર પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી

રાજકોટ ગેમિંગ ઝોનમાં શનિવારે બનેલી ભીષણ આગની દુર્ઘટના પછી બધા રાજ્યોની મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે રાજકોટ મહાનગર પાલિકા લોકો સામે ફાયર સેફ્ટી માટે કડક પાલનની વાત કરી રહી છે ત્યાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. આ કચેરીમાં 500થી વધારે કર્મચારીઓએ કામ કરે છે અને દરરોજ 5,000 લોકોની અવરજવર રહેતી હોય છે. જે મહાનગર પાલિકા પોતે જ ફાયર સેફ્ટીના સાધનો નથી રાખતી તે બીજા પાસે કેવી રીતે કડક હાથે પગલાં લેશે?

ત્રણ માળની રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ હજારો માણસોની અવર જવર હોવા છતા ત્રણેય માળ પર માત્ર 2-2 ફાયર Extinguishers લગાડવામાં આવેલા છે હવે સવાલ એ છે જ્યાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે એવી જગ્યાએ આવા 2-2 ફાયર Extinguishers શું કામ કરી શકશે? ટ ન કરે નારાયણને કોઇ મોટી ઘટના થાય તો રાજકોટ મહાનગર પાલિકા શું કરશે?

રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ઓફિસર આઇ.વી. ખેરે પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે, કોઇ પણ બિલ્ડીંગ જ્યારે બન્યું હોય ત્યારે તે સમયના GDRC મુજબ ફાયર સેફ્ટીના નિયમો લાગૂ પડતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાની કચેરી વર્ષ 2007-2008માં બની હતી એટલે તે સમયના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટી લાઇન નાંખવામાં આવી નથી. ફાયર સેફ્ટીના કડક નિયમો 2018થી અમલમાં આવ્યા છે. તેનો અમલ નવી ઇમારતો માટે ફરજિયાત છે. અમે 6 ફાયર Extinguishers રાખ્યા છે. કચેરીમાં 2 દાદર અને 2 લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે, તેથી દુર્ઘટના સમયે લોકોને વિકલ્પ મળી રહે.

રાજકોટની ઘટના પછી ગુજરાત સરકારે મંગળવારે તમામ કલેકટરને આદેશ કર્યો છે કે મોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો સહિતની એવી દરેક જગ્યા જયા લોકોની અવર જવર રહેતી હોય તેવી બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવે અને ફાયર સેફ્ટી NOC ન હોય તેમની સામે ગુનો નોંધવા કહેવામાં આવ્યું છે. પોલીસ અને નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે જશે.

Related Posts

Top News

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Copyright (c) Khabarchhe All Rights Reserved.