બીજાને દંડવા નીકળેલી રાજકોટ મહાનગર પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી

રાજકોટ ગેમિંગ ઝોનમાં શનિવારે બનેલી ભીષણ આગની દુર્ઘટના પછી બધા રાજ્યોની મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે રાજકોટ મહાનગર પાલિકા લોકો સામે ફાયર સેફ્ટી માટે કડક પાલનની વાત કરી રહી છે ત્યાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. આ કચેરીમાં 500થી વધારે કર્મચારીઓએ કામ કરે છે અને દરરોજ 5,000 લોકોની અવરજવર રહેતી હોય છે. જે મહાનગર પાલિકા પોતે જ ફાયર સેફ્ટીના સાધનો નથી રાખતી તે બીજા પાસે કેવી રીતે કડક હાથે પગલાં લેશે?

ત્રણ માળની રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ હજારો માણસોની અવર જવર હોવા છતા ત્રણેય માળ પર માત્ર 2-2 ફાયર Extinguishers લગાડવામાં આવેલા છે હવે સવાલ એ છે જ્યાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે એવી જગ્યાએ આવા 2-2 ફાયર Extinguishers શું કામ કરી શકશે? ટ ન કરે નારાયણને કોઇ મોટી ઘટના થાય તો રાજકોટ મહાનગર પાલિકા શું કરશે?

રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ઓફિસર આઇ.વી. ખેરે પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે, કોઇ પણ બિલ્ડીંગ જ્યારે બન્યું હોય ત્યારે તે સમયના GDRC મુજબ ફાયર સેફ્ટીના નિયમો લાગૂ પડતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાની કચેરી વર્ષ 2007-2008માં બની હતી એટલે તે સમયના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટી લાઇન નાંખવામાં આવી નથી. ફાયર સેફ્ટીના કડક નિયમો 2018થી અમલમાં આવ્યા છે. તેનો અમલ નવી ઇમારતો માટે ફરજિયાત છે. અમે 6 ફાયર Extinguishers રાખ્યા છે. કચેરીમાં 2 દાદર અને 2 લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે, તેથી દુર્ઘટના સમયે લોકોને વિકલ્પ મળી રહે.

રાજકોટની ઘટના પછી ગુજરાત સરકારે મંગળવારે તમામ કલેકટરને આદેશ કર્યો છે કે મોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો સહિતની એવી દરેક જગ્યા જયા લોકોની અવર જવર રહેતી હોય તેવી બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવે અને ફાયર સેફ્ટી NOC ન હોય તેમની સામે ગુનો નોંધવા કહેવામાં આવ્યું છે. પોલીસ અને નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે જશે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.