બીજાને દંડવા નીકળેલી રાજકોટ મહાનગર પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી

On

રાજકોટ ગેમિંગ ઝોનમાં શનિવારે બનેલી ભીષણ આગની દુર્ઘટના પછી બધા રાજ્યોની મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે રાજકોટ મહાનગર પાલિકા લોકો સામે ફાયર સેફ્ટી માટે કડક પાલનની વાત કરી રહી છે ત્યાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. આ કચેરીમાં 500થી વધારે કર્મચારીઓએ કામ કરે છે અને દરરોજ 5,000 લોકોની અવરજવર રહેતી હોય છે. જે મહાનગર પાલિકા પોતે જ ફાયર સેફ્ટીના સાધનો નથી રાખતી તે બીજા પાસે કેવી રીતે કડક હાથે પગલાં લેશે?

ત્રણ માળની રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં દરરોજ હજારો માણસોની અવર જવર હોવા છતા ત્રણેય માળ પર માત્ર 2-2 ફાયર Extinguishers લગાડવામાં આવેલા છે હવે સવાલ એ છે જ્યાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે એવી જગ્યાએ આવા 2-2 ફાયર Extinguishers શું કામ કરી શકશે? ટ ન કરે નારાયણને કોઇ મોટી ઘટના થાય તો રાજકોટ મહાનગર પાલિકા શું કરશે?

રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ઓફિસર આઇ.વી. ખેરે પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે, કોઇ પણ બિલ્ડીંગ જ્યારે બન્યું હોય ત્યારે તે સમયના GDRC મુજબ ફાયર સેફ્ટીના નિયમો લાગૂ પડતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાની કચેરી વર્ષ 2007-2008માં બની હતી એટલે તે સમયના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટી લાઇન નાંખવામાં આવી નથી. ફાયર સેફ્ટીના કડક નિયમો 2018થી અમલમાં આવ્યા છે. તેનો અમલ નવી ઇમારતો માટે ફરજિયાત છે. અમે 6 ફાયર Extinguishers રાખ્યા છે. કચેરીમાં 2 દાદર અને 2 લિફ્ટની વ્યવસ્થા રાખેલી છે, તેથી દુર્ઘટના સમયે લોકોને વિકલ્પ મળી રહે.

રાજકોટની ઘટના પછી ગુજરાત સરકારે મંગળવારે તમામ કલેકટરને આદેશ કર્યો છે કે મોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, મસ્જિદો સહિતની એવી દરેક જગ્યા જયા લોકોની અવર જવર રહેતી હોય તેવી બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવે અને ફાયર સેફ્ટી NOC ન હોય તેમની સામે ગુનો નોંધવા કહેવામાં આવ્યું છે. પોલીસ અને નાયબ મામલતદાર સ્થળ પર તપાસ કરવા માટે જશે.

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.