કોણ મોટું મન રાખશે? ભાજપ કે ક્ષત્રિય સમાજ? રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો

On

છેલ્લાં 13 દિવસથી પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે અને ઉકેલનો કોઇ માર્ગ દેખાતો નથી. બીજી તરફ ગુરુવારે દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે. મતલબ કે રૂપાલાને ભાજપ હટાવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ શુક્રવારે રાજકોટમાં આશાપુરા માતાના દર્શન કરીને ફરીથી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે, 13 દિવસથી ચાલી રહેલા વિવાદોમાં કોણ મોટું મન રાખશે? ભાજપ મોટું મન રાખીને રૂપાલાને હટાવીને ક્ષત્રિયોની લાગણી સાચવી રાખશે? કે પછી ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપીને વિવાદનો અંત લાવશે?

બીજી તરફ રાજકોટમાં રૂપાલા અને મોદી સાથેની તસ્વીરોના બેનર લગાડવામાં આવ્યા હતા, જે ચૂંટણી પંચે ઉતારી દીધા હતા.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.