શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી..., કેમ એકલા પડતા જઇ રહ્યા છે રાહુલ ગાંધી?

કોંગ્રેસમાં શશિ થરૂરની જેમ પાર્ટી લાઇનથી અલગ મત ધરાવનારા લોકોની લિસ્ટ લાંબી થતી જઇ રહી છે. ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસના સ્ટેન્ડથી તેમની જ પાર્ટીના ઘણા નેતા સહમત નથી. કોંગ્રેસ, સરકાર પર હુમલાવર છે. રાહુલ ગાંધી વારંવાર સરકારને સવાલ પૂછી રહ્યા છે કે, આપણા કેટલા ફાઇટર જેટને નુકસાન થયું? એવામાં શશિ થરૂર બાદ હવે, હવે મનીષ તિવારી અને સલમાન ખુર્શીદના સ્ટેન્ડ રાહુલ ગાંધીનું જ ટેન્શન વધારશે. જી હાં, કોંગ્રેસના ઘણા નેતાઓ ઓપરેશન સિંદૂરથી ગદગદ છે. તેઓ તેના માટે ખૂલીને મોદી સરકારની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીની અંદર ફરી એક વખત હલચલ મચી ગઈ છે. ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસ 2 જૂથમાં વહેંચાઈ ચૂકી છે. એક જૂથ સરકાર પર સવાલ કરી રહ્યું છે અને બીજા જૂથે મૌન સાધી રાખ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા નેતાઓ છે જે સરકારની કાર્યવાહીથી ખુશ નજરે પડી રહ્યા છે. હાલમાં જ, ઓપરેશન સિંદૂર પર જે પ્રકારે કોંગ્રેસના નેતા શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારીએ પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપ્યા છે, તેનાથી સ્પષ્ટ થતું જઇ રહ્યું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર એક જૂથનો અવિશ્વાસ કે અસહમતિ હવે ખૂલીને સામે આવી રહી છે.

rahul gandhi
news18.com

 

ઓપરેશન સિંદૂર પર રાહુલ ગાંધીની રણનીતિ સવાલોના ઘરેમાં છે. વિપક્ષી ગઠબંધનમાં જ્યાં અન્ય પાર્ટીઓએ મૌન સાધ્યું છે, તો કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. તેને લઈને કોંગ્રેસની નિંદા પણ થઈ રહી છે. એવામાં, શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી જેવા વરિષ્ઠ નેતાઓ પાર્ટી લાઇનથી થોડા અલગ નજરે પડ્યા.

શશિ થરૂર વિરોધ બાદ પણ ઓપરેશન સિંદૂર ડેલિગેશનનો હિસ્સો બન્યા. તેમણે તેને રાષ્ટ્રીય હિતનો મામલો ગણાવ્યો. તેમના જ માર્ગ પર મનીષ તિવારીએ પણ ઓલ પાર્ટી ડેલિગેશનમાં પોતાને સામેલ કરવાના નિર્ણયને જસ્ટિફાઇ કર્યો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂરવાળા ડેલિગેશનમાં સામેલ થવાના પોતાના નિર્ણયને રાષ્ટ્રની પુકાર ગણાવી. કોંગ્રેસ નેતૃત્વએ બંને સાંસદોને ડેલિગેશનમાં સામેલ થતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 4  વૈકલ્પિક નામો સૂચવ્યા હતા, જેમાં શશિ થરૂર અને મનીષ તિવારીના નામ નહોતા. શશિ થરૂર અને મનીષ તિવારીની જેમ જ સલમાન ખુર્શીદ પણ ડેલિગેશનમાં સામેલ છે.

rahul gandhi
news18.com

 

આતંકવાદ પર પાકિસ્તાનને બેનકાબ કરવા માટે વિદેશ મોકલવામાં આવેલા ડેલિગેશનમાંમાં સલમાન ખુર્શીદે પણ પાર્ટી લાઇનથી અલગ વલણ અપનાવ્યું છે. સલમાન ખુર્શીદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની પ્રશંસા કરી છે. ઑગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી સંવિધાનની કલમ 370ને ખતમ કરવાના ઐતિહાસિક પગલાની પ્રશંસા કરતા ખુર્શીદે કહ્યું હતું કે આ પગલા બાદ કાશ્મીરમાં ખુશાલી આવી છે.

એજ રીતે શશિ થરૂર, મનીષ તિવારી અને સલમાન ખુર્શીદના સ્ટેન્ડથી કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી અસહજ હશે. હાલમાં ઓપરેશન સિંદૂર પર રાહુલ ગાંધી પોતાના નિવેદનો અને સ્ટેન્ડને લઈને નિંદા માટે ટ્રોલ થઈ રહ્યા છે. તેઓ શશિ થરૂર પાકિસ્તાનને બેનકાબ કરનારા ડેલિગેશનમાં જવા દેવા માગતા નહોતા. તેને લઈને પણ તેમની નિંદા થઈ. ભાજપે પણ તેમને ઘેર્યા. હવે તો પાર્ટીની અંદરથી પણ અવાજ ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસમાં જે રીતે ખૂલીને ઘણા નેતા એક-એક કરીને ઓપરેશન સિંદૂર અને સરકારના કેટલાક નિર્ણયોની પ્રશંસા કરી રહ્યા છે, તેનાથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી બેકફૂટ પર છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.