સુપ્રીમ કોર્ટના સૂચન પછી લક્ઝરી પેટ્રોલ-ડીઝલ કાર પર પ્રતિબંધ મુકાશે! કેટલા વાહનો પર અસર થશે?

નવેમ્બરમાં જ્યારે દિલ્હીની હવા ધુમાડાથી છવાયેલી થઈ જશે, ત્યારે ફક્ત માણસો જ નહીં પણ નીતિઓ પણ હાંફવા લાગશે. આવા સમયે, સુપ્રીમ કોર્ટનું એક સૂચન દેશભરના લક્ઝરી કાર માલિકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્ટ કહે છે કે, રસ્તાઓ પરથી ધીમે ધીમે લક્ઝરી પેટ્રોલ-ડીઝલ કાર દૂર કરવાનો સમય આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટે સૂચવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલથી ચાલતી લક્ઝરી કાર પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ. આ સૂચન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ લક્ઝરી સેગમેન્ટમાં મોટાભાગના લોકો હજુ પણ પરંપરાગત એન્જિન (પેટ્રોલ-ડીઝલ)વાળી કાર જ પસંદ કરે છે.

આ સૂચન સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા રજૂ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યું હતું. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, ઇલેક્ટ્રિક વાહનોને ખરેખર પ્રોત્સાહન આપવા માટે સરકારની હાલની EV નીતિઓનો કડક અમલ કરવામાં આવે.

Supreme-Court-Petrol-Diesel-Luxury-Car4
noficker.in

13 નવેમ્બર, 2025ના રોજ થયેલી સુનાવણીમાં, ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, લક્ઝરી ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનો, એટલે કે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ શરૂઆતનો મુદ્દો હોઈ શકે છે. કોર્ટના મતે, મોટી ઇલેક્ટ્રિક કાર હવે સરળતાથી ઉપલબ્ધ છે અને તેમાં VIP અને મોટા કોર્પોરેટ ઉદ્યોગો તેમના વાહનો પસંદ કરતી વખતે જે સુવિધાઓ શોધે છે તે જ સુવિધાઓ છે. તેથી, આ લક્ઝરી મોડેલોને તબક્કાવાર બંધ કરવાથી સામાન્ય લોકો પર કોઈ અસર થશે નહીં.

બેન્ચે એવું પણ સૂચન કર્યું હતું કે, મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી શકે છે જેથી લોકોને પેટ્રોલ અને ડીઝલ વાહનોથી EV તરફ જવા માટે પ્રોત્સાહિત કરી શકાય. બેન્ચે જણાવ્યું હતું કે, જેમ જેમ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તેમ તેમ ચાર્જિંગ સ્ટેશનોની માંગ પણ વધશે, અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાનું શરૂ થઇ જશે.

એટર્ની જનરલ R. વેંકટરામણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના 13 મંત્રાલયો ઇલેક્ટ્રિક વાહન નીતિઓ પર કામ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ નીતિઓ, સૂચનાઓ અને વિકાસ પર વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે, શું પાંચ વર્ષથી વધુ જૂની વર્તમાન EV નીતિ હવે સમીક્ષા કરવાને લાયક થઇ ચુકી છે. આગામી સુનાવણી ચાર અઠવાડિયામાં યોજાશે, જ્યાં વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે.

Supreme-Court-Petrol-Diesel-Luxury-Car1
money9live.com

ભારતમાં, લક્ઝરી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)નો હિસ્સો આશરે 12 ટકા સુધી પહોંચી ગયો છે, જ્યારે સામાન્ય બજારમાં તે ફક્ત 2-3 ટકા છે. આ જ કારણ છે કે BMW અને Mercedes-Benz જેવી કંપનીઓએ આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઇલેક્ટ્રિક કારનું મજબૂત વેચાણ નોંધાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, રૂ. 1 કરોડથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો પણ પહેલા કરતા વધુ ઝડપથી વેચાઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે જે લોકો વાહનો પર વધુ પૈસા ખર્ચી શકે છે તેઓ ઇલેક્ટ્રિક કારને વધુ સારા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે.

ટોચની 5 લક્ઝરી કાર બ્રાન્ડ્સનું વાર્ષિક વેચાણ (યુનિટમાં): મર્સિડીઝ-બેન્ઝ-FY24-18123-FY25-18928, BMW-FY24-15420-FY25-15995, જગુઆર લેન્ડ રોવર-FY24-4436-FY25-6183, Audi-FY24-7049-FY25-5993, Volvo-FY24-2150-FY25-1750.

Supreme-Court-Petrol-Diesel-Luxury-Car2
samacharnama.com

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, FY25માં મર્સિડીઝ-બેન્ઝ અને BMWના વેચાણમાં વધારો થયો છે, જ્યારે Audi અને Volvoના વેચાણમાં ઘટાડો થયો છે. FY24ની સરખામણીમાં FY25માં જગુઆર લેન્ડ રોવરે સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે, મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. એકંદરે, જર્મન બ્રાન્ડ્સ બજારમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને મર્સિડીઝ-બેન્ઝ હજુ પણ લક્ઝરી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર બ્રાન્ડ રહી છે.

ભારતમાં, પેસેન્જર વાહન સેગમેન્ટમાં લક્ઝરી કારનો બજાર હિસ્સો ખૂબ ઓછો છે. દેશમાં વેચાતી કુલ કારમાં તેનો હિસ્સો આશરે 1 ટકા છે. જે 2030 સુધીમાં વધીને 4-5 ટકા થવાની ધારણા છે. લક્ઝરી કારની બજાર કિંમતનું અનુમાન તમે આવી રીતે લગાવી શકો છો કે, ઓક્ટોબરમાં ટાટા નેક્સોન સૌથી વધુ વેચાતી કાર બની, તેના કુલ 22,083 યુનિટ વેચાયા હતા, જે મર્સિડીઝ-બેન્ઝના વાર્ષિક વેચાણ (18,928) કરતા પણ વધુ છે.

Supreme-Court-Petrol-Diesel-Luxury-Car3
ndtv.in

આમ જોઈએ તો, મર્સિડીઝ-બેન્ઝ 37-38.8 ટકાના બજાર હિસ્સા સાથે લક્ઝરી કાર સેગમેન્ટમાં અગ્રેસર રહે છે. બીજી બાજુ, BMW બજારમાં લગભગ 32 ટકા હિસ્સો ધરાવે છે. જગુઆર અને ઓડી વચ્ચે ત્રીજા સ્થાન માટે ખેંચતાણ ચાલુ છે, જેમાં નાણાકીય વર્ષ 25માં જગુઆર આગળ છે. આ વાહન વેચાણના આંકડામાં આ બ્રાન્ડ્સના ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થાય છે.

જો આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે, તો તે લક્ઝરી કાર બ્રાન્ડના ખરીદદારો પર સીધી અસર કરશે જેઓ ઇલેક્ટ્રિક વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતી લક્ઝરી કાર પસંદ કરે છે. ભારતમાં ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ ઇલેક્ટ્રિક મોડેલ્સ વેચી રહી છે, પરંતુ ગ્રાહકોનો નોંધપાત્ર ભાગ હજુ પણ જૂની પાવરટ્રેન પસંદ કરે છે. આ પરિવર્તન તેમને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વિકલ્પો તરફ ધકેલી શકે છે અને કંપનીઓને તેમના પોર્ટફોલિયોમાં સુધારો કરવો પડશે.

Supreme-Court-Petrol-Diesel-Luxury-Car5
hindi.news18.com

જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો, મર્સિડીઝ-બેન્ઝ, BMW, જગુઆર લેન્ડ રોવર અને ઓડી જેવી બ્રાન્ડ્સ સૌથી વધુ પ્રભાવિત થશે. જોકે આ બ્રાન્ડ્સે ભારતીય બજારમાં તેમના ઇલેક્ટ્રિક કાર પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાનું પણ શરૂ કરી દીધું છે, તેમ છતાં, હાઇ-એન્ડ અને લક્ઝરી કાર ખરીદનારાઓમાં પેટ્રોલ-ડીઝલ એન્જિનનો ક્રેઝ હજુ પણ પ્રવર્તે છે.

સુપ્રીમ કોર્ટે હજુ સુધી અંતિમ સમયમર્યાદા જાહેર કરી નથી. હાલમાં તે ચર્ચાના તબક્કામાં છે. કોર્ટે ફક્ત એટલું જ પૂછ્યું કે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન જેવી હાલની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર કેમ નથી. સરકાર પાસેથી ડિસેમ્બર સુધીમાં એક વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે, જે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે. હાલમાં, આ પ્રતિબંધ અંગે કોઈ તારીખો કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.