ટૂથબ્રશની જેમ હવે બદલી શકાશે ગાડીના ટાયર, આ રીતે ખબર પડશે ટાયર બદલવાનો સમય

આપણે સૌ જાણીએ છે કે, ખરાબ ટાયરો સાથે ગાડી ચલાવવી પોતાની સુરક્ષા સાથે રમત કરવા જેવું છે, પરંતુ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે ગાડીના ટાયર ક્યારે બદલવા જોઈએ. ત્યારે આ સમસ્યાનો ઉકેલ એક ટાયર કંપની દ્વારા લાવવામાં આવ્યો છે. ત્યારે શું છે આ ઉપાય અને કઈ ગાડીઓમાં લગાવી શકાય છે આ ટાયર તેના વિશે અમે તમને અહીં જણાવીશું.

ગાડીની સેફટી માટે તેના ટાયર સારા હોવા ખૂબ જ જરૂરી હોય છે. આ માટે તેને યોગ્ય સમયે બદલવા પણ પડે છે. પરંતુ આ ટાયરોને ક્યારે બદલવા જોઈએ તે જાણવું ઘણા લોકો માટે સરળ કામ નથી. એવામાં ખરાબ ટાયરની સાથે ગાડી ચલાવવું ખતરનાક સાબિત થઈ શકે છે, ત્યારે લોકોની આ સમસ્યા પર એક ટાયર કંપનીએ જે રીતે ટૂથબ્રશ બદલીએ છે તે રીતે ટાયર બદલવાના સોલ્યુશનની શોધ કરી છે, ત્યારે જાણો કઈ રીતે કામ કરે છે આ ઉપાય.

ટૂથબ્રશની જેમ આ રીતે બદલી શકાશે ગાડીના ટાયર

માર્કેટમાં ઘણા એવા ટૂથબ્રશ આવે છે કે, જેમાં વચ્ચે સામાન્ય રંગથી અલગ રંગની પીંછીઓ આપવામાં આવે છે. જ્યારે આ અલગ રંગવારી પીંછીઓનો રંગ ઝાંખો પડવા લાગે છે, ત્યારે ટૂથબ્રશ બદલવાની સલાહ આપવામાં આવે છે. આજ ઉપાયને થોડો ટ્વિસ્ટ કરીને ટાયર બનાવનારી કંપની Ceat દ્વારા ટાયર બદલવાના સાચા સમયની શોધ કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે.

ટાયર ઘસાતાની સાથે જ દેખાવા લાગશે પીળી પટ્ટી

કંપનીએ હાલમાં એવા ટાયર લોન્ચ કર્યા છે કે, જેમાં ટાયરની વચ્ચેના ભાગમાં એક અલગ રંગની પટ્ટી આપવામાં આવી છે. પરંતુ આમાં અલગ વાત એ છે કે જ્યારે તમે નવું ટાયર લેશો ત્યારે આ અલગ રંગની પટ્ટી તમને બિલકુલ પણ દેખાશે નહીં. પરંતુ જેમ-જેમ તમારી ગાડીના ટાયરનો ઉપયોગ થતો જશે તેમ આ પટ્ટી દેખાવા લાગશે અને જ્યારે આ પીળી પટ્ટી પૂરે-પૂરી દેખાવા લાગશે, ત્યારબાદ ગ્રાહકને ખબર પડી જશે કે તેઓની ગાડીનું ટાયર ઘસાઈ ગયું છે. આમ આ પીળા રંગની પટ્ટી જોઇને ગ્રાહકને ટાયર બદલવાનો ખ્યાલ આવી જશે.

આ ગાડીઓમાં લગાવી શકાશે આ ટાયર

હાલમાં આ કંપનીએ આ ટાયરોને બે સાઈઝમાં લોન્ચ કર્યા છે. આ ટાયરો હાલમાં 15 ઇંચ ટોયોટા ઇનોવા(Toyota Innova) અને 16 ઇંચ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા(Toyota Innova Crysta)માટે લોન્ચ કરવામાં આવ્યા છે. શક્યતા છે કે આ કંપની આવનારા દિવસોમાં અન્ય ગાડીઓ માટે પણ આ પ્રકારના ટાયર લોન્ચ કરી શકે છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.