iPhone 16 સીરિઝમાં શું હશે ખાસ? લોન્ચ અગાઉ લીક થયા ફીચર્સ, 4 ફોન થશે લોન્ચ

iPhone 16 સીરિઝ આગામી થોડા મહિનામાં રીલિઝ થવાની છે. આ સીરિઝ લોન્ચ અગાઉ તેની સાથે જોડાયેલી તમામ લીક્સ સામે આવી રહી છે. કંપની દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા iPhonesને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે છે. તેમાં કંપની ઘણા નવા બદલાવ કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, iPhone 16 સીરિઝમાં આપણને મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને નવું પ્રોસેસર જોવા મળશે. તેની સાથે જોડાયેલ કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમાં આ ફોન્સના પ્રોસેસરની જાણકારી આપવામાં આવી છે. આવો જાણીએ તેની ખાસ વાતો બાબતે.

iPhone 16 સીરિઝમાં A18 ચિપ આપી શકાય છે. આ પ્રોસેસર આખા લાઇનઅપમાં કોમન હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં એપલે સ્ટાન્ડર્ડ અને પ્રો સીરિઝના iPhonesને અલગ અલગ પ્રોસેસર સાથે લોન્ચ કર્યા છે. હાલના રિપોર્ટ્સ મુજબ, iPhone 16 સીરિઝમાં 4 નવા ફોન લોન્ચ થશે. ગત સીરિઝની જેમ જ તેમાં પણ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરી શકાય છે. આશા છે કે પ્રોસેસર સિવાય કંપની iPhoneના સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલ્સને અલગ રાખશે.

કેટલાક રિપોર્ટ્સ મુજબ કંપની આ પ્રોસેસરને સ્ટાન્ડર્ડ અને પ્રો મોડલ્સ માટે અલગ અલગ ટયૂન કરી શકે છે. કંપની GPUમાં બદલાવ કરીને આ પ્રોસેસરમાં બદલાવ કરી શકે છે. પ્રોસેસર સિવાય કંપની કોઇ બીજો બદલાવ આ સીરિઝમાં કરી શકે છે. એક મોટો બદલાવ કેમેરા મોડ્યુલમાં જોવા મળી શકે છે. કંપની iPhone 16 સીરિઝમાં ફરી એક વખત વર્ટિકલ કેમેરા સેટઅપ આપી શકે છે. તેનું ડિવાઇસ ઘણી હદ સુધી iPhone 12 જેવું હશે.

એ સિવાય કંપની 120Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આપણને કમેર કોન્ફિગ્રેશનમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. સ્ટાન્ડર્ડ ફોન્સમાં 48MP + 12MPનો ડબલ રિયર કેમેરા મળી શકે છે. તો પ્રો વેરિયન્ટમાં પણ જૂનો 48MP+ 12MP+ 12MPનું કેમેરા સેટઅપ મળી શકે છે જો કે, નવા ફોન્સમાં કંપની શાનદાર બેટરી આપી શકે છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.