મારુતિ સુઝુકીની ટોપ-3 કાર જે ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાઈ

મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે, જેની પાસે સંખ્યા અને સેગમેન્ટના હિસાબે સૌથી મોટી રેન્જ ઉપસ્થિત છે. મારુતિ સુઝુકી ફેબ્રુઆરી મહિનામાં દેશની સૌથી બેસ્ટ સેલિંગ કાર કંપની બની છે. જેની 7 કારોએ ટોપ-10મા જગ્યા બનાવી છે. જો તમે પણ મારુતિ સુઝુકીની કારને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહી જાણી લો કંપનીની ટોપ-3 બેસ્ટ સેલિંગ કાર જેમને ફેબ્રુઆરી 2023મા સૌથી વધુ ખરીદવામાં આવી છે.

મારુતિ સુઝુકી અલ્ટો:

મારુતિ સુઝુકી અલ્ટો ફેબ્રુઆરી 2023માં ત્રીજી સૌથી વધુ વેચાનારી કાર છે, જે એક એન્ટ્રી લેવલ હેચબેક છે. મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરી 2022માં આ કારના 11,551 યુનિટ વેચ્યા હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપની તેના 18,114 યુનિટ વેચવામાં સફળ રહી. મારુતિ અલ્ટોને એક વર્ષમાં 57 ટકા ગ્રોથ હાંસલ થયો છે. મારુતિ સુઝુકી અલ્ટોને 2 એન્જિન વિકલ્પો સાથે વેચવામાં આવે છે, એક 800cc યુનિટ અને થોડું મોટું, 1.0 લીટર K સીરિઝ એન્જિન. બાદવાળાએ ગયા વર્ષે એક નવા પ્લેટફોર્મના આધાર પર પૂર્ણ ઓવરહૉલ જોયો. જેણે મારુતિ સુઝુકીના વેચાણની સંખ્યા અને વૃદ્ધિમાં મદદ કરી છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ:

મારુતિ સુઝુકીની ફેબ્રુઆરી મહિનામાં બીજી બેસ્ટ સેલિંગ કાર છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ, જે પોતાના સ્પોર્ટી ડિઝાઇન અને એવરેજ માટે પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીએ ગયા વર્ષે 19,202 યુનિટની તુલનામાં ફેબ્રુઆરી 2023માં સ્વીફ્ટની 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું છે. વેચાણમાં આવેલા આ 4 ટકાના ઘટાડા બાદ પણ આ કાર નંબર-2નું પોઝિશન હાંસલ કરવામાં સફળ રહી છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ એ કેટલાક મોડલોમાંથી એક છે જેમને મારુતિ સુઝુકીના લાઇનઅપમાં લાંબા સમયથી અપગ્રેડ જોયું નથી. કંપની આ કારણે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનને ફરીથી રજૂ કરે છે તો આ કારનું વેચાણ સારું થઈ શકે છે.

મારુતિ સુઝુકી બલેનો:

ફેબ્રુઆરી 2023માં સૌથી વધારે વેચાનારું મારુતિ સુઝુકી મોડલ બલેનો છે. જેમાં ગયા વર્ષનું એક મોટું અપડેટ જોવા મળ્યું હતું, સાથે જ ઘણી ટેક્નિકલી સારાઈઓ સાથે. કાર નિર્માતાએ ગયા મહિને 18,592 યુનિટ્સ વેચ્યા, જેમાં 48 ટકાનો વધારો નોંધાયો હતો. મારુતિ સુઝુકી બલેનોને કેટલાક ટ્વીક સાથે Toyota Glanzaના રૂપમાં પણ વેચવામાં આવે છે અને પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં Hyundai i20 અને Tata Altraz સાથે પ્રતિસ્પર્ધા કરે છે, જે એકમાત્ર 1.2 લીટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.