ચાલો આપો જવાબ- આણંદ દૂધ વધારે પેદા કરે કે ઇંડા?

On

(દિલીપ પટેલ) ગુજરાતને શાકાહારી રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તેના કારણે જ ગિરમાં સિંહો બચી શક્યા છે તેવું સંશોધન થયું છે. અહીં લોકો કૃષ્ણ ભક્ત છે અને દૂધનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. આણંદ દેશમાં સફેદ ક્રાંતિ માટે જાણીતું છે. બઘા જાણે છે કે અમૂલ કંપની આણંદમાં છે. હવે સ્વાભાવિક છે દેશ અને દુનિયાની સૌથી મોટી ડેરી જે શહેરમાં હોય ત્યાં દૂધ સૌથી વધુ ઉત્પાદિત થાય. પરંતુ ઘણીવાર આપણે જે માનીએ છીએ તો સાચું ન પણ હોય. તો ચાલો જાણીએ આણંદ દૂધ વધારે પેદા કરે છે કે ઇંડા.  

દૂધ અને ઇંડા શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. ગુજરાતમાં જાહેરમાં ઇંડા કે નોનવેજ ખાવું તેનો છોછ હતો. પરંતુ હવે તેવું રહ્યું નથી. જે જ્ઞાતિઓ નોનવેજ ખાતી ન હતી તે પણ ખાતી થઇ ગઇ છે. તે પણ જાહેરમાં લારી પણ ઊભા રહીને તે ખવાય છે. હવે તો દરેક મોટા શહેરમાં નોનવેજના ઝોન બની ગયા છે. ઇંડાને તો મોટાભાગના લોકો નોનવેજમાં ગણતા પણ નથી.  ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 1590 કરોડ કિલો દૂધ પેદા થાય છે. અને 300 કરોડ ઇંડા પેદા થાય છે.

અમૂલ ડેરીના કારણે વિશ્વમાં એવી છાપ છે કે આણંદ જિલ્લો દૂધના ઉત્પાદનમાં એક નંબર પર છે. પણ એવું નથી. દૂધ પેદા કરવામાં આણંદ 4 નંબર પર છે. 8.09 કરોડ ટન દૂધ પેદા થાય છે. પહેલા નંબર પર બનાસકાંઠા છે જે 26.82 કરોડ ટન દૂધ પેદા કરે છે. બીજા નંબર પર મહેસાણા અને ત્રીજા નંબર પર સાબરકાંઠા છે. 5 નંબર પર ખેડા છે. 33 જિલ્લામાં કચ્છ પછી 8માં નંબર પર રાજકોટ છે.

ગુજરાતમાં ઇંડા ફેક્ટરીમાં 200 કરોડ અને ઘરની મરઘી 100 કરોડ ઇંડા આપે છે. પહેલા નંબર પર ઇંડા ફેક્ટરીમાં આણંદમાં 84 કરોડ ઇંડા પેદા થાય છે. બીજા નંબર પર ભાવનગર આવે છે જ્યાં 30 કરોડ ઇંડા ફેક્ટરીમાં પેદા થાય છે. ભાવનગરમાં જૈન ધર્મનો સૌથી વધારે પ્રભાવ પાલિતાણામાં છે. છતાં ભાવનગર અહિંસામાં માનતું નથી. ત્રીજા નંબર પર અમદાવાદમાં 12 કરોડ ઇંડા પેદા થાય છે. 4 નંબર પર વલસાડ આવે છે.

Related Posts

Top News

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક TESLAના ભારતમાં પ્રવેશ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લા...
Tech & Auto 
ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.