ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર આરોપો બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને ગેરકાયદેસર વ્યાજખોરો (વ્યાજે આપતા લોકો) સામે કેસ દાખલ કર્યો છે. આ મામલો ચંદ્રપુર જિલ્લાના નાગભિડ તાલુકાના મિંથુર ગામનો છે. પીડિતનું નામ રોશન સદાશિવ કુડે છે.

રોશન કુડેએ આરોપ લગાવ્યો કે ગેરકાયદેસર વ્યાજખોરો પાસેથી લીધેલા પૈસા ચૂકવવા માટે તેણે પોતાની કિડની વેચવી પડી. પોલીસે સાંજે 7:00 વાગ્યે 6 વ્યાજખોરો સામે ખંડણી અધિનિયમની કલમ 29, 30, 31 અને એક્સ્ટોર્શનની કલમો હેઠળ કેસ નોંધ્યો. આરોપીઓમાં કિશોર બાવનકુલે, મનીષ ઘાટબંધે, લક્ષ્મણ ઉરકુડે, પ્રદીપ બાવનકુલે, સંજય બલ્લારપુરે અને સત્યવાન બોરકરનો સમાવેશ થાય છે. કેસ બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

farmer3
indiatoday.in

પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂતે 2021માં સારવાર અને વ્યવસાયિક હેતુ માટે વ્યાજ પર પૈસા ઉધાર લીધા હતા. સમયસર પૈસા ચૂકવી ન શકવાને કારણે તેના પર ભારે વ્યાજ અને દૈનિક દંડ લગાવવામાં આવ્યો હતો. એક લાખ રૂપિયાનું દેવું વધીને 74 લાખ સુધી પહોંચી ગયું. પૈસા ચૂકવવા માટે ખેડૂતે 2 એકર જમીન, એક ટ્રેક્ટર, એક વાહન, ઘરનો સામાન અને સોનું પણ વેચી દીધું, પરંતુ દેવું ન ચૂકવી શકાયું.

ખેડૂતનો આરોપ છે કે વ્યાજખોરોના દબાણમાં આવીને તેને કિડની વેચવાની સલાહ આપવામાં આવી. એક એજન્ટ પહેલા તેને કોલકાતા લઈ ગયો, જ્યાં મેડિકલ તપાસ થઈ. ત્યારબાદ કંબોડિયામાં તેને સર્જરી કરીને કિડની કાઢવામાં આવી. ખેડૂતનું કહેવું છે કે તેણે તેની કિડની 8 લાખ રૂપિયામાં વેચી દીધી.

Farmer
ndtv.com

ચંદ્રપુરના પોલીસ અધિક્ષક સુદર્શન મુમક્કાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર વ્યાજખોરીને લઈને નક્કર પુરાવા મળ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેન્ક ટ્રાન્ઝેક્શનમાં આરોપીઓના ખાતામાં સતત પૈસા ટ્રાન્સફર થવાના પુરાવા મળ્યા છે. કિડની વેચવા સાથે જોડાયેલા આરોપોની અલગ તપાસ ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ અને અન્ય તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દેવાના બોજમાં ફસાયેલા ખેડૂતની આ કહાની માનવતાને હચમચાવી નાખનારી છે અને ગેરકાયદેસર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.