ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બુધવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી.

કોરોનાની મહામારીના કારણે કેબિનેટ બેઠકમાં તમામ નેતાઓ અને અધિકારીઓ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. કેબિનેટ બેઠકમાં અધિકારીઓ અને મંત્રીઓની હાજરીમાં રાજ્યના ખેડૂતોને કઈ રીતે રાહત આપી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. 10 કલાક વીજળીનો લાભ ખેડૂતોને 7 ઓગસ્ટથી આપવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખેડૂતોને આ લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ચોમાસું લંબાયુ હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. જો કે કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઊત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. વરસાદ ઓછો પડતાં ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સંભાવના વર્તાઈ રહી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોના હિતમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં અત્યાર સુધીનો 45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેતા ખેડૂતોને આંશિક રાહત મળશે કારણ કે, રાજ્ય સરકારના નિર્ણયથી જે ખેડૂતોના ખેતરમાં ટ્યુબવેલની સુવિધા છે તેઓ તેમના ખેતરમાં રહેલા ઉભા પાકને પિયત કરીને બચાવી શકશે.

ખેડૂતોને પાકનો આધાર ચોમાસામાં પડેલા વરસાદ પર જ હોય છે. ચોમાસામાં વરસાદ સારો પડે છે, તો આખું વર્ષ ખેડૂતોને પાણીની તકલીફ નથી પડતી પરંતુ જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને તકલીફોનો સામનો કરવો પડે. આવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

About The Author

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.