મુસ્લિમ યુવક આરિફમાંથી બન્યો આનંદ, હિંદુ ધર્મ અપનાવ્યો કહ્યું-મને કોઇનો ડર નથી

મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને સનાતન ઘર્મની વિધી પ્રમાણે મુંડન કરાવી લીધું છે. તાજેતરમાં  જ મધ્ય પ્રદેશમાં  મુસ્લિમ સમાજના 250 લોકોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

મધ્ય પ્રદેશના શાજાપુરના આરીફે સનાતન ધર્મ અપનાવ્યો અને તેનું નામ આનંદ રાખી દીધું છે. તેણે તાજેતરમાં માથું મુંડન કરાવ્યું હતું અને કેસરી વસ્ત્રો પહેર્યા હતા. આરીફે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પ્રસંગે આનંદ બનેલા આરીફે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. તેને કોઈ સમાજનો ડર નથી. તે તેનો પોતાનો નિર્ણય છે.

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવ્યો. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ આરીફ હવે આનંદ બની ગયો છે. 11મી જાન્યુઆરીએ જિલ્લામાં યોજાયેલા શૌર્ય યાત્રાના કાર્યક્રમમાં આરીફે મુંડન કરાવ્યું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેણે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે સંસ્કાર પૂર્ણ કર્યા.

આ પ્રસંગે શુજલપુરના રહેવાસી આરીફે જણાવ્યું કે તે લાંબા સમયથી હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો.પરંતુ, તેણે હવે સંપૂર્ણ રીતે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. આરિફે કહ્યું કે તે કોઈ સમાજથી ડરતો નથી.  આ તેનો પોતાનો નિર્ણય છે.

શુજલપુરના રહેવાસી આરીફે થોડા દિવસો પહેલા એક હિન્દુ મહિલા સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.. મહિલા સાથે શાજાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવાની માહિતી મળતાં જ કેટલાક લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તે બંનેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી. યુવકે કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેથી જ લગ્ન કર્યા છે.

હિન્દુવાદી સંગઠનના કાર્યકરોએ યુવકો સામે લવ જેહાદનો કેસ નોંધવાની પણ માંગ કરી હતી. જોકે, મહિલાએ પણ લગ્ન માટે સંમતિ આપતા મામલો શાંત પડ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે, પરંતુ પતિ તેને ત્રાસ આપે છે, તેથી તે આરિફ સાથે રહેવા માંગે છે. મહિલા તેની પડખે ઉભી રહી. તેથી જ  યુવાન આરીફે પણ તેના માટે સનાતની બનવાની વાત કરી.

શાજાપુર જિલ્લામાં સનાતની બનવાનો આ પહેલો કિસ્સો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘર વાપસીનું આ અભિયાન આમ જ ચાલુ રહેશે.

Top News

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Copyright (c) Khabarchhe All Rights Reserved.