મુસ્લિમ યુવક આરિફમાંથી બન્યો આનંદ, હિંદુ ધર્મ અપનાવ્યો કહ્યું-મને કોઇનો ડર નથી

મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને સનાતન ઘર્મની વિધી પ્રમાણે મુંડન કરાવી લીધું છે. તાજેતરમાં  જ મધ્ય પ્રદેશમાં  મુસ્લિમ સમાજના 250 લોકોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

મધ્ય પ્રદેશના શાજાપુરના આરીફે સનાતન ધર્મ અપનાવ્યો અને તેનું નામ આનંદ રાખી દીધું છે. તેણે તાજેતરમાં માથું મુંડન કરાવ્યું હતું અને કેસરી વસ્ત્રો પહેર્યા હતા. આરીફે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પ્રસંગે આનંદ બનેલા આરીફે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. તેને કોઈ સમાજનો ડર નથી. તે તેનો પોતાનો નિર્ણય છે.

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવ્યો. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ આરીફ હવે આનંદ બની ગયો છે. 11મી જાન્યુઆરીએ જિલ્લામાં યોજાયેલા શૌર્ય યાત્રાના કાર્યક્રમમાં આરીફે મુંડન કરાવ્યું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેણે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે સંસ્કાર પૂર્ણ કર્યા.

આ પ્રસંગે શુજલપુરના રહેવાસી આરીફે જણાવ્યું કે તે લાંબા સમયથી હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો.પરંતુ, તેણે હવે સંપૂર્ણ રીતે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. આરિફે કહ્યું કે તે કોઈ સમાજથી ડરતો નથી.  આ તેનો પોતાનો નિર્ણય છે.

શુજલપુરના રહેવાસી આરીફે થોડા દિવસો પહેલા એક હિન્દુ મહિલા સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.. મહિલા સાથે શાજાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવાની માહિતી મળતાં જ કેટલાક લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તે બંનેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી. યુવકે કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેથી જ લગ્ન કર્યા છે.

હિન્દુવાદી સંગઠનના કાર્યકરોએ યુવકો સામે લવ જેહાદનો કેસ નોંધવાની પણ માંગ કરી હતી. જોકે, મહિલાએ પણ લગ્ન માટે સંમતિ આપતા મામલો શાંત પડ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે, પરંતુ પતિ તેને ત્રાસ આપે છે, તેથી તે આરિફ સાથે રહેવા માંગે છે. મહિલા તેની પડખે ઉભી રહી. તેથી જ  યુવાન આરીફે પણ તેના માટે સનાતની બનવાની વાત કરી.

શાજાપુર જિલ્લામાં સનાતની બનવાનો આ પહેલો કિસ્સો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘર વાપસીનું આ અભિયાન આમ જ ચાલુ રહેશે.

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.