મુસ્લિમ યુવક આરિફમાંથી બન્યો આનંદ, હિંદુ ધર્મ અપનાવ્યો કહ્યું-મને કોઇનો ડર નથી

મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને સનાતન ઘર્મની વિધી પ્રમાણે મુંડન કરાવી લીધું છે. તાજેતરમાં  જ મધ્ય પ્રદેશમાં  મુસ્લિમ સમાજના 250 લોકોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

મધ્ય પ્રદેશના શાજાપુરના આરીફે સનાતન ધર્મ અપનાવ્યો અને તેનું નામ આનંદ રાખી દીધું છે. તેણે તાજેતરમાં માથું મુંડન કરાવ્યું હતું અને કેસરી વસ્ત્રો પહેર્યા હતા. આરીફે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પ્રસંગે આનંદ બનેલા આરીફે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. તેને કોઈ સમાજનો ડર નથી. તે તેનો પોતાનો નિર્ણય છે.

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ અપનાવ્યો. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ આરીફ હવે આનંદ બની ગયો છે. 11મી જાન્યુઆરીએ જિલ્લામાં યોજાયેલા શૌર્ય યાત્રાના કાર્યક્રમમાં આરીફે મુંડન કરાવ્યું હતું અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા. તેણે મા રાજરાજેશ્વરી મંદિર પરિસરમાં સનાતન વિધિ વિધાન સાથે સંસ્કાર પૂર્ણ કર્યા.

આ પ્રસંગે શુજલપુરના રહેવાસી આરીફે જણાવ્યું કે તે લાંબા સમયથી હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો.પરંતુ, તેણે હવે સંપૂર્ણ રીતે હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ દબાણ નથી. આરિફે કહ્યું કે તે કોઈ સમાજથી ડરતો નથી.  આ તેનો પોતાનો નિર્ણય છે.

શુજલપુરના રહેવાસી આરીફે થોડા દિવસો પહેલા એક હિન્દુ મહિલા સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.. મહિલા સાથે શાજાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચવાની માહિતી મળતાં જ કેટલાક લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો. લાલઘાટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તે બંનેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી. યુવકે કહ્યું કે બંને એકબીજાને પ્રેમ કરે છે, તેથી જ લગ્ન કર્યા છે.

હિન્દુવાદી સંગઠનના કાર્યકરોએ યુવકો સામે લવ જેહાદનો કેસ નોંધવાની પણ માંગ કરી હતી. જોકે, મહિલાએ પણ લગ્ન માટે સંમતિ આપતા મામલો શાંત પડ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે, પરંતુ પતિ તેને ત્રાસ આપે છે, તેથી તે આરિફ સાથે રહેવા માંગે છે. મહિલા તેની પડખે ઉભી રહી. તેથી જ  યુવાન આરીફે પણ તેના માટે સનાતની બનવાની વાત કરી.

શાજાપુર જિલ્લામાં સનાતની બનવાનો આ પહેલો કિસ્સો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘર વાપસીનું આ અભિયાન આમ જ ચાલુ રહેશે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.