મુસલમાનોએ ડરવાની જરૂર નથી, માત્ર બણગા ફુંકવાનું બંધ કરવું પડશે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી, પરંતુ તેઓએ તેમની શ્રેષ્ઠતા વિશે ડીંગ હાંકવાનુંબંધ કરી દેવું જોઇએ. મતલબ કે બણંગા ફુંકવાનું બંધ કરી દેવું જોઇએ. સંઘ પ્રમુખે RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝર અને પંચજન્યને આપેલી મુલાકાતમાં વિગતવાર વાત કરી હતી.

મોહન ભાગવતે કહ્યુ કે આ સરળ સત્ય છે કે હિંદુસ્તાનને હિંદુસ્તાન જ રહેવા દેવું જોઇએ. આજે ભારતમાં વસતા મુસલમાનોને કોઇ જોખમ નથી, ઇસ્લામનો કોઇ ખતરો નથી. પરંતુ સાથે સાથે મુસલમાનોએ મોટાઇ કરવા વાળા નિવેદનો આપવાનું બંધ કરવું પડશે.

મોહન ભાગવતે મુસ્લિમો વિશે કહ્યું,  આપણે એક મહાન જાતિના છીએ, આપણે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત આપણો રસ્તો સાચો છે, બાકીના બધું ખોટું છે. આપણે અલગ છીએ, તેથી આપણે આવા જ રહીશું, આપણે સાથે નહીં રહી શકીએ એવું નેરેટીવ મુસલમાનોએ છોડી દેવું જોઇએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકોએ તે પછી હિંદુ હોય કે સામ્યવાદી આ તર્ક છોડી દેવો જોઇએ.

સંઘ પ્રમુખે કહ્યું કે સમગ્ર વિશ્વમાં હિંદુઓમાં એક પ્રકારની આક્રમકતા જોવા મળી રહ્યો છે, કારણ કે આ સમાજમાં એક જાગૃતિ આવી છે જે 1000 વર્ષથી યુદ્ધમાં હતો. તેમણે કહ્યું, તમે જોયું હશે કે હિંદુ સમાજ 1000 વર્ષ સુધી યુદ્ધની સ્થિતિમાં રહ્યો. વિદેશી કબજા, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્ર સામે આ લડાઈ ચાલુ રહી. સંઘે તેને સમર્થન આપ્યું છે. અન્ય લોકોએ પણ સપોર્ટ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અને આ કારણોને લીધે હિંદુ સમાજ જાગૃત થયો છે, જેઓ લાંબા સમયથી લડી રહ્યા છે તેઓ આક્રમક બને તે સ્વાભાવિક છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ કહ્યું કે, ઈતિહાસની ગણતરી શરૂ થઈ ત્યારથી જ ભારત એક છે, પરંતુ જ્યારે પણ હિંદુ ભાવનાને ભૂલવામાં આવી ત્યારે ભારતનું વિભાજન થતું રહ્યું. તેમણે કહ્યું, હિંદુ આપણી ઓળખ છે, આપણો રાષ્ટ્રવાદ છે, આપણી સંસ્કૃતિની વિશેષતા છે.એક એવો ગુણ જે દરેકને પોતાના તરીકે સ્વીકારે છે, દરેકને સાથે લઈને ચાલે છે. ભાગવતે કહ્યુ કે, અમે ક્યારેય એવું નથી કહેતા કે અમારું જ સત્ય સાચું છે અને તમારું મિથ્યા છે. તમે તમારી જગ્યાએ સારો છો, અમે અમારી જગ્યા પર સારા છીએ. એટલે લડાઇ શું કામ, ચાલો સાથે સાથે આગળ વધીએ અને એ જ હિંદુત્વ છે.

મોહન ભાગવતે કહ્યુ કે પહેલાં સંઘને અપમાનની દ્રષ્ટિથી જોવામાં આવતું હતું, પરંતુ હવે એ દિવસો ખતમ થઇ ગયા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે અમારા માર્ગમાં અગાઉ જે કાંટાઓનો સામનો કરવો પડ્યો હતો તે હવે તેમના ચરિત્રમાં બદલાવ આવ્યો છે. ભૂતકાળમાં અમારે વિરોધ અને તિરસ્કારના કાંટાનો સામનો કરવો પડ્યો હતો. જે આપણે ટાળી શક્યા હોત. અને ઘણી વખત અમે તેમને ટાળ્યા પણ છીએ. પરંતુ આપણે જે નવો સ્વીકાર કર્યો છે તેણે આપણને સંસાધનો, સગવડ અને વિપુલતા આપી છે.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.