મુસલમાનોએ ડરવાની જરૂર નથી, માત્ર બણગા ફુંકવાનું બંધ કરવું પડશે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં મુસ્લિમોએ ડરવાની જરૂર નથી, પરંતુ તેઓએ તેમની શ્રેષ્ઠતા વિશે ડીંગ હાંકવાનુંબંધ કરી દેવું જોઇએ. મતલબ કે બણંગા ફુંકવાનું બંધ કરી દેવું જોઇએ. સંઘ પ્રમુખે RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝર અને પંચજન્યને આપેલી મુલાકાતમાં વિગતવાર વાત કરી હતી.

મોહન ભાગવતે કહ્યુ કે આ સરળ સત્ય છે કે હિંદુસ્તાનને હિંદુસ્તાન જ રહેવા દેવું જોઇએ. આજે ભારતમાં વસતા મુસલમાનોને કોઇ જોખમ નથી, ઇસ્લામનો કોઇ ખતરો નથી. પરંતુ સાથે સાથે મુસલમાનોએ મોટાઇ કરવા વાળા નિવેદનો આપવાનું બંધ કરવું પડશે.

મોહન ભાગવતે મુસ્લિમો વિશે કહ્યું,  આપણે એક મહાન જાતિના છીએ, આપણે આ દેશ પર એકવાર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું, ફક્ત આપણો રસ્તો સાચો છે, બાકીના બધું ખોટું છે. આપણે અલગ છીએ, તેથી આપણે આવા જ રહીશું, આપણે સાથે નહીં રહી શકીએ એવું નેરેટીવ મુસલમાનોએ છોડી દેવું જોઇએ. વાસ્તવમાં, અહીં રહેતા તમામ લોકોએ તે પછી હિંદુ હોય કે સામ્યવાદી આ તર્ક છોડી દેવો જોઇએ.

સંઘ પ્રમુખે કહ્યું કે સમગ્ર વિશ્વમાં હિંદુઓમાં એક પ્રકારની આક્રમકતા જોવા મળી રહ્યો છે, કારણ કે આ સમાજમાં એક જાગૃતિ આવી છે જે 1000 વર્ષથી યુદ્ધમાં હતો. તેમણે કહ્યું, તમે જોયું હશે કે હિંદુ સમાજ 1000 વર્ષ સુધી યુદ્ધની સ્થિતિમાં રહ્યો. વિદેશી કબજા, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્ર સામે આ લડાઈ ચાલુ રહી. સંઘે તેને સમર્થન આપ્યું છે. અન્ય લોકોએ પણ સપોર્ટ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અને આ કારણોને લીધે હિંદુ સમાજ જાગૃત થયો છે, જેઓ લાંબા સમયથી લડી રહ્યા છે તેઓ આક્રમક બને તે સ્વાભાવિક છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ કહ્યું કે, ઈતિહાસની ગણતરી શરૂ થઈ ત્યારથી જ ભારત એક છે, પરંતુ જ્યારે પણ હિંદુ ભાવનાને ભૂલવામાં આવી ત્યારે ભારતનું વિભાજન થતું રહ્યું. તેમણે કહ્યું, હિંદુ આપણી ઓળખ છે, આપણો રાષ્ટ્રવાદ છે, આપણી સંસ્કૃતિની વિશેષતા છે.એક એવો ગુણ જે દરેકને પોતાના તરીકે સ્વીકારે છે, દરેકને સાથે લઈને ચાલે છે. ભાગવતે કહ્યુ કે, અમે ક્યારેય એવું નથી કહેતા કે અમારું જ સત્ય સાચું છે અને તમારું મિથ્યા છે. તમે તમારી જગ્યાએ સારો છો, અમે અમારી જગ્યા પર સારા છીએ. એટલે લડાઇ શું કામ, ચાલો સાથે સાથે આગળ વધીએ અને એ જ હિંદુત્વ છે.

મોહન ભાગવતે કહ્યુ કે પહેલાં સંઘને અપમાનની દ્રષ્ટિથી જોવામાં આવતું હતું, પરંતુ હવે એ દિવસો ખતમ થઇ ગયા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે અમારા માર્ગમાં અગાઉ જે કાંટાઓનો સામનો કરવો પડ્યો હતો તે હવે તેમના ચરિત્રમાં બદલાવ આવ્યો છે. ભૂતકાળમાં અમારે વિરોધ અને તિરસ્કારના કાંટાનો સામનો કરવો પડ્યો હતો. જે આપણે ટાળી શક્યા હોત. અને ઘણી વખત અમે તેમને ટાળ્યા પણ છીએ. પરંતુ આપણે જે નવો સ્વીકાર કર્યો છે તેણે આપણને સંસાધનો, સગવડ અને વિપુલતા આપી છે.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.